શેરબજારમાં વધઘટભર્યો વેપાર
શેરબજારમાં વધઘટભર્યો વેપાર
Published on: 23rd July, 2026

બુધવારે ભારતીય શેરબજારમાં શરૂઆતમાં વૈશ્વિક સંકેતો, FIIsની વેચવાલી અને નફાવસૂલીને કારણે લગભગ 600 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી, શોર્ટ કવરિંગ અને પસંદગીના શેરોમાં સુધારાને કારણે બજારમાં રિકવરી આવી હતી. દિવસના અંતે, બજાર વધઘટભર્યા કારોબાર સાથે બંધ થયું. IT, બેન્કિંગ શેરોમાં દબાણ હતું, જ્યારે ફાર્મા, પાવર, ડિફેન્સ જેવા ક્ષેત્રોમાં ખરીદી જોવા મળી. FIIsની વેચવાલી સામે DIIsની ખરીદીએ ટેકો આપ્યો.