ભારે વરસાદના કારણે ટ્રેન અને ફ્લાઈટ્સ સેવા ખોરવાઈ
મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થયેલ ભારે વરસાદને કારણે રેલ અને હવાઈ સેવા પર તેની વ્યાપક અસર પડી છે. મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન નજીક ટ્રેક પર પાણી ભરાતા મુંબઈ-અમદાવાદ રેલ વ્યવહાર ખોરવાયો છે. વાપી-મુંબઈ વચ્ચે છેલ્લા બે કલાકથી ટ્રેનો અટવાઈ છે, જેના કારણે અનેક મુસાફરો અટવાયા છે. મુંબઈ એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે 13 ફ્લાઈટ્સને સુરત એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ છે. કેટલીક ફ્લાઈટ્સ રદ અને અન્ય મોડી પડી છે, જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારે વરસાદના કારણે ટ્રેન અને ફ્લાઈટ્સ સેવા ખોરવાઈ
મુંબઈમાં ભારે વરસાદ: માનખુર્દમાં ત્રણ માળની ચૉલ ધરાશાયી
મુંબઈમાં અવિરત વરસાદ વચ્ચે માનખુર્દ વિસ્તારમાં એક ત્રણ માળની ચૉલનો ભાગ રવિવારે રાત્રે ધરાશાયી થયો. આ દુર્ઘટનામાં છ લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ઘાયલ છે. NDRF, ફાયર બ્રિગેડ, પોલીસ અને BMCની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ તથા રાહત કામગીરી ચાલી રહી છે. કાટમાળ નીચે વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે. આ અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ ભારે વરસાદને કારણે ઇમારત નબળી પડી હોવાનું મનાય છે.
મુંબઈમાં ભારે વરસાદ: માનખુર્દમાં ત્રણ માળની ચૉલ ધરાશાયી
બનાસકાંઠાના અંબાજી-દાંતા પંથકમાં મેઘમહેર
બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અંબાજી વિસ્તારમાં થયેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. રવિવારે સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું, જેના કારણે દિવસ દરમિયાન અંધારપટ જેવો માહોલ સર્જાયો હતો. પવન સાથે થયેલા વરસાદથી દાંતાના અનેક માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા. યાત્રાધામ અંબાજીના કેટલાક વિસ્તારોમાં થયેલા વરસાદી ઝાપટાંથી ગરમીમાંથી રાહત મળી છે. ખેડૂતો હવે વાવણીની કામગીરીમાં વ્યસ્ત થઈ ગયા છે.
બનાસકાંઠાના અંબાજી-દાંતા પંથકમાં મેઘમહેર
વાવ-થરાદમાં વંટોળ સાથે વરસાદ, ખેડૂતોને ભારે નુકસાન
બનાસકાંઠાના સરહદી વાવ અને થરાદ પંથકમાં શનિવાર રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન, વરસાદ અને વીજળી સાથે કુદરતી આફત આવી હતી. આ તોફાનને કારણે ખેડૂતોના રહેણાંક મકાનો અને પશુઓના શેડના પતરા ઉડી ગયા, જેનાથી ખેડૂત પરિવારો મુશ્કેલીમાં મુકાયા. થરાદના આજાવાડા ગામે ક્કનર્મદેશ્વર ગૌશાળાના શેડ પણ તૂટી પડ્યા, જેનાથી મોટાપાયે આર્થિક નુકસાન થયું. જોરડીયાળી, તખતપુરા સહિતના વિસ્તારોમાં વીજપોલ અને ડીપી ધરાશાયી થતાં અંધારપટ છવાયો. જોકે, કોઈ મોટી જાનહાનિ થઈ નથી.
વાવ-થરાદમાં વંટોળ સાથે વરસાદ, ખેડૂતોને ભારે નુકસાન
છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈને વિદ્યાર્થિનીઓ સાથે કર્યો સંવાદ
છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા "સશક્ત દીકરી, કલેક્ટર ઇન ક્લાસરૂમ" અભિયાન હેઠળ, મણિબેન પટેલ કન્યા વિદ્યાલય ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને વિદ્યાર્થિનીઓ સાથે પ્રેરણાદાયી સંવાદ સાધ્યો. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય કિશોરીઓમાં આત્મવિશ્વાસ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને નેતૃત્વના ગુણો ખીલવવાનો હતો. કલેક્ટરે પોતાના અનુભવો અને કારકિર્દીની સફર શેર કરી, વિદ્યાર્થિનીઓને સપના પૂરા કરવા મહેનત કરવા પ્રોત્સાહિત કરી. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા પ્લાન્ટેબલ પેન્સિલનું વિતરણ કરાયું.
છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈને વિદ્યાર્થિનીઓ સાથે કર્યો સંવાદ
વડોદરાની કરજણ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ગંભીર અછત
ગુજરાત સરકાર શિક્ષણ ક્ષેત્રે સુધારાના દાવા કરતી હોવા છતાં, કરજણ તાલુકાની 185 પ્રાથમિક શાળાઓમાં 85 શિક્ષકોની ઘટ છે. ખાસ કરીને, ધોરણ 1થી 5 ધરાવતી 11 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક ફરજ પર છે. આ પરિસ્થિતિ બાળકોના પાયાના શિક્ષણ પર ગંભીર અસર કરી રહી છે. લતીપુર ટીંબી, આલમપુરા કોલોની, કલા, હીરજીપુરા, રોપા, સોમજ, દેલવાડા, કરણ, નાનીકોરલ, લીલીપુરા અને ભરથાલી ગામની શાળાઓમાં એક જ શિક્ષક વિવિધ ધોરણોના વિદ્યાર્થીઓને એક જ રૂમમાં અથવા અલગ-અલગ રૂમોમાં વારાફરતી ભણાવવા મજબૂર છે, જેનાથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું મુશ્કેલ બન્યું છે.
વડોદરાની કરજણ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ગંભીર અછત
વડોદરાના 759થી વધુ BAPS બાળકોનું ચાણસદમાં ગૌરવપૂર્ણ સન્માન
BAPS સંસ્થા દ્વારા પ.પૂ. મહંત સ્વામી મહારાજ રચિત ગ્રંથ સત્સંગ દીક્ષાના 315 સંસ્કૃત શ્લોકોનો એકસાથે મુખપાઠ કરીને અનોખો વિશ્વવિક્રમ સર્જાયો, જેની નોંધ ગિનિસ બુક ઓફ્ વર્લ્ડ રેકોર્ડમાં લેવાઈ છે. આ વિશ્વવિક્રમમાં વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 759થી વધુ બાળ-બાલિકાઓએ પણ ભાગ લીધો. ચાણસદ ખાતે યોજાયેલા વિશેષ સન્માન સમારોહમાં આ તમામ બાળ-બાલિકાઓને ગિનિસ બુક ઓફ્ વર્લ્ડ રેકોર્ડના પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કરાયા. આ સિદ્ધિ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારનું જીવંત ઉદાહરણ છે.
વડોદરાના 759થી વધુ BAPS બાળકોનું ચાણસદમાં ગૌરવપૂર્ણ સન્માન
ભરૂચમાં વરસાદથી નુકસાનગ્રસ્ત મકાનોનો તંત્ર દ્વારા સર્વે શરૂ કરાયો
વાલીયા તાલુકામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા નાગરિકોને તાત્કાલિક મદદ મળે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સક્રિય થયું છે. કોંઢ અને સિલુડી ગામમાં રહેણાંક મકાનો અને ઘરવખરીને થયેલા નુકસાનનો અંદાજ મેળવવા માટે વહીવટી ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણના માર્ગદર્શન હેઠળ, વાલીયા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારની દેખરેખ હેઠળ ખાસ સર્વે ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને નુકસાનીની ઝીણવટભરી વિગતો એકત્રિત કરાઈ રહી છે.
ભરૂચમાં વરસાદથી નુકસાનગ્રસ્ત મકાનોનો તંત્ર દ્વારા સર્વે શરૂ કરાયો
ગુજરાતમાં 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 22 કલાકમાં 186 તાલુકાઓમાં વરસાદ
હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 5 જુલાઈએ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સહિત 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આગામી દિવસોમાં પણ વરસાદ યથાવત રહેશે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર ખાસ અસર જોવા મળશે. છેલ્લા 22 કલાકમાં 186 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે, જેમાં અમરેલી, નવસારી અને ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
ગુજરાતમાં 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 22 કલાકમાં 186 તાલુકાઓમાં વરસાદ
બોડેલી તાલુકામાં શુક્રવાર રાત્રિથી સવાર સુધી ૨ થી ૬ વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ
બોડેલી પંથકમાં લાંબા વિરામ બાદ શુક્રવારની રાત્રે ૨ થી સવારના ૬ વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો, જે ૩૫ એમએમ જેટલો નોંધાયો હતો. આ વરસાદને કારણે જગતના તાત ગણાતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, મધરાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવતા બોડેલી અને તેની આસપાસના અનેક વિસ્તારોમાં મેઘો મન મૂકીને વરસ્યો હતો. નગરમાં દોઢ ઈંચ અને વિસાડી, પાંધરા પંથકમાં લગભગ બે ઈંચ ઉપરાંત વરસાદ વરસ્યો, જેના પગલે ખેતરોમાં પાણી ભરાયા હતા.
બોડેલી તાલુકામાં શુક્રવાર રાત્રિથી સવાર સુધી ૨ થી ૬ વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ
ગોધરાની અમન ડે સ્કૂલમાં પર્પલ ડેની ભવ્ય ઉજવણી
ગોધરા શહેરની અમન ડે સ્કૂલના કે.જી. વિભાગમાં પર્પલ ડે ની આનંદમય ઉજવણી સંપન્ન થઈ. આ ખાસ પ્રસંગે, વિદ્યાર્થીઓએ જાંબલી રંગના આકર્ષક વસ્ત્રો પહેરી શાળામાં હાજરી આપી. વર્ગખંડને જાંબલી રંગની શૈક્ષણિક સામગ્રી અને સુંદર સજાવટથી સુશોભિત કરાયો હતો. શિક્ષકોએ વિદ્યાર્થીઓને જાંબલી રંગના મહત્વ અને તેની વિવિધ વસ્તુઓની ઓળખ કરાવી. રમતો, પ્રવૃત્તિઓ અને સર્જનાત્મક કાર્યો દ્વારા વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે નવીન જ્ઞાન મેળવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રંગોની ઓળખ, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વધારવાનો હતો.
ગોધરાની અમન ડે સ્કૂલમાં પર્પલ ડેની ભવ્ય ઉજવણી
સિમલિયા કૉલેજમાં સહકાર શિક્ષણ તાલીમ કાર્યક્રમ યોજાયો
પંચમહાલ જિલ્લા સહકારી સંઘ, ગોધરાના ઉપક્રમે એસ.પી.પટેલ આર્ટ્સ કોલેજ, સિમલીયામાં સહકાર શિક્ષણ તાલીમ વર્ગ યોજાયો હતો. અધ્યક્ષ અને કોલેજ ટ્રસ્ટી મંડળના પ્રમુખ નટવરસિંહ ચૌહાણ, જિલ્લા સહકારી સંઘના વાઇસ ચેરમેન ખુમાનસિંહ ચૌહાણ, તાલુકા કિસાન સંઘ પ્રમુખ દશરથસિંહ સોલંકી, પ્રિન્સિપાલ ડૉ. દિલીપકુમાર અમીને પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. એકઝિક્યુટીવ ઓફ્સિર પારૂલ સોલંકીએ સહકારી શિક્ષણનો ઉદભવ અને વિકાસ, વિવિધ સહકારી પ્રવૃતિઓ અને તેના દ્વારા ઉપલબ્ધ કારકિર્દીની તકો વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યુ હતું.
સિમલિયા કૉલેજમાં સહકાર શિક્ષણ તાલીમ કાર્યક્રમ યોજાયો
ઓરસંગ બ્રિજમાં ગાબડું: ભારે વરસાદમાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાયો
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. છોટાઉદેપુરના બોડેલી સ્થિત ઓરસંગ બ્રિજ પર પ્રથમ વરસાદમાં જ મોટું ગાબડું પડ્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને બ્રિજ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે અનેક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જર્જરિત બ્રિજની ગુણવત્તા પર પ્રશ્નો ઊભા થયા છે. ટ્રાફિક જામ અને અકસ્માત ટાળવા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સૂચના અપાઇ છે.
ઓરસંગ બ્રિજમાં ગાબડું: ભારે વરસાદમાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાયો
વલસાડમાં ભારે વરસાદ: લાખોનું નુકસાન, ખાનગી એજન્સીઓ પર ગંભીર આરોપ
વલસાડમાં શુક્રવારે થયેલા અતિભારે વરસાદને કારણે એમ.જી. રોડ અને નાની ખત્રીવાડ વિસ્તારની સેંકડો દુકાનોમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આ કુદરતી નહીં, પરંતુ માનવસર્જિત આપત્તિ હોવાનું વેપારીઓનું કહેવું છે. ખાનગી એજન્સીઓ દ્વારા ગટર અને જાહેર માર્ગોની સફાઈના નામે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો અને હવે સફાઈની જવાબદારી નગરપાલિકાના મર્યાદિત કર્મચારીઓ પર આવી પડી છે. પ્રીમોન્સૂન કામગીરીમાં બેદરકારી અને ગંગલી ખાડી પર ગેરકાયદે બાંધકામને કારણે પાણીનો નિકાલ ન થતાં દુકાનોમાં પાણી ભરાયા હતા. વેપારીઓએ તાત્કાલિક સ્લેબ તોડવાની ચીમકી ઉચ્ચારી છે.
વલસાડમાં ભારે વરસાદ: લાખોનું નુકસાન, ખાનગી એજન્સીઓ પર ગંભીર આરોપ
વડોદરામાં ચોમાસાની શરૂઆત: સામાન્ય વરસાદમાં જ બે સ્થળોએ પડ્યા મોટા ભૂવા
ચોમાસાની શરૂઆતમાં જ વડોદરાના સમા-સાવલી રોડ અને તાંદલજા વિસ્તારમાં બે મોટા ભૂવા પડતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. સ્થાનિકોના મતે રોડ, પાણી અને ડ્રેનેજના કામમાં હલકી ગુણવત્તા તથા ખોદકામ બાદ યોગ્ય પુરાણ ન થવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. સમા-સાવલી રોડ પર લાડલી પાર્ટી પ્લોટ નજીકનો ભૂવો હજુ સુધી સમારાયો નથી, જ્યારે તાંદલજાના સીફા કોમ્પ્લેક્સ પાસે પણ મોટો ભૂવો પડ્યો છે. ભારે વરસાદ પહેલાં જ આવી સ્થિતિને કારણે અકસ્માતનો ભય અને તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
વડોદરામાં ચોમાસાની શરૂઆત: સામાન્ય વરસાદમાં જ બે સ્થળોએ પડ્યા મોટા ભૂવા
વડોદરામાં ઓરેન્જ વોર્નિંગ: ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે, જે સાથે સિઝનનો કુલ વરસાદ અઢી ઈંચ થયો છે. હવે, હવામાન વિભાગે આવતીકાલ માટે ઓરેન્જ વોર્નિંગ જારી કરી છે, જેમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જૂન મહિનાથી ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં, વડોદરામાં અપેક્ષિત વરસાદ થયો નથી, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી રહ્યો છે. ગઈ રાતથી પડેલા છૂટાછવાયા ઝાપટાઓએ શહેરીજનોને ગરમી અને ઉકળાટમાંથી રાહત આપી છે.
વડોદરામાં ઓરેન્જ વોર્નિંગ: ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
ભરૂચનું સિલુડી ગામ બેટમાં ફેરવાયું, ઘરોમાં પાણી ભરાયા
વાલિયા પંથકમાં અતિભારે વરસાદને કારણે સિલુડી ગામ બેટમાં ફેરવાયું. ગામના માર્ગો અને 10થી વધુ ઘરોમાં પાણી ભરાયા, જેના લીધે લોકોની ઘરવખરીને વ્યાપક નુકશાન થયું. એક મકાનમાં ભુવો પડ્યો અને સ્કૂલ ફળિયામાં બે મકાનોની દીવાલ ધરાશાયી થઈ. આ પરિસ્થિતિમાં 50 જેટલા લોકોને ગામની શાળામાં સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરાયા, જ્યાં તેમનો બચાવ થયો. ગ્રામજનોએ મદદની અપીલ કરી છે.
ભરૂચનું સિલુડી ગામ બેટમાં ફેરવાયું, ઘરોમાં પાણી ભરાયા
આણંદના ભરોડા ગામમાં ભારે વરસાદ
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ભરોડા ગામમાં અતિ ભારે વરસાદના પગલે ગામના મુખ્ય માર્ગ, ચોક બજાર સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં બે થી ત્રણ ફૂટ સુધી પાણી ભરાયા હતા. આ જળબંબાકારની સ્થિતિને કારણે લોકોના રોજિંદા જીવન પર વ્યાપક અસર થઈ હતી, લોકોને ઘરની બહાર નીકળવામાં અને વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં ભારે મુશ્કેલી પડી હતી. વાહનચાલકોને પણ પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. જોકે, વરસાદ બંધ થતાં પાણી ઓસરી ગયા હતા અને સ્થાનિકોને રાહત મળી હતી.
આણંદના ભરોડા ગામમાં ભારે વરસાદ
ચિકદા - દેડિયાપાડામાં મેઘરાજા મહેરબાન
દેડિયાપાડા અને ચિકદામાં શુક્રવારે સવારથી જ ધોધમાર વરસાદ તુટી પડયો હતો આ બન્ને તાલુકાઓમાં રાહ જોવડાવ્યા બાદ મોડે મોડે થી અમૃત તુલ્ય વરસાદ વરસતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. ખેડૂતોએ કપાસ, મકાઈ, ડાંગર તુવેર અને શાકભાજીના પાકોનું વાવેતર કરી દીધું છે. દેડિયાપાડા ચાર રસ્તા ઉપર વરસાદી માહોલ નજરે પડે છે.
ચિકદા - દેડિયાપાડામાં મેઘરાજા મહેરબાન
છોટાઉદેપુરના નસવાડી B.Ed. કોલેજના વિદ્યાર્થીઓએ ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરની મુલાકાત લીધી
તા. 2-7-26ના રોજ GSFC, વડોદરા ખાતે આયોજિત Vibrant Gujarat Regional Conference અંતર્ગત યોજાયેલા International Trade Fairની મુલાકાત સરકારી B.Ed. કોલેજ, નસવાડીના સેમેસ્ટર-3ના તાલીમાર્થીઓ અને સ્ટાફે લીધી. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ઉદ્યોગ, Innovation, Technology અને Startup ecosystem અંગે વ્યવહારુ સમજણ આપવાનો હતો. Trade Fairમાં દેશ-વિદેશની વિવિધ કંપનીઓના સ્ટોલની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ આધુનિક ટેક્નોલોજી, નવીન ઉત્પાદનો, અને ઉદ્યોગ વિકાસની તકો વિશે ઉપયોગી માહિતી મેળવી. SSIP અને સ્ટાર્ટઅપ માટે મળતી સરકારી સહાય વિશે પણ જાણકારી મેળવી, જે અત્યંત પ્રેરણાદાયી સાબિત થઈ.
છોટાઉદેપુરના નસવાડી B.Ed. કોલેજના વિદ્યાર્થીઓએ ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરની મુલાકાત લીધી
છોટાઉદેપુરમાં વરસાદ ખેંચાતા મોંઘા બિયારણ ફેઇલ
છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો દ્વારા વાવણી કરાયેલા સોયાબીન, તુવેર અને કપાસ જેવા મોંઘા બિયારણ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. અલનીનોની અસરને કારણે જૂન મહિનામાં થયેલા વરસાદ બાદ લાંબા સમયથી વરસાદ ન વરસતા અનેક ગામોમાં મુખ્ય પાકોના બિયારણ ઉગીને બફાઈ ગયા છે. સિંચાઈની સુવિધાના અભાવે વરસાદ આધારિત ખેતી કરતા આ વિસ્તારોના ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. ખેડૂતોને નવેસરથી બિયારણ અને ખાતર ખરીદવા તેમજ ખેડાણ કરવા પર વધારાનો આર્થિક બોજ પડ્યો છે. બિયારણના ભાવ પણ વધ્યા છે. સરકાર પાસે સહાય પેકેજની માંગ કરી રહ્યા છે.
છોટાઉદેપુરમાં વરસાદ ખેંચાતા મોંઘા બિયારણ ફેઇલ
વડોદરાના ચાંદોદમાં રિસાયેલા મેઘરાજાને મનાવવા પરંપરાગત 'મેહુલિયો' નગરયાત્રાનું આયોજન.
ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદના અભાવે ખેતી અને ખેડૂતોની સ્થિતિ ચિંતાજનક બની છે. આવા કપરા સમયમાં, તીર્થક્ષેત્ર ચાંદોદના રહેવાસીઓએ વિજ્ઞાન અને ખેતીના પડકારો સામે પૌરાણિક આસ્થાનો સહારો લીધો. વરસાદને મનાવવા માટે પરંપરાગત 'મેહુલિયો' કાઢવાની વિધિનું આયોજન કરાયું. ગ્રામજનોએ માટીની મેહુલાની મૂર્તિ બનાવી, શણગારી, શોભાયાત્રા કાઢી. ઢોલ-ત્રાસાના ગુંજારવ સાથે મેઘરાજાને આજીજી કરી. ઠેક-ઠેકાણે માટીના મેહુલા પર જળ અર્પણ કરી પ્રાર્થના કરી. આ પ્રાચીન વિધિએ ચાંદોદમાં નવો આશાવાદ જગાવ્યો.
વડોદરાના ચાંદોદમાં રિસાયેલા મેઘરાજાને મનાવવા પરંપરાગત 'મેહુલિયો' નગરયાત્રાનું આયોજન.
છોટાઉદેપુરના ક્વાંટના દુર્ગમ આંબાડુંગર ખાતે કાચા ઝૂંપડામાં 8 વર્ષથી કાર્યરત પ્રાથમિક શાળા
છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના અંતરિયાળ આંબાડુંગર ગામના માનુકલા ફ્ળિયામાં 2018થી પ્રાથમિક શાળા એક કાચા ઝૂંપડામાં ચાલી રહી છે. 8 વર્ષ વીતી જવા છતાં પાકા મકાનની વ્યવસ્થા ન હોવાથી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઈ છે અને ભવિષ્ય જોખમાયું છે. હાલ 20 જેટલા બાળકો અભ્યાસ કરે છે. સ્થાનિકો પાકા મકાનની માંગ કરી રહ્યા છે, જ્યારે અધિકારીઓએ તપાસ હાથ ધર્યાનું જણાવ્યું છે. દુર્ગમ રસ્તો અને કોતરને કારણે શિક્ષકોને પણ મુશ્કેલી પડે છે.
છોટાઉદેપુરના ક્વાંટના દુર્ગમ આંબાડુંગર ખાતે કાચા ઝૂંપડામાં 8 વર્ષથી કાર્યરત પ્રાથમિક શાળા
પંચમહાલના વિદ્યાર્થીઓએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફ્રન્સની પ્રેરણાદાયી મુલાકાત લીધી
પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાંબુઘોડા તાલુકાના બીઆરએસ અને સરકારી કોલેજના વિદ્યાર્થીઓને વડોદરા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત બસ દ્વારા મુલાકાતે લઈ જવાયા. આ દરમિયાન, વિદ્યાર્થીઓએ 'સ્વદેશી અપનાવો, દેશને સમૃદ્ધ બનાવો' થીમ પર આધારિત વિવિધ સ્ટોલની મુલાકાત લીધી. સ્વદેશી ચીજ વસ્તુઓના લાભ અને ઉપલબ્ધતા અંગે સ્વયંસેવકો દ્વારા માહિતી અપાઈ. વિદ્યાર્થીઓએ લોકલ ફેર વોકલ પ્રતિજ્ઞા લીધી અને સ્વદેશી અપનાવવા અન્યને પ્રેરણા આપી. ઉત્સાહી શિક્ષકોએ મુલાકાતને જ્ઞાનવર્ધક બનાવી.
પંચમહાલના વિદ્યાર્થીઓએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફ્રન્સની પ્રેરણાદાયી મુલાકાત લીધી
લુણાવાડા ITI વિદ્યાર્થીઓને બસમાંથી ઉતાર્યા, વાઇબ્રન્ટ ગુજરાત પ્રવાસ રદ થતાં હાઇવે પર ચક્કાજામ
લુણાવાડા ખાતે સરકારી ITI માં આચાર્યની બેદરકારીને કારણે વાઇબ્રન્ટ ગુજરાતના શૈક્ષણિક પ્રવાસ માટે આવેલા વિદ્યાર્થીઓને બસમાંથી ઉતારી દેવાયા હતા. આશરે 230 વિદ્યાર્થીઓમાંથી માત્ર 50 ને જ વડોદરા મોકલાયા, જ્યારે બાકીનાને પ્રવાસમાં જવાની ના પાડી દેવાતાં રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ લુણાવાડા-સોનેલા હાઇવે પર ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. આ ઘટનામાં ITI લુણાવાડા વિદ્યાર્થી યુનિયને જવાબદાર આચાર્ય સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
લુણાવાડા ITI વિદ્યાર્થીઓને બસમાંથી ઉતાર્યા, વાઇબ્રન્ટ ગુજરાત પ્રવાસ રદ થતાં હાઇવે પર ચક્કાજામ
ભરૂચમાં વરસાદી માહોલ: તાડપત્રી, છત્રી અને રેઇનકોટના વેચાણમાં તેજી
ભરૂચ જિલ્લામાં, ખાસ કરીને ઝઘડિયા તાલુકામાં, છેલ્લા ત્રણ દિવસથી થયેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ વરસાદી માહોલને કારણે લોકોએ ગરમીથી રાહત મેળવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 8મી તારીખ સુધી ભારે વરસાદની સંભાવના છે, જેમાં 5મી અને 6ઠ્ઠી તારીખે અતિભારે વરસાદ પડી શકે છે. આ વરસાદી માહોલથી ખેતી પાકને ફાયદો થવાની આશા છે. ઉપરાંત, તાડપત્રી, છત્રી અને રેઇનકોટ જેવા ચોમાસા સંબંધિત વસ્તુઓના વેચાણમાં પણ વધારો જોવા મળ્યો છે, જેનાથી વેપારીઓ ખુશ છે.
ભરૂચમાં વરસાદી માહોલ: તાડપત્રી, છત્રી અને રેઇનકોટના વેચાણમાં તેજી
ખગોળશાસ્ત્ર: બ્રહ્માંડનો અભ્યાસ અને તેનો માનવજીવન પર પ્રભાવ
ખગોળશાસ્ત્ર એ વિજ્ઞાનની એક શાખા છે જે પૃથ્વીની બહારના બ્રહ્માંડ અને તેમાં રહેલી આકાશીય વસ્તુઓ, જેમ કે સૂર્ય, ચંદ્ર, તારાઓ, ગ્રહો, આકાશગંગા અને બ્લેક હોલનો અભ્યાસ કરે છે. આ પ્રાચીન વિદ્યાને મુખ્યત્વે અવલોકન અને સૈદ્ધાંતિક ખગોળશાસ્ત્ર એમ બે ભાગમાં વહેંચવામાં આવે છે. અવલોકન ખગોળશાસ્ત્રમાં ઉપકરણો વડે નિરીક્ષણ કરાય છે, જ્યારે સૈદ્ધાંતિક ખગોળશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર અને ગણિતના સિદ્ધાંતો પર આધારિત છે. ખગોળશાસ્ત્રે સમય, કેલેન્ડર, દિશા નિર્દેશન અને આધુનિક ટેકનોલોજી જેવી કે GPS, સેટેલાઇટ ટીવી અને હવામાન આગાહીના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે.
ખગોળશાસ્ત્ર: બ્રહ્માંડનો અભ્યાસ અને તેનો માનવજીવન પર પ્રભાવ
ભારતની AI નીતિ: માનવતાવાદી અભિગમ સાથે શિક્ષણમાં ક્રાંતિ
ભારતની AI નીતિ માત્ર ટેક્નોલોજી સુધી સીમિત નથી, પરંતુ શિક્ષણ, આરોગ્ય, કૃષિ જેવા ક્ષેત્રોમાં માનવકેન્દ્રિત વિકાસ પર ભાર મૂકે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, India AI Mission દ્વારા આ વિચારને વધુ મજબૂત બનાવાય છે. AI નો ઉપયોગ જીવનની ગુણવત્તા સુધારવા, જ્ઞાન સર્જન, નવીનતા અને કુશળ માનવબળના નિર્માણ માટે થશે. પારદર્શિતા, જવાબદારી અને માનવ અધિકારોને પ્રાધાન્ય આપી, ભારત વિશ્વને જવાબદાર AI નો માર્ગ બતાવશે.
ભારતની AI નીતિ: માનવતાવાદી અભિગમ સાથે શિક્ષણમાં ક્રાંતિ
ચોમાસુ: વરસાદ, સ્મરણો અને સાહિત્યનો સંગમ
ચોમાસુ માત્ર વરસાદનું આગમન નથી, પરંતુ સ્મરણો, પ્રેમ અને રોમાંસની ઋતુ છે. કવિ હરીન્દ્ર દવે, ધ્રુવ ભટ્ટ, રમેશ પારેખ, ખલીલ ધનતેજવી, કૃષ્ણ દવે, મિલિંદ ગઢવી, ગુલઝાર અને ઝવેરચંદ મેઘાણી જેવા અનેક કવિઓએ પોતાની રચનાઓમાં વરસાદના વિવિધ ભાવોને સુંદર રીતે વ્યક્ત કર્યા છે. કાલિદાસના 'મેઘદૂત'થી લઈને આધુનિક સાહિત્ય સુધી, વરસાદ અને સંદેશાનો સંબંધ અતિ પ્રાચીન છે. વરસાદના વૈજ્ઞાનિક રહસ્યો, જેમ કે ટીપાંનો આકાર અને 'પેટ્રીકોર'ની સુગંધ, પણ રસપ્રદ છે.
ચોમાસુ: વરસાદ, સ્મરણો અને સાહિત્યનો સંગમ
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 172 તાલુકામાં ધોધમાર વરસાદ
ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને નદી-જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 12.64 ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં 12.36 ઈંચ અને કેશોદમાં 10.94 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 10 તાલુકાઓમાં 5 થી 12.64 ઈંચ, જ્યારે 36 તાલુકાઓમાં દોઢથી પાંચ ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. વલસાડમાં પણ મુશળધાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.