Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
  • fire-image Trending
  • દિન વિશેષ
  • News Sources
Trending icon મારું ગુજરાત icon IPL 2026 icon રાજકારણ icon Career icon Education icon સ્વાસ્થ્ય icon ઈરાન-ઇઝરાયલ યુદ્ધ icon દેશ icon Crime icon દુનિયા icon રમત-જગત icon હવામાન icon કૃષિ icon વેપાર icon સ્ટોક માર્કેટ icon પર્સનલ ફાઇનાન્સ icon Science & Technology icon મનોરંજન icon બોલીવુડ icon જાણવા જેવું icon ધર્મ
વડોદરામાં 10 માળની બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરી, ફાયર વિભાગે જાહેર કર્યો મેજર કોલ.
વડોદરામાં 10 માળની બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરી, ફાયર વિભાગે જાહેર કર્યો મેજર કોલ.

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આજે(15 એપ્રિલ) એક બહુમાળી કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જ્યાં ઇસ્કોન હાઈટ્સ નામની બિલ્ડિંગમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આ આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે સમગ્ર 10 માળની બિલ્ડિંગ તેની ઝપેટમાં આવી ગઈ હતી. બિલ્ડિંગમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.

Published on: 15th April, 2026
વડોદરામાં 10 માળની બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરી, ફાયર વિભાગે જાહેર કર્યો મેજર કોલ.
Published on: 15th April, 2026
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આજે(15 એપ્રિલ) એક બહુમાળી કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જ્યાં ઇસ્કોન હાઈટ્સ નામની બિલ્ડિંગમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આ આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે સમગ્ર 10 માળની બિલ્ડિંગ તેની ઝપેટમાં આવી ગઈ હતી. બિલ્ડિંગમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.
નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, હવે બિહારની સત્તા 'સમ્રાટ'ના હાથમાં.
નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, હવે બિહારની સત્તા 'સમ્રાટ'ના હાથમાં.

બિહારના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. બિહારના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેલા નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. નીતિશ કુમારના રાજીનામા બાદ ભાજપના નેતૃત્વવાળી સરકાર માટે રસ્તો ખુલ્લી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે બિહારની સત્તા સમ્રાટ ચૌધરીના હાથમાં સોંપવામાં આવશે. એટલે કે સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી બનશે. 'સુશાસન બાબુ' તરીકે જાણીતા નીતિશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. હવે તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેશે અને કેન્દ્રીય રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવશે.

Published on: 14th April, 2026
નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, હવે બિહારની સત્તા 'સમ્રાટ'ના હાથમાં.
Published on: 14th April, 2026
બિહારના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. બિહારના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેલા નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. નીતિશ કુમારના રાજીનામા બાદ ભાજપના નેતૃત્વવાળી સરકાર માટે રસ્તો ખુલ્લી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે બિહારની સત્તા સમ્રાટ ચૌધરીના હાથમાં સોંપવામાં આવશે. એટલે કે સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી બનશે. 'સુશાસન બાબુ' તરીકે જાણીતા નીતિશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. હવે તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેશે અને કેન્દ્રીય રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવશે.
આવતા રવિવારે યોજાનાર PSI ની લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ થવાનું થઈ શરૂ
આવતા રવિવારે યોજાનાર PSI ની લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ થવાનું થઈ શરૂ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI કેડર (જાહેરાત ક્રમાંક: GPRB/202526/1) ની આગામી રવિવારે (19 એપ્રિલ, 2026) યોજાનાર લેખિત પરીક્ષા માટેના કોલ લેટર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. પરીક્ષા આપનાર ઉમેદવારો OJAS વેબસાઇટ પર જઈને પોતાની વિગતો ભરી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે. પરીક્ષા કેન્દ્ર અને સમયની વિગતવાર માહિતી કોલ લેટરમાં ઉપલબ્ધ રહેશે, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.

Published on: 13th April, 2026
આવતા રવિવારે યોજાનાર PSI ની લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ થવાનું થઈ શરૂ
Published on: 13th April, 2026
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI કેડર (જાહેરાત ક્રમાંક: GPRB/202526/1) ની આગામી રવિવારે (19 એપ્રિલ, 2026) યોજાનાર લેખિત પરીક્ષા માટેના કોલ લેટર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. પરીક્ષા આપનાર ઉમેદવારો OJAS વેબસાઇટ પર જઈને પોતાની વિગતો ભરી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે. પરીક્ષા કેન્દ્ર અને સમયની વિગતવાર માહિતી કોલ લેટરમાં ઉપલબ્ધ રહેશે, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
ભાજપે તબક્કાવાર ઉમેદવારો જાહેર કરવાનું કર્યું શરૂ: પૂર્વ IPS મનોજ નિનામાને મળી ટિકિટ
ભાજપે તબક્કાવાર ઉમેદવારો જાહેર કરવાનું કર્યું શરૂ: પૂર્વ IPS મનોજ નિનામાને મળી ટિકિટ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેર કરવાનું શરૂ કર્યું છે. જેમાં સુરેન્દ્રનગર, અરવલ્લી, વાવ-થરાદ જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ IPS મનોજ નીનામા અરવલ્લી જિલ્લાના ઓડ જિલ્લા પંચાયતની ચૂંટણી પરથી ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ IPS ને ભાજપમાં જોડાયા 3 કલાકમાં જ જિલ્લા પંચાયતની ટિકિટ મળી.

Published on: 09th April, 2026
ભાજપે તબક્કાવાર ઉમેદવારો જાહેર કરવાનું કર્યું શરૂ: પૂર્વ IPS મનોજ નિનામાને મળી ટિકિટ
Published on: 09th April, 2026
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેર કરવાનું શરૂ કર્યું છે. જેમાં સુરેન્દ્રનગર, અરવલ્લી, વાવ-થરાદ જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ IPS મનોજ નીનામા અરવલ્લી જિલ્લાના ઓડ જિલ્લા પંચાયતની ચૂંટણી પરથી ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ IPS ને ભાજપમાં જોડાયા 3 કલાકમાં જ જિલ્લા પંચાયતની ટિકિટ મળી.
પુંડુચેરી: ચાર જિલ્લાઓમાં વિસ્તરેલો અનોખો કેન્દ્રશાસિત પ્રદેશ.
પુંડુચેરી: ચાર જિલ્લાઓમાં વિસ્તરેલો અનોખો કેન્દ્રશાસિત પ્રદેશ.

પુંડુચેરી ભારતનો એક અત્યંત વિશિષ્ટ કેન્દ્રશાસિત પ્રદેશ છે, જે કોઈ એક સળંગ જમીન પર નહીં પરંતુ ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારા પર વિખરાયેલા ચાર અલગ-અલગ જિલ્લાઓનો બનેલો છે. ભારતનો અનોખો કેન્દ્રશાસિત પ્રદેશ પુંડુચેરી પૂર્વ અને પશ્ચિમ કિનારા પર વિખરાયેલા ચાર જિલ્લાઓ-પુંડુચેરી, કરાઈકલ (તમિલનાડુ), યનમ (આંધ્રપ્રદેશ) અને માહે (કેરળ)નો બનેલો છે. આ વિસ્તારો ભૌગોલિક રીતે એકબીજાથી સેંકડો કિલોમીટર દૂર હોવા છતાં અને જમીન માર્ગે જોડાયેલા ન હોવા છતાં, વહીવટી રીતે એક જ એકમ ગણાય છે. આ અનોખી ગોઠવણી તેને ભારતના નકશા પર ભૌગોલિક દ્રષ્ટિએ વિશિષ્ટ બનાવે છે.

Published on: 09th April, 2026
પુંડુચેરી: ચાર જિલ્લાઓમાં વિસ્તરેલો અનોખો કેન્દ્રશાસિત પ્રદેશ.
Published on: 09th April, 2026
પુંડુચેરી ભારતનો એક અત્યંત વિશિષ્ટ કેન્દ્રશાસિત પ્રદેશ છે, જે કોઈ એક સળંગ જમીન પર નહીં પરંતુ ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારા પર વિખરાયેલા ચાર અલગ-અલગ જિલ્લાઓનો બનેલો છે. ભારતનો અનોખો કેન્દ્રશાસિત પ્રદેશ પુંડુચેરી પૂર્વ અને પશ્ચિમ કિનારા પર વિખરાયેલા ચાર જિલ્લાઓ-પુંડુચેરી, કરાઈકલ (તમિલનાડુ), યનમ (આંધ્રપ્રદેશ) અને માહે (કેરળ)નો બનેલો છે. આ વિસ્તારો ભૌગોલિક રીતે એકબીજાથી સેંકડો કિલોમીટર દૂર હોવા છતાં અને જમીન માર્ગે જોડાયેલા ન હોવા છતાં, વહીવટી રીતે એક જ એકમ ગણાય છે. આ અનોખી ગોઠવણી તેને ભારતના નકશા પર ભૌગોલિક દ્રષ્ટિએ વિશિષ્ટ બનાવે છે.
નવનીત બાલધિયા જોડાયા કોંગ્રેસમાં, અમિત ચાવડાએ ખેસ પહેરાવી કર્યું સ્વાગત.
નવનીત બાલધિયા જોડાયા કોંગ્રેસમાં, અમિત ચાવડાએ ખેસ પહેરાવી કર્યું સ્વાગત.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. માયાભાઈ આહીરના પુત્ર સાથેના વિવાદ બાદ ચર્ચામાં આવેલા કોળી સમાજના યુવા ચહેરા નવનીત બાલધિયા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તેમને પક્ષમાં આવકાર્યા હતા. બગદાણાની ઘટના બાદ ન્યાય માટે લડત આપી જાણીતા બનેલા બાલધિયાના પ્રવેશથી કોળી મતો પર મોટી અસર પડવાની શક્યતા સેવાઈ રહી છે.

Published on: 03rd April, 2026
નવનીત બાલધિયા જોડાયા કોંગ્રેસમાં, અમિત ચાવડાએ ખેસ પહેરાવી કર્યું સ્વાગત.
Published on: 03rd April, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. માયાભાઈ આહીરના પુત્ર સાથેના વિવાદ બાદ ચર્ચામાં આવેલા કોળી સમાજના યુવા ચહેરા નવનીત બાલધિયા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તેમને પક્ષમાં આવકાર્યા હતા. બગદાણાની ઘટના બાદ ન્યાય માટે લડત આપી જાણીતા બનેલા બાલધિયાના પ્રવેશથી કોળી મતો પર મોટી અસર પડવાની શક્યતા સેવાઈ રહી છે.
જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?', AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ.
જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?', AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ.

આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પોતાની જ પાર્ટી સામે બળવો પોકાર્યો છે. રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવવામાં આવ્યા બાદ, તેમણે એક આક્રમક વીડિયો જાહેર કરીને સવાલ કર્યો છે કે શું જનતાના મુદ્દા ઉઠાવવા એ ગુનો છે? પોતાની ખામોશીને હાર ન સમજવાની ચેતવણી આપતા તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ જનતાના અવાજને દબાવવા દેશે નહીં. આ ઘટનાક્રમથી 'AAP'માં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું જણાય છે.

Published on: 03rd April, 2026
જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?', AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ.
Published on: 03rd April, 2026
આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પોતાની જ પાર્ટી સામે બળવો પોકાર્યો છે. રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવવામાં આવ્યા બાદ, તેમણે એક આક્રમક વીડિયો જાહેર કરીને સવાલ કર્યો છે કે શું જનતાના મુદ્દા ઉઠાવવા એ ગુનો છે? પોતાની ખામોશીને હાર ન સમજવાની ચેતવણી આપતા તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ જનતાના અવાજને દબાવવા દેશે નહીં. આ ઘટનાક્રમથી 'AAP'માં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું જણાય છે.
ICGS શૌર્ય પોરબંદર ખાતે તૈનાત.
ICGS શૌર્ય પોરબંદર ખાતે તૈનાત.

ભારતીય કોસ્ટ ગાર્ડનું અત્યાધુનિક જહાજ 'ICGS શૌર્ય' ૨ એપ્રિલ, ૨૦૨૬થી કાયમી ધોરણે પોરબંદર ખાતે તૈનાત કરવામાં આવ્યું છે. અગાઉ ચેન્નાઈમાં કાર્યરત આ 'સમર્થ ક્લાસ' ઓફશોર પેટ્રોલ વેસલ (OPV) સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત છે. ૧૦૫ મીટર લાંબું અને ૨૩૦૦ ટન વજન ધરાવતું આ જહાજ ૨૩ નોટિકલ માઈલની ઝડપે સતત ૨૦ દિવસ સુધી દરિયામાં રહી શકે છે. તેની તૈનાતીથી અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદની સુરક્ષા અને ગુજરાતના માછીમારોની સલામતી વધુ મજબૂત બનશે.

Published on: 03rd April, 2026
ICGS શૌર્ય પોરબંદર ખાતે તૈનાત.
Published on: 03rd April, 2026
ભારતીય કોસ્ટ ગાર્ડનું અત્યાધુનિક જહાજ 'ICGS શૌર્ય' ૨ એપ્રિલ, ૨૦૨૬થી કાયમી ધોરણે પોરબંદર ખાતે તૈનાત કરવામાં આવ્યું છે. અગાઉ ચેન્નાઈમાં કાર્યરત આ 'સમર્થ ક્લાસ' ઓફશોર પેટ્રોલ વેસલ (OPV) સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત છે. ૧૦૫ મીટર લાંબું અને ૨૩૦૦ ટન વજન ધરાવતું આ જહાજ ૨૩ નોટિકલ માઈલની ઝડપે સતત ૨૦ દિવસ સુધી દરિયામાં રહી શકે છે. તેની તૈનાતીથી અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદની સુરક્ષા અને ગુજરાતના માછીમારોની સલામતી વધુ મજબૂત બનશે.
બંગાળ ચૂંટણી પહેલા ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ ભાજપમાં જોડાયા.
બંગાળ ચૂંટણી પહેલા ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ ભાજપમાં જોડાયા.

ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ મંગળવારે દિલ્હીમાં ભાજપમાં જોડાયા, તેમને કૃષ્ણનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડવામાં આવે તેવી શક્યતા છે. ભાજપના નેતાએ જણાવ્યું કે, "લીએન્ડર પેસ બંગાળમાં પાર્ટી માટે એક સંપત્તિ બનશે. તેમનો જન્મ કલકત્તામાં થયો હતો, તેમણે ત્યાં અભ્યાસ કર્યો હતો અને તેમણે પોતાની ટેનિસ કારકિર્દી પણ ત્યાંથી શરૂ કરી હતી. જો છેલ્લી ઘડીએ કંઈ બદલાયું નહીં, તો તે લગભગ નિશ્ચિત છે કે તેઓ કૃષ્ણનગર ઉત્તરથી ચૂંટણી લડશે."

Published on: 01st April, 2026
બંગાળ ચૂંટણી પહેલા ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ ભાજપમાં જોડાયા.
Published on: 01st April, 2026
ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ મંગળવારે દિલ્હીમાં ભાજપમાં જોડાયા, તેમને કૃષ્ણનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડવામાં આવે તેવી શક્યતા છે. ભાજપના નેતાએ જણાવ્યું કે, "લીએન્ડર પેસ બંગાળમાં પાર્ટી માટે એક સંપત્તિ બનશે. તેમનો જન્મ કલકત્તામાં થયો હતો, તેમણે ત્યાં અભ્યાસ કર્યો હતો અને તેમણે પોતાની ટેનિસ કારકિર્દી પણ ત્યાંથી શરૂ કરી હતી. જો છેલ્લી ઘડીએ કંઈ બદલાયું નહીં, તો તે લગભગ નિશ્ચિત છે કે તેઓ કૃષ્ણનગર ઉત્તરથી ચૂંટણી લડશે."
પૂર્વ DGP વિકાસ સહાયને મળી નવી જવાબદારી.
પૂર્વ DGP વિકાસ સહાયને મળી નવી જવાબદારી.

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી માળખામાં એક મહત્વનો ફેરફાર કરતા નિવૃત્ત IPS અધિકારીને નવી જવાબદારી સોંપવામાં આવી છે. સરકારના તાજેતરના અનુસાર, ૧૯૮૯ બેચના નિવૃત્ત IPS અધિકારી અને રાજ્યના પૂર્વ DGP વિકાસ સહાયને 'અમદાવાદ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ ઓર્ગેનાઈઝેશન'ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂકથી પોલીસ અને ફાયર વિભાગના ખેલાડીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં મોટા સ્તરે રમતગમત મહોત્સવના આયોજનની શક્યતાઓ સેવાઈ રહી છે.

Published on: 30th March, 2026
પૂર્વ DGP વિકાસ સહાયને મળી નવી જવાબદારી.
Published on: 30th March, 2026
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી માળખામાં એક મહત્વનો ફેરફાર કરતા નિવૃત્ત IPS અધિકારીને નવી જવાબદારી સોંપવામાં આવી છે. સરકારના તાજેતરના અનુસાર, ૧૯૮૯ બેચના નિવૃત્ત IPS અધિકારી અને રાજ્યના પૂર્વ DGP વિકાસ સહાયને 'અમદાવાદ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ ઓર્ગેનાઈઝેશન'ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂકથી પોલીસ અને ફાયર વિભાગના ખેલાડીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં મોટા સ્તરે રમતગમત મહોત્સવના આયોજનની શક્યતાઓ સેવાઈ રહી છે.
અમદાવાદની Bacancy Systemsએ  ફંડિંગમાં ₹40 કરોડ એકત્ર કર્યા.
અમદાવાદની Bacancy Systemsએ ફંડિંગમાં ₹40 કરોડ એકત્ર કર્યા.

ગુજરાતની એમ્બેડેડ ઇલેક્ટ્રોનિક્સ કંપની બેકેન્સી સિસ્ટમ્સ દ્વારા સિરીઝ A ફંડિંગમાં ₹40 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે. Sabre Partners અને Greenstone Capitalના નેતૃત્વમાં થયેલા આ રોકાણનો ઉપયોગ ઉત્પાદન ક્ષમતા વધારવા, R&D મજબૂત કરવા અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વિસ્તરણ માટે થશે. 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન હેઠળ કંપની સ્થાનિક નવીનતા અને ઉત્પાદન ક્ષેત્રે પોતાનું પ્રભુત્વ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

Published on: 30th March, 2026
અમદાવાદની Bacancy Systemsએ ફંડિંગમાં ₹40 કરોડ એકત્ર કર્યા.
Published on: 30th March, 2026
ગુજરાતની એમ્બેડેડ ઇલેક્ટ્રોનિક્સ કંપની બેકેન્સી સિસ્ટમ્સ દ્વારા સિરીઝ A ફંડિંગમાં ₹40 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે. Sabre Partners અને Greenstone Capitalના નેતૃત્વમાં થયેલા આ રોકાણનો ઉપયોગ ઉત્પાદન ક્ષમતા વધારવા, R&D મજબૂત કરવા અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વિસ્તરણ માટે થશે. 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન હેઠળ કંપની સ્થાનિક નવીનતા અને ઉત્પાદન ક્ષેત્રે પોતાનું પ્રભુત્વ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ગુજરાત પોલીસ PSI લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની મહત્વપૂર્ણ જાહેરાત.
ગુજરાત પોલીસ PSI લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની મહત્વપૂર્ણ જાહેરાત.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI કેડર (GPRB/202526/1) ની પેપર-1 અને પેપર-2 ની લેખિત પરીક્ષા 19 એપ્રિલ 2026, રવિવારના રોજ યોજાશે. આ પરીક્ષા માટેના કોલ લેટર 13 એપ્રિલના રોજ બપોરે 2:00 વાગ્યાથી ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારોએ સમયમર્યાદામાં પોતાનો કોલ લેટર મેળવી લેવા અને તેમાં આપેલી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવા જણાવવામાં આવ્યું છે.

Published on: 29th March, 2026
ગુજરાત પોલીસ PSI લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની મહત્વપૂર્ણ જાહેરાત.
Published on: 29th March, 2026
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI કેડર (GPRB/202526/1) ની પેપર-1 અને પેપર-2 ની લેખિત પરીક્ષા 19 એપ્રિલ 2026, રવિવારના રોજ યોજાશે. આ પરીક્ષા માટેના કોલ લેટર 13 એપ્રિલના રોજ બપોરે 2:00 વાગ્યાથી ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારોએ સમયમર્યાદામાં પોતાનો કોલ લેટર મેળવી લેવા અને તેમાં આપેલી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવા જણાવવામાં આવ્યું છે.
PSI માંથી PI પ્રમોશન સાથે બદલીના ઓર્ડર.
PSI માંથી PI પ્રમોશન સાથે બદલીના ઓર્ડર.

ગુજરાત રાજ્યમાં PSI માંથી PI પ્રમોશન સાથે બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે. નવા બનેલા વાવ-થરાદ જિલ્લાને PSI માંથી પ્રમોશન થઈને આવેલા નવા 8 PI મળ્યા. જેમાં હરિભાઈ પટેલ, આશિષભાઈ રબારી, રોહનભાઈ બાર, હરેશભાઈ જોષી, મહેશભાઈ રાઠોડ, હાર્દિકભાઈ મકવાણા, ચિરાગભાઈ દેસાઈ અને રીનાબેન ચૌધરીનો સમાવેશ થઇ છે.

Published on: 26th March, 2026
PSI માંથી PI પ્રમોશન સાથે બદલીના ઓર્ડર.
Published on: 26th March, 2026
ગુજરાત રાજ્યમાં PSI માંથી PI પ્રમોશન સાથે બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે. નવા બનેલા વાવ-થરાદ જિલ્લાને PSI માંથી પ્રમોશન થઈને આવેલા નવા 8 PI મળ્યા. જેમાં હરિભાઈ પટેલ, આશિષભાઈ રબારી, રોહનભાઈ બાર, હરેશભાઈ જોષી, મહેશભાઈ રાઠોડ, હાર્દિકભાઈ મકવાણા, ચિરાગભાઈ દેસાઈ અને રીનાબેન ચૌધરીનો સમાવેશ થઇ છે.
હિમાચલ પ્રદેશના CMએ બજેટ દરમિયાન CM, MLA અને સરકારી અધિકારીઓના પગાર પર કાપ મુકવાની કરી જાહેરાત.
હિમાચલ પ્રદેશના CMએ બજેટ દરમિયાન CM, MLA અને સરકારી અધિકારીઓના પગાર પર કાપ મુકવાની કરી જાહેરાત.

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ બજેટ દરમિયાન મુખ્યમંત્રી, ધારાસભ્યો, જિલ્લાના ન્યાયાધીશો અને સરકારી અધિકારીઓના પગાર પર કાપ મુકવાની જાહેરાત કરી છે. રાજ્યની ગંભીર આર્થિક સ્થિતિને ધ્યાને રાખી મુખ્યમંત્રીનો 50 ટકા પગાર, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓનો 30 ટકા, ધારાસભ્યોનો, 20 ટકા અને સરકારી અધિકારીઓનો 30 ટકા પગાર કામચલાઉ ધોરણે અટકાવી દેવાયો છે. સરકારે આગામી છ મહિના સુધી પૂરો પગાર આપવા પર રોક લગાવી દીધી છે. આ ઉપરાંત જિલ્લાના ન્યાયાધીશોનો 30 ટકા પગાર અટાકીવ દેવાયો છે.

Published on: 22nd March, 2026
હિમાચલ પ્રદેશના CMએ બજેટ દરમિયાન CM, MLA અને સરકારી અધિકારીઓના પગાર પર કાપ મુકવાની કરી જાહેરાત.
Published on: 22nd March, 2026
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ બજેટ દરમિયાન મુખ્યમંત્રી, ધારાસભ્યો, જિલ્લાના ન્યાયાધીશો અને સરકારી અધિકારીઓના પગાર પર કાપ મુકવાની જાહેરાત કરી છે. રાજ્યની ગંભીર આર્થિક સ્થિતિને ધ્યાને રાખી મુખ્યમંત્રીનો 50 ટકા પગાર, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓનો 30 ટકા, ધારાસભ્યોનો, 20 ટકા અને સરકારી અધિકારીઓનો 30 ટકા પગાર કામચલાઉ ધોરણે અટકાવી દેવાયો છે. સરકારે આગામી છ મહિના સુધી પૂરો પગાર આપવા પર રોક લગાવી દીધી છે. આ ઉપરાંત જિલ્લાના ન્યાયાધીશોનો 30 ટકા પગાર અટાકીવ દેવાયો છે.
પાટણના ઝીલિયાકાંડ બાદ PI સહિત 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ
પાટણના ઝીલિયાકાંડ બાદ PI સહિત 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

પાટણના ઝીલીયાકાંડમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં PI સહિત 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરાયા હતા. તેમાં PI સોલંકી, ASI, હેડ કોન્સ્ટેબલ તથા, 5 GRD જવાનો પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે પાટણ DYSP પરેશ રેણુકાએ સ્વીકાર્યું હતું કે ચાણસ્મા પોલીસને હુમલો થવાની અગાઉથી માહિતી હતી. સ્થળ પર ‘112 જન સુરક્ષા’ અને પોલીસની ગાડી હાજર હતી, પરંતુ શસ્ત્રધારી શખ્સોને જોઈ પૂરતો સ્ટાફ ન હોવાનું કહી પોલીસ ત્યાંથી નીકળી ગઈ હતી.જ્યારે પોલીસ વધારાનો કાફલો લઈને પરત ફરી ત્યારે તમામ હુમલાખોરો આરામથી નાસી છૂટ્યા હતા.

Published on: 20th March, 2026
પાટણના ઝીલિયાકાંડ બાદ PI સહિત 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Published on: 20th March, 2026
પાટણના ઝીલીયાકાંડમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં PI સહિત 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરાયા હતા. તેમાં PI સોલંકી, ASI, હેડ કોન્સ્ટેબલ તથા, 5 GRD જવાનો પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે પાટણ DYSP પરેશ રેણુકાએ સ્વીકાર્યું હતું કે ચાણસ્મા પોલીસને હુમલો થવાની અગાઉથી માહિતી હતી. સ્થળ પર ‘112 જન સુરક્ષા’ અને પોલીસની ગાડી હાજર હતી, પરંતુ શસ્ત્રધારી શખ્સોને જોઈ પૂરતો સ્ટાફ ન હોવાનું કહી પોલીસ ત્યાંથી નીકળી ગઈ હતી.જ્યારે પોલીસ વધારાનો કાફલો લઈને પરત ફરી ત્યારે તમામ હુમલાખોરો આરામથી નાસી છૂટ્યા હતા.

Download Our App

Get better experience on our mobile app 🚀

Download from Play Store