ભારતીય રોકાણકારો US શેરબજારમાં રોકાણ કેવી રીતે કરી શકે?
ભારતીયો INDmoney, Vested, Groww અથવા HDFC Securities જેવા પ્લેટફોર્મ દ્વારા સીધું યુએસ સ્ટોક્સમાં રોકાણ કરી શકે છે. બ્રોકરેજ ઓછું હોય છે. જોકે, રોકાણ પર ડિવિડન્ડ અને કેપિટલ ગેઇન ટેક્સ લાગુ થાય છે. નવા નિયમો મુજબ LRS (Liberalised Remittance Scheme) હેઠળ ₹7 લાખથી વધુના રેમિટન્સ પર 20% TCS (Tax Collected at Source) લાગુ પડે છે. આ ઉપરાંત, વિદેશી એસેટ્સ પર LTCG (Long-Term Capital Gains) ટેક્સ હવે ઘટાડીને 12.5% કરવામાં આવ્યો છે, જે રોકાણકારો માટે ફાયદાકારક છે.
ભારતીય રોકાણકારો US શેરબજારમાં રોકાણ કેવી રીતે કરી શકે?
ટેક કંપની Oracleએ 30,000 કર્મચારીઓનું કર્યું લેઑફ
દુનિયાના છઠ્ઠા સૌથી અમીર ઉદ્યોગપતિ લેરી એલિસનની ટેક કંપની Oracleએ લગભગ 30,000 કર્મચારીઓને છૂટા કર્યા છે. જેમાં ભારતના 12,000 કર્મચારીઓનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની આવતા મહિને છટણીનો બીજો રાઉન્ડ પણ શરૂ કરી શકે છે. કર્મચારીઓને સવારે 6 વાગ્યે ઇનબોક્સમાં ટર્મિનેશન લેટર મળ્યા. તેમાં લખ્યું હતું કે આજે તેમનો છેલ્લો કાર્યકારી દિવસ છે. થોડી જ મિનિટોમાં તેમની સિસ્ટમ એક્સેસ બંધ કરી દેવામાં આવી.
ટેક કંપની Oracleએ 30,000 કર્મચારીઓનું કર્યું લેઑફ
રાષ્ટ્રપતિ સંત પ્રેમાનંદને મળ્યા, હાથ જોડીને પ્રણામ કર્યા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મથુરામાં સંત પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી. તેમણે 25 મિનિટ સુધી આધ્યાત્મિક ચર્ચા કરી. રાષ્ટ્રપતિ શુક્રવારે સવારે 7 વાગ્યે વરસાદ વચ્ચે પરિવાર સાથે પ્રેમાનંદજીના વૃંદાવન આશ્રમ પહોંચ્યા. રાષ્ટ્રપતિએ સંતને હાથ જોડીને પ્રણામ કર્યા હતા. પ્રેમાનંદજીએ રાધે-રાધે કહીને તેમનું અભિવાદન સ્વીકાર્યું. આશ્રમમાં સંતોએ રાષ્ટ્રપતિને માળા-ચૂંદડી ઓઢાડીને સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિએ પ્રેમાનંદજીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. પ્રેમાનંદજીનો ગુરુવારે એટલે કે 19 માર્ચે 56મો જન્મદિવસ હતો.
રાષ્ટ્રપતિ સંત પ્રેમાનંદને મળ્યા, હાથ જોડીને પ્રણામ કર્યા.
શિક્ષણ ક્ષેત્રે બજેટની ફાળવણીમાં દેશમાં ગુજરાત છેક 10માં ક્રમે.
કેન્દ્રીય નીતિ આયોગે દરેક રાજ્યને તેના GSDP ના ૬ ટકા અથવા તેના કુલ બજેટના ૨૦ ટકા રકમ શિક્ષણ માટે દર વર્ષે ફાળવવાની ભલામણ કરી હોવા છતાં ગુજરાતમાં આ માર્ગદર્શક નીતિનો સતત ભંગ થઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૬-૨૭ના શિક્ષણ વિભાગ માટે કુલ બજેટના ૧૫ ટકા રકમની જોગવાઈ થઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં પણ રાજ્યમાં શિક્ષણ વિભાગનું બજેટ કુલ બજેટના ૧૪-૧૫ ટકા જ રહ્યું છે.