ભાવનગર મહાપાલિકાને 10% રિબેટ યોજનાથી 107.60 કરોડની આવક
ભાવનગર મહાપાલિકાને 10% રિબેટ યોજનાથી 107.60 કરોડની આવક
Published on: 01st May, 2026

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ૧૦ ટકા રિબેટ યોજનાના અંતિમ દિવસે કરદાતાઓની ભારે ભીડ જોવા મળી હતી. છેલ્લા ૨૯ દિવસમાં ૧.૫૪ લાખથી વધુ કરદાતાઓએ કુલ રૂ. ૧૦૭.૬૦ કરોડનો વેરો ભરી ૧૦ થી ૧૨ ટકા સુધીના વળતરનો લાભ લીધો છે. માત્ર ગુરુવારે જ ૯,૦૩૭ લોકોએ રૂ. ૮.૩૪ કરોડની રકમ જમા કરાવી હતી. ઓનલાઇન પેમેન્ટ પર ૧૨ ટકા રિબેટ મળતું હોવાથી લોકોમાં ડિજિટલ પેમેન્ટનો ક્રેઝ વધ્યો છે. શુક્રવારથી હવે ૫ થી ૭ ટકા રિબેટની નવી યોજના અમલી બનશે.