ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં આસમાને
ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં આસમાને
Published on: 09th August, 2026

રાજ્યમાં ભારે વરસાદને કારણે શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થયું છે, જેના પરિણામે બજારમાં આવક ઘટી છે. આના લીધે શાકભાજીના ભાવમાં અચાનક વધારો જોવા મળ્યો છે. અગાઉ ₹40-60 માં મળતા શાક હવે ₹80-100 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. કોથમીર ₹400 અને મેથીની ભાજી ₹300 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. પેટ્રોલ-ડીઝલ અને મજૂરી ખર્ચમાં થયેલા વધારાએ પણ ભાવ વધારામાં ફાળો આપ્યો છે, જે મધ્યમવર્ગીય પરિવારોના બજેટ પર નોંધપાત્ર બોજ બની રહ્યો છે.