વડોદરાના 759થી વધુ BAPS બાળકોનું ચાણસદમાં ગૌરવપૂર્ણ સન્માન
BAPS સંસ્થા દ્વારા પ.પૂ. મહંત સ્વામી મહારાજ રચિત ગ્રંથ સત્સંગ દીક્ષાના 315 સંસ્કૃત શ્લોકોનો એકસાથે મુખપાઠ કરીને અનોખો વિશ્વવિક્રમ સર્જાયો, જેની નોંધ ગિનિસ બુક ઓફ્ વર્લ્ડ રેકોર્ડમાં લેવાઈ છે. આ વિશ્વવિક્રમમાં વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 759થી વધુ બાળ-બાલિકાઓએ પણ ભાગ લીધો. ચાણસદ ખાતે યોજાયેલા વિશેષ સન્માન સમારોહમાં આ તમામ બાળ-બાલિકાઓને ગિનિસ બુક ઓફ્ વર્લ્ડ રેકોર્ડના પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કરાયા. આ સિદ્ધિ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારનું જીવંત ઉદાહરણ છે.
વડોદરાના 759થી વધુ BAPS બાળકોનું ચાણસદમાં ગૌરવપૂર્ણ સન્માન
ચિન્મય સાધના આશ્રમ ખાતે વિશ્રામ ભજન સંધ્યા યોજાઈ
પ. પૂ. ગુરુજી સ્વામી તેજોમયાનંદજીના જન્મદિવસ નિમિત્તે શહેરના ચિન્મય સાધના આશ્રમ ખાતે શ્રી ગુરુ ચરણોમાં વિશ્રામ ભજન સંધ્યા યોજાઈ હતી. ભજન મંડળીએ ભાવપૂર્ણ ભક્તિ ગીતોથી સમગ્ર વાતાવરણમાં શાંતિ, ભક્તિ અને કૃતજ્ઞતાનો માહોલ સર્જાયો હતો. સ્વામી દેવેશાનંદજી આશીર્વચન આપ્યા હતા. તેમણે સૌને સામૂહિક ભજન અને સત્સંગ દ્વારા પોતાની આધ્યાત્મિક સાધનાને વધુ ઊંડી કરવા પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમનું સમાપન દિવ્ય મહાઆરતી સાથે થયું હતું.
ચિન્મય સાધના આશ્રમ ખાતે વિશ્રામ ભજન સંધ્યા યોજાઈ
માર્જિન કોલ: લાલચ અને આંકડાઓની માયાજાળ વિશ્વને ગિરવે મૂકે છે
શેરબજારની દુનિયા માત્ર રોકાણ સુધી સીમિત નથી. વોલ સ્ટ્રીટના `વરુઓ` માટે ફ્યૂચર્સ, ઓપ્શન્સ, લેવરેજ અને ડેરિવેટિવ્ઝની એક જટિલ માયાજાળ છે. જ્યારે આમાં લાલચ ભળે છે, ત્યારે તે એક ટાઈમ-બોમ્બ બની જાય છે જે વૈશ્વિક અર્થવ્યવસ્થાને કાટમાળ બનાવી શકે છે. 2008ની મંદી આંધળી લાલચનું પરિણામ હતી. "માર્જિન કોલ" (Margin Call) ફિલ્મ આ જ વાસ્તવિકતાને દર્શાવે છે. તેમાં કોઈ એક્શન નથી, પરંતુ બોર્ડરૂમમાં કમ્પ્યુટરના આંકડાઓ ભયાવહ વાતાવરણ સર્જે છે.
માર્જિન કોલ: લાલચ અને આંકડાઓની માયાજાળ વિશ્વને ગિરવે મૂકે છે
ધોળકા સ્વામિનારાયણ મંદિરમાં પૂનમે ઘારીનો અન્નકૂટ ધરાવાયો
સ્વામિનારાયણ મંદિર ધોળકા(મુખ્ય)માં પવિત્ર જેઠ સુદ પૂનમના દિવસે 200 વર્ષ ત્યોહાર અનુલક્ષી મોરલી મનોહર દેવ ત્થા સ્થાપિત દેવોને 251 કિલો ઘારીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંદિરના મહંતસ્વામી સત્યસંકલ્પદાસજીના સંકલ્પથી જરૂરિયાતમંદ 200 બાળકોને સ્કૂલ બેગનુ વિતરણ કરાયું હતું.
ધોળકા સ્વામિનારાયણ મંદિરમાં પૂનમે ઘારીનો અન્નકૂટ ધરાવાયો
વટસાવિત્રીની ઉજવણી, પતિના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની પ્રાર્થના
તાપી જિલ્લાના વ્યારા, ડોલવણ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકામાં સોમવારે સૌભાગ્યવતી મહિલાઓએ વટ સાવિત્રીના પાવન પર્વની ઉજવણી કરી હતી. વ્યારા નર્મદેશ્વર મહાદેવ મંદિર તેમજ જુદાજુદા વિસ્તારોમાં સૌભાગ્યવતી મહિલાઓ દ્ધારા વડની પૂજા-અર્ચના કરી પતિના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી. છેવાડાના તાલુકાઓ નિઝર, ઉચ્છલ અને કુકરમુંડા તાલુકાઓના ગામોમાં વટસાવિત્રી પૂનમ નિમિત્તે મહિલાઓએ વ્રત રાખી પતિદેવોના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી.
વટસાવિત્રીની ઉજવણી, પતિના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની પ્રાર્થના
મહિલાઓએ ઉત્સાહભેર ઉજવ્યું વટ સાવિત્રી વ્રત
ગઈ કાલે(૨૯ જૂને) સમગ્ર રાજ્યમાં અખંડ સૌભાગ્યની કામના સાથે વટ સાવિત્રી વ્રતની પરંપરાગત અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પરિણીત મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુ અને સુખ-સમૃદ્ધિ માટે આખો દિવસ ઉપવાસ રાખ્યો હતો. સવારથી જ વડ પૂજન માટે વહેલી સવારથી જ મંદિરો અને સોસાયટીઓમાં મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી.
મહિલાઓએ ઉત્સાહભેર ઉજવ્યું વટ સાવિત્રી વ્રત
નૅક પેકેજિંગનો IPO 1 જુલાઈથી ખુલશે
નૅક પેકેજિંગ લિમિટેડ, પેકેજિંગ સોલ્યુશન્સ ક્ષેત્રની અગ્રણી કંપની, 1 જુલાઈ, 2026 થી ₹161 થી ₹170 ના પ્રાઇઝ બેન્ડ સાથે પોતાનો IPO લઈને આવી રહી છે. આ ઓફર 3 જુલાઈ, 2026 સુધી ખુલ્લી રહેશે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે 30 જૂન, 2026 ના રોજ બિડિંગ થશે. લાયક કર્મચારીઓને શેર દીઠ ₹16 નું ડિસ્કાઉન્ટ મળશે. કંપની ₹3,800 મિલિયન સુધીના નવા શેર અને પ્રમોટર્સ દ્વારા 35,00,000 શેર ઓફર કરશે. ફ્લેક્સિબલ બલ્ક PLWPP બેગ્સ ક્ષેત્રે કંપનીનો બજાર હિસ્સો 10.1% છે.
નૅક પેકેજિંગનો IPO 1 જુલાઈથી ખુલશે
વડોદરાના વાઘોડિયા નગરમાં કોમી એકતા સાથે તાજિયાનું વિસર્જન
વડોદરાના વાઘોડિયા નગર સહિત તાલુકામાં વિવિધ કલાત્મક તાજિયાના જુલૂસ નીકળ્યાં હતા. આ જુલૂસોમા આગળ અંગ કસરત અને કવાલીઓની ટુકડીઓ સાથે ઢોલ નગારા સાથે યા હુસેન યા હુસેનના ગગનભેદી સૂત્રોથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. આ વિસર્જનયાત્રા શાંતિથી કોમી એખલાસના વાતાવરણમાં સંપન્ન થઈ હતી.
વડોદરાના વાઘોડિયા નગરમાં કોમી એકતા સાથે તાજિયાનું વિસર્જન
નોકરિયાતવર્ગને મળશે પ્રગતિની તકો, આ રાશિઓ માટે દિવસ રહેશે શુભ.
આજ રોજ વિશાખા નક્ષત્રમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે નવી પ્રતિભા કેળવી યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. કન્યા રાશિ માટે રચનાત્મક પ્રવૃત્તિ અને સાહસથી સિદ્ધિ મળશે. કુંભ રાશિના નોકરિયાતવર્ગને પ્રગતિની તકો મળશે. મીન રાશિના જાતકોને નવી તકો આવશે પરંતુ મહેનત કરવી પડશે. અન્ય રાશિઓ માટે પણ દિવસ શુભ રહેશે, અંગત જીવન અને પરિવાર સાથે આનંદ મળશે.
નોકરિયાતવર્ગને મળશે પ્રગતિની તકો, આ રાશિઓ માટે દિવસ રહેશે શુભ.
બાયડ ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી જયંતીની ઉજવણી
બાયડ ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી જયંતી અને ગંગા દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગાયત્રી મહામંત્રના જાપ, ધ્યાન અને પંચ કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું. જ્યારે રાત્રિના સમયે દીપ યજ્ઞ સાથે સવા કરોડ ગાયત્રી ચાલીસા અનુષ્ઠાનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
બાયડ ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી જયંતીની ઉજવણી
મહોરમ નિમિત્તે હિંમતનગરમાં જૂલૂસ નિકળ્યું, સખ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
મુસ્લીમ સમાજના તહેવાર તરીકે ઓળખાતા મહોરમ નિમિત્તે શુક્રવારે હિંમતનગર સહિત ઈડર અને અન્ય સ્થળે જુલુસ અંતર્ગત તાજીયા કાઢવામાં આવ્યા હતા જે મુજબ હિંમતનગરના છાપરીયા, હાજીપુરા સહિત અન્ય મુસ્લીમ વિસ્તારોમાં નિકળેલુ જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. દરમિયાન જિલ્લા કલેકટર અને પોલીસવડાએ રૂબરૂ મુલાકાત લીધી હતી.
મહોરમ નિમિત્તે હિંમતનગરમાં જૂલૂસ નિકળ્યું, સખ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ગોધરામાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની ભવ્ય ઉજવણી
ગોધરા શહેરમાં મુસ્લિમ બિરાદારો દ્વારા મોહરમ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. 'નો જવાન હુસેની કમિટી' અને એકતા હુસેની કમિટી દ્વારા કલાત્મક રીતે શણગારવામાં આવેલા તાજીયાનું જુલુસ પોલીસ બંદોબસ્ત વચ્ચે મોડી સાંજે નીકળ્યું. 'યા હુસેન'ના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું. છકડાવાડ, ખાડી ફળિયા, સૈયદવાડા જેવા વિસ્તારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. શાંતિપૂર્ણ ઉજવણી બાદ રાત્રે તાજીયાને રામસાગર તળાવમાં ઠંડા કરવામાં આવ્યા.
ગોધરામાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની ભવ્ય ઉજવણી
પંચમહાલના શહેરા નગર-તાલુકામાં શાંતિ અને ભક્તિપૂર્ણ મોહરમ પર્વની ઉજવણી
શહેરા નગર અને તાલુકા પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની અદમ્ય આસ્થા અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી. નગરમાં પરંપરાગત રીતે નીકળેલા ભવ્ય જુલુસમાં 'યા હુસેન... યા હુસેન...' ના ગગનભેદી નારા ગુંજી ઉઠ્યા હતા. આ વર્ષે ૧૦ થી વધુ કલાત્મક તાજિયાઓ તૈયાર કરાયા હતા. હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કોમી એકતાના માહોલમાં તાજિયાઓની સ્થાપના થઈ. વિશેષ નમાઝ બાદ તાજિયાઓનું ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું.
પંચમહાલના શહેરા નગર-તાલુકામાં શાંતિ અને ભક્તિપૂર્ણ મોહરમ પર્વની ઉજવણી
ધંધુકા સહિત અમદાવાદ જિલ્લામાં પરંપરાગત રીતે મહોરમ પર્વની ભવ્ય ઉજવણી
અમદાવાદ જિલ્લામાં ધંધુકા, ધોળકા, સાણંદ સહિતના તમામ તાલુકાઓમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમ પર્વ શ્રદ્ધાપૂર્વક ઉજવાયો. કર્બલાના શહીદોના બલિદાનને યાદ કરી મજલિસો, માતમી જુલૂસ અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા. 'યા હુસૈન'ના નારા સાથે શાંતિપૂર્ણ માતમ મનાવી શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ. ધંધુકા અને આસપાસના ગામોમાં નીકળેલા તાજિયા અને ઝરી આકર્ષણનું કેન્દ્ર બન્યા. સમગ્ર જિલ્લામાં કોમી એકતા અને ભાઈચારાનું વાતાવરણ જોવા મળ્યું. પોલીસ બંદોબસ્ત હેઠળ શાંતિપૂર્ણ સંપન્ન.
ધંધુકા સહિત અમદાવાદ જિલ્લામાં પરંપરાગત રીતે મહોરમ પર્વની ભવ્ય ઉજવણી
સુરેન્દ્રનગરમાં 'યા..હુસેન' ના નારા સાથે મહોરમ પર્વની ધાર્મિક ઉજવણી
સુરેન્દ્રનગર જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ પવિત્ર મહોરમ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી. શહેરના રાજમાર્ગો પર તાજીયાના જુલૂસ નીકળ્યા હતા, જેમાં હજારો મુસ્લિમ આગેવાનો અને યુવાનો 'યા..હુસેન' ના નારા લગાવતા જોડાયા હતા. કરબલાના મેદાનમાં થયેલી હજરત ઇમામ હુસેનની શહાદતની યાદમાં આ પર્વ ઉજવાય છે. સમગ્ર ઝાલાવાડમાં લગભગ 50થી વધુ સ્થળોએ નાના-મોટા તાજીયા જુલૂસનું આયોજન કરાયું હતું. મુસ્લિમ મહિલાઓએ મરશીયા પણ ગાયા હતા.
સુરેન્દ્રનગરમાં 'યા..હુસેન' ના નારા સાથે મહોરમ પર્વની ધાર્મિક ઉજવણી
કબીરના ઉપદેશો: માનવીય મૂલ્યો અને સામાજિક સમરૂપતાનો માર્ગ
આધુનિક સ્પર્ધાત્મક સમાજમાં માનવીય સંબંધો તંગ બની રહ્યા છે, જેના કારણે હતાશા અને સામાજિક સમસ્યાઓ વધી રહી છે. મધ્યયુગીન સંત કબીર તેમના ઉપદેશો દ્વારા પાયાના માનવીય મૂલ્યો, જેમ કે દયા, ગરીબી, સમતા અને પરસ્પર પ્રેમ પર ભાર મૂકે છે. તેઓ નિરાકાર ઈશ્વરમાં માનતા અને સત્યને જ ઈશ્વર ગણાવતા. કબીર સંપ્રદાય, જાતિ, અને ધર્મના બાહ્ય આડંબરોનો વિરોધ કરી, માનવ પ્રેમ અને સહજીવનને સાચો ધર્મ ગણાવે છે. તેમનો સંદેશ છે કે સાચો ધર્મ કર્મકાંડોમાં નહીં, પરંતુ માનવતામાં રહેલો છે.
કબીરના ઉપદેશો: માનવીય મૂલ્યો અને સામાજિક સમરૂપતાનો માર્ગ
હિંમતનગરના હડિયોલમાં માતાજીનો પાટોત્સવ ઉજવાયો
હિંમતનગર તાલુકાના હડિયોલ ગામે તાજેતરમાં મહાકાળી મંદિરનો આઠમો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. પાટોત્સવ નિમિત્તે રાખવામાં આવેલ હવનમાં મોહનભાઈ વણકર, હિતેશભાઈ વણકરે ધર્મલાભ લીધો હતો. પાટોત્સવની પૂર્ણાહૂતિ નિમિત્તે સમાજના બંકિમભાઈ વણકરે ભોજનના દાતા તરીકે યોગદાન આપ્યું હતું. સાથો સાથ વણકર સમાજની 80થી વધુ દિકરીઓને શશિભાઈ ચૌહાણ પરિવાર દ્વારા સ્મૃતિભેટ આપવામાં આવી હતી. પાટોત્સવને સફળ બનાવવા મહાકાળી યુવક મંડળના યુવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
હિંમતનગરના હડિયોલમાં માતાજીનો પાટોત્સવ ઉજવાયો
ઇન્ડોનેશિયાનું પ્રમ્બાનન મંદિર: નવમી સદીની ભારતીય સંસ્કૃતિનું ભવ્ય પ્રતીક
ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર આવેલું પ્રમ્બાનન મંદિર, જે નવમી સદીમાં નિર્માણ પામ્યું હતું, તે ભારતીય વૈદિક સંસ્કૃતિના વૈશ્વિક પ્રભાવનું ઉત્તમ ઉદાહરણ છે. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર થયેલ આ પથ્થરનું ભવ્ય મંદિર, ત્રિમૂર્તિ - બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને સમર્પિત છે. તેની અદ્ભુત સ્થાપત્ય શૈલી, રામાયણ અને ભાગવત પુરાણની કોતરણીઓ પ્રાચીન કારીગરોની કળા અને કૌશલ્ય દર્શાવે છે. ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટોથી ક્ષતિગ્રસ્ત થયા બાદ, આ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે.
ઇન્ડોનેશિયાનું પ્રમ્બાનન મંદિર: નવમી સદીની ભારતીય સંસ્કૃતિનું ભવ્ય પ્રતીક
હાલોલ સ્થિત શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિરનો 12મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
પંચમહાલના હાલોલ નગરમાં કંજરી રોડ પર આવેલા શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિરનો 12મો પાટોત્સવ તા. 16 થી 18 જૂન દરમિયાન ત્રણ દિવસ ધામધૂમથી ઉજવાયો. આ ઉત્સવ શ્રી રામજી મંદિરના મહંત શ્રી પ.પૂ.રામશનરદાસજી મહારાજની પ્રેરણાથી યોજાયો હતો. જેમાં સુંદરકાંડના પાઠ, લોકડાયરો, શ્રી ગણેશ યજ્ઞ અને સહસ્ત્ર મોદક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ દંપતીઓએ યજ્ઞ કુંડમાં આહુતિ આપી હતી.
હાલોલ સ્થિત શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિરનો 12મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
દાહોદના ભોલે ભંડારા પરિવાર દ્વારા અમરનાથ સેવાના 25 વર્ષ પૂર્ણ
દાહોદના ભોલે ભંડારા પરિવાર દ્વારા પવિત્ર અમરનાથ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓની નિઃસ્વાર્થ સેવાના 25 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે, સંસ્થા દ્વારા એકત્ર કરાયેલી ખાદ્ય સામગ્રી અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ ભરેલી ટ્રકને જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે ભંડારા માટે રવાના કરવામાં આવી. છેલ્લા અઢી દાયકાથી આ પરિવાર દર વર્ષે અમરનાથ યાત્રીઓ માટે વિશાળ ભંડારાનું આયોજન કરે છે. આ સેવા પ્રવૃત્તિમાં દાહોદના શિવભક્તોના સહકારથી હજારો યાત્રીઓની સેવા કરવાનું સદભાગ્ય સાંપડ્યું છે.
દાહોદના ભોલે ભંડારા પરિવાર દ્વારા અમરનાથ સેવાના 25 વર્ષ પૂર્ણ
સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા મુકામે આઈ શ્રીરાજબાઈ માતાજીનાં આંગી પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી
દસાડા તાલુકાના ઝીંઝુવાડા મુકામે આઈ શ્રી રાજબાઈ માતાજીનાં 17માં આંગી પ્રતીષ્ઠા મહોત્સવની શ્રી રાજબાઈ માતાજી મંદીર અને ધર્મશાળા ટ્રસ્ટ અને સમસ્ત ઝીંઝુવાડા ગામ દ્વારા ધામધૂમથી ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. જેમા હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઊમટયો હતો.
સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા મુકામે આઈ શ્રીરાજબાઈ માતાજીનાં આંગી પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી
21 ફૂટની 1001 કિલોની વિશાળ ગદા જોઈ લોકો આશ્ચર્યચકિત
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના સાહોલ ગામમાં ગદાયાત્રા પહોંચી હતી, જ્યાં 21 ફૂટ લાંબી અને 1001 કિલો વજન ધરાવતી વિશાળ ગદાને જોઈ લોકો આશ્ચર્યચકિત થયા. આ ગદા રાજસ્થાનના ઉદયપુરમાં નિર્માણ પામી રહેલી 84 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમા સાથે સ્થાપિત થશે. ધર્મ જાગરણ અભિયાનના ભાગરૂપે દેશભરમાં ભ્રમણ કરી રહેલી આ ગદા યાત્રાનો હેતુ હનુમાનજી પ્રત્યેની લોક આસ્થાને વધુ પ્રબળ બનાવવાનો છે. બાળકો અને ભક્તોએ ગદાના દર્શન કરી ધન્યતા અનુભવી.
21 ફૂટની 1001 કિલોની વિશાળ ગદા જોઈ લોકો આશ્ચર્યચકિત
મહાદેવના દર્શન માટે ૧૨ વર્ષથી ઊભા, શિવ ભક્તની અનોખી જીદ
હરિયાણાના પાણીપતના દુલાલ ગિરિ જી મહારાજ ભગવાન શિવની ભક્તિમાં લીન છે. તેઓ ૧૨ વર્ષથી સતત ઊભા રહીને તપસ્યા કરી રહ્યા છે, જ્યાં સુધી મહાદેવ તેમને દર્શન ન આપે ત્યાં સુધી બેસવાનો ઇનકાર કર્યો છે. આ કઠોર ભક્તિના કારણે તેમના પગમાં રક્ત પરિભ્રમણની સમસ્યાને કારણે સોજો અને કાળાશ આવી ગઈ છે, જેનાથી તેમની તબિયત ચિંતાજનક બની રહી છે. દુલાલ ગિરિ જીએ ભગવાન શિવના સાક્ષાત્કાર માટે પોતાનો યુનિવર્સિટી અભ્યાસ પણ છોડી દીધો છે.
મહાદેવના દર્શન માટે ૧૨ વર્ષથી ઊભા, શિવ ભક્તની અનોખી જીદ
રામ મંદિર વિવાદ સિવાય આ ભારતીય મંદિરો પણ વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે
ભારતમાં રામ મંદિર સિવાય પણ અનેક ઐતિહાસિક મંદિરો કાનૂની અને સામાજિક વિવાદોના કેન્દ્રમાં રહ્યા છે. કાશી વિશ્વનાથ, કૃષ્ણ જન્મભૂમિ, કુતુબ મિનાર, ભોજશાળા, સબરીમાલા અને જગન્નાથ મંદિર જેવા સ્થળો પર માલિકી હક, ઐતિહાસિક દાવાઓ અને ધાર્મિક પરંપરાઓને લઈને વિવાદો ચાલી રહ્યા છે. આવા વિવાદો ઘણીવાર પુરાતત્વીય અહેવાલો, કોર્ટના દસ્તાવેજો અને ઐતિહાસિક સ્ત્રોતો પર આધારિત હોય છે, જે ભારતીય ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાની જટિલતા દર્શાવે છે.
રામ મંદિર વિવાદ સિવાય આ ભારતીય મંદિરો પણ વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે
શેરબજાર લાલ નિશાનમાં બંધ: સેન્સેક્સ 607 પોઇન્ટ ઘટ્યો, IT શેરો પર દબાણ
શુક્રવારે સ્થાનિક શેરબજારો IT શેરોમાં તીવ્ર ઘટાડાને કારણે દબાણ હેઠળ રહ્યા. એક્સેન્ચરના નબળા આવકના અનુમાનને પગલે IT ક્ષેત્રની વૃદ્ધિ અંગેની ચિંતાઓ વધી, જેની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી. સેન્સેક્સ 607.08 પોઇન્ટ ઘટીને 76,802 પર અને નિફ્ટી 50 154.90 પોઈન્ટ ઘટીને 24,013 પર બંધ રહ્યા. જોકે, વ્યાપક બજાર પ્રમાણમાં સ્થિતિસ્થાપક રહ્યું, જેમાં નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો. ઇન્ફોસિસ, TCS અને ટેક મહિન્દ્રા નિફ્ટી 50 પર મોટા ઘટાડામાં સામેલ હતા. IT, રિયલ્ટી, ઓટો અને તેલ-ગેસ ક્ષેત્રો પર દબાણ રહ્યું, જ્યારે ફાર્મા શેરોમાં ખરીદી જોવા મળી.
શેરબજાર લાલ નિશાનમાં બંધ: સેન્સેક્સ 607 પોઇન્ટ ઘટ્યો, IT શેરો પર દબાણ
Jio IPO ને મંજૂરી: રિલાયન્સ AGM માં મુકેશ અંબાણીની મોટી જાહેરાત
રિલાયન્સની AGM માં મુકેશ અંબાણીએ Jio IPO ને મંજૂરી મળ્યાની જાહેરાત કરી છે. Jio પ્લેટફોર્મ્સના બોર્ડે DRHP ને મંજૂરી આપી દીધી છે અને તે SEBI માં ફાઇલ કરવામાં આવશે. આકાશ, ઇશા અને અનંત આ IPO ની જવાબદારી સંભાળશે. Jio નો યુઝર બેઝ 524 મિલિયન સબ્સ્ક્રાઇબર્સને વટાવી ગયો છે, અને 5G યુઝર બેઝ 268 મિલિયનને પાર કરી ગયો છે. Jio પ્લેટફોર્મ્સે FY26 માં ₹1,46,885 કરોડની આવક કરી છે.
Jio IPO ને મંજૂરી: રિલાયન્સ AGM માં મુકેશ અંબાણીની મોટી જાહેરાત
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: 2 દિવસમાં ચાંદી 22,000 રૂપિયા સસ્તી
છેલ્લા બે દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. MCX પર, ચાંદીના ભાવમાં ₹6867નો મોટો ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનાના ભાવમાં આશરે ₹2500નો ઘટાડો થયો છે. માત્ર બે દિવસમાં, ચાંદી ₹22,246 પ્રતિ કિલો સસ્તી થઈ ગઈ છે. 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં ₹3,057 નો ઘટાડો થયો છે. વૈશ્વિક બજારોમાં ભારે વેચવાલીને કારણે ભારતીય બજારો પર તેની સીધી અસર પડી રહી છે.
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: 2 દિવસમાં ચાંદી 22,000 રૂપિયા સસ્તી
શેરબજારમાં તેજી પર વિરામ: સેન્સેક્સમાં 812 પોઇન્ટનો મોટો ઘટાડો
આજે શેરબજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો, જે પાંચ દિવસની તેજીને અટકાવી ગયો. BSE સેન્સેક્સ 812 પોઇન્ટ ઘટીને 76,597 પર ખુલ્યો, જ્યારે NSE નિફ્ટી 226 પોઇન્ટ ઘટીને 23,941 પર આવ્યો. વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો અને GIFT નિફ્ટીના નકારાત્મક ટ્રેડિંગને કારણે ભારતીય બજારોમાં દબાણ જોવા મળ્યું. ગુરુવારે બજાર તેજી સાથે બંધ થયું હતું, પરંતુ આજે ગેપ-ડાઉન ઓપનિંગ થયું.
શેરબજારમાં તેજી પર વિરામ: સેન્સેક્સમાં 812 પોઇન્ટનો મોટો ઘટાડો
TV સ્ટાર અનસ રશીદ પુત્રીને આપે છે ઇસ્લામિક શિક્ષણ, લોકો થયા પ્રભાવિત
દિયા ઔર બાતીના અભિનેતા અનસ રશીદ, જે સૂરજ રાઠીના નામથી પ્રખ્યાત છે, તાજેતરમાં પોતાની પુત્રી આયતને ઇસ્લામિક નવા વર્ષ અને મોહરમ વિશે શીખવતા જોવા મળ્યા. એક વીડિયોમાં, આયત પોતાના પિતાને ઇસ્લામિક નવા વર્ષ વિશે માહિતી આપતી અને સંદેશ આપતી જોવા મળી. અનસ રશીદએ પોતાની પુત્રીના જ્ઞાન અને સમજણ પર ગર્વ વ્યક્ત કર્યો અને તેની સાથે પ્રાર્થના પણ કરી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં લોકો અનસ રશીદને શ્રેષ્ઠ પિતા ગણાવી રહ્યા છે અને તેની પુત્રીના જ્ઞાનની પ્રશંસા કરી રહ્યા છે.
TV સ્ટાર અનસ રશીદ પુત્રીને આપે છે ઇસ્લામિક શિક્ષણ, લોકો થયા પ્રભાવિત
શેરબજારમાં તેજી: સેન્સેક્સ 254.36 પોઇન્ટ વધ્યો.
ગુરુવારે સ્થાનિક શેરબજાર મજબૂત રહ્યું, રિયલ્ટી, બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રોના શેરોમાં વધારો મુખ્ય કારણ હતું. સેન્સેક્સ 254.36 પોઇન્ટના વધારા સાથે 77,409 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 82.30 પોઇન્ટ વધીને 24,168 પર પહોંચ્યો. નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ વૃદ્ધિ જોવા મળી. નિફ્ટી ITમાં ઘટાડો થયો, જ્યારે PSU બેંક, મેટલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સે સારું પ્રદર્શન કર્યું. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર ક્રૂડ ઓઇલના ભાવ ઘટાડીને બજારને ટેકો આપી શકે છે.