ITR માં વિદેશી આવક જાહેર કરવી કેમ જરૂરી?
આકારણી વર્ષ 2026-27 માટે ITR ભરવાનું શરૂ થયું છે. કરદાતાઓએ તેમની તમામ આવક જાહેર કરવી ફરજિયાત છે, નહીંતર મોટો દંડ થઈ શકે છે. વિદેશી સંપત્તિ અને આવકની માહિતી ન આપવા બદલ Income Tax Act મુજબ કડક કાર્યવાહી થાય છે. Resident Or Ordinary Residentએ ITR-2 ફોર્મમાં 'Schedule FA' દ્વારા વિદેશી સંપત્તિની વિગતો આપવી પડે છે. જો બિઝનેસ કે પ્રોફેશનથી આવક હોય તો ITR-3 ફોર્મ વાપરવું પડે. બ્લેક મની (BMA) જેવા કાયદા હેઠળ વિદેશી સંપત્તિ જાહેર કરવી અનિવાર્ય છે. ડબલ ટેક્સેશન ટાળવા Foreign Tax Creditનો દાવો કરી શકાય છે. વિદેશી સંપત્તિની વિગતો કેલેન્ડર વર્ષ મુજબ આપવી પડે છે. માહિતી ન આપવા પર 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
ITR માં વિદેશી આવક જાહેર કરવી કેમ જરૂરી?
EPFO ના નિયમોમાં ફેરફાર: UAN એક્ટિવેશન હવે UMANG App થી થશે
EPFO દ્વારા તાજેતરમાં તેના નિયમોમાં મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) એક્ટિવેશન અને નવો UAN જનરેટ કરવાની સુવિધા EPFO વેબસાઈટ પરથી હટાવી દેવામાં આવી છે. આ બધી સેવાઓ હવે ફક્ત UMANG App પર ઉપલબ્ધ રહેશે. કર્મચારીઓએ હવે પોતાનો UAN એક્ટિવેટ કરાવવા અથવા નવો UAN મેળવવા માટે UMANG App નો ઉપયોગ કરવો પડશે, જેમાં આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશન પ્રક્રિયા દ્વારા ઓળખ ચકાસવામાં આવશે, જેથી એકાઉન્ટની સુરક્ષા વધુ મજબૂત બનશે.
EPFO ના નિયમોમાં ફેરફાર: UAN એક્ટિવેશન હવે UMANG App થી થશે
PFના 31 લાખથી વધુ નિષ્ક્રિય ખાતાઓ: ₹9,330 કરોડ ફસાયા, 3 નવી IIT બની જાય એટલી રકમ
દેશમાં પ્રોવિડન્ટ ફંડ (PF)ના 31 લાખથી વધુ ખાતા લાંબા સમયથી નિષ્ક્રિય પડ્યા છે, જેમાં કર્મચારીઓના ₹9,330 કરોડથી વધુની રકમ ફસાયેલી છે. આટલી મોટી રકમમાંથી દેશમાં 3 નવી IIT આરામથી બની શકે છે. એક નવી IIT બનાવવા પાછળ આશરે ₹2,934 કરોડનો ખર્ચ થાય છે. EPFOના આંકડા મુજબ 31 માર્ચ 2026 સુધીમાં 30,91,862 નિષ્ક્રિય ખાતા હતા, જે ગયા વર્ષ કરતાં નજીવા ઓછા છે. રકમ પણ ₹10,181 કરોડથી ઘટીને ₹9,330 કરોડ થઈ છે.
PFના 31 લાખથી વધુ નિષ્ક્રિય ખાતાઓ: ₹9,330 કરોડ ફસાયા, 3 નવી IIT બની જાય એટલી રકમ
EPFOના કરોડો ખાતાધારકો માટે સારા સમાચાર, આવતીકાલથી PF ખાતામાં જમા થશે વ્યાજ
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના કરોડો ખાતાધારકો માટે ખુશીના સમાચાર છે. EPFO આવતીકાલ, 3 જુલાઇથી કર્મચારીઓના PF ખાતાઓમાં વ્યાજ જમા કરવાની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યું છે. આગામી 15 દિવસની અંદર દેશભરના આશરે 7 કરોડ સક્રિય ખાતાઓમાં વ્યાજની રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવશે. EPFOએ નાણાકીય વર્ષ 2025-26 માટે 8.25 ટકાનો વ્યાજ દર નક્કી કર્યો છે, જે મુજબ વ્યાજની ગણતરી કરીને રકમ સીધી ખાતાઓમાં ક્રેડિટ થશે.
EPFOના કરોડો ખાતાધારકો માટે સારા સમાચાર, આવતીકાલથી PF ખાતામાં જમા થશે વ્યાજ
PPF, SCSS, SSY... નાની બચત યોજનાઓના વ્યાજ દરો અંગે સરકારની મોટી જાહેરાત
કેન્દ્ર સરકારે જુલાઈ-સપ્ટેમ્બર 2026 ક્વાર્ટર માટે તમામ નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. PPF, SCSS, સુકન્યા સમૃદ્ધિ યોજના, NSC, પોસ્ટ ઓફિસ MIS, KVP અને ફિક્સ્ડ ડિપોઝિટ સહિત તમામ યોજનાઓ પર અગાઉના ક્વાર્ટર જેટલું જ વ્યાજ મળશે. SCSS અને સુકન્યા યોજનામાં સૌથી વધુ 8.2% વ્યાજ યથાવત રાખવામાં આવ્યું છે. સરકાર સમર્થિત આ યોજનાઓ સુરક્ષિત રોકાણ, નિશ્ચિત વળતર અને કેટલીક યોજનાઓમાં ટેક્સ લાભ પણ આપે છે.
PPF, SCSS, SSY... નાની બચત યોજનાઓના વ્યાજ દરો અંગે સરકારની મોટી જાહેરાત
ભારતીયોએ 3 મહિનામાં 50,000 કિલો સોનું વેચ્યું!
ભારતમાં સોનાના ભાવમાં આવેલા ભારે ઘટાડાને કારણે લોકો ચિંતિત છે. આગામી સમયમાં ભાવ વધુ ઘટશે તેવા ડરથી, લોકો ઘરનું જૂનું સોનું વેચી રહ્યા છે. 'ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન' (IBJA) મુજબ, માત્ર 90 દિવસમાં ગ્રાહકોએ 50,000 કિલોગ્રામ (50 ટન) જૂનું સોનું વેચી દીધું, જે ગયા વર્ષ કરતાં 43% વધુ છે. લોકો સોનાના બદલે રોકડ (કેશ) લઈ રહ્યા છે. જાન્યુઆરી 2026 માં ₹1,80,000 પ્રતિ 10 ગ્રામ હતું, જે હવે ₹1,43,205 થયું છે, એટલે કે 5 મહિનામાં ₹36,000 નો ઘટાડો. આગામી દિવસોમાં ભાવ ₹1,35,000 અથવા ₹1,20,000 સુધી આવી શકે છે.
ભારતીયોએ 3 મહિનામાં 50,000 કિલો સોનું વેચ્યું!
જુલાઈમાં બેંકમાં 4 રવિવાર, 2 શનિવાર અને 6 વધારાની રજાઓ!
જુલાઈ 2026 માં બેંકો કુલ 12 દિવસ બંધ રહેશે, જેમાં 4 રવિવાર, બીજો અને ચોથો શનિવાર, અને 6 સ્થાનિક રજાઓ શામેલ છે. ઓનલાઈન બેંકિંગ, UPI અને ATM જેવી સેવાઓ યથાવત ચાલુ રહેશે. જોકે, આ 6 સ્થાનિક રજાઓ તમામ રાજ્યોમાં લાગુ નહીં થાય, પરંતુ ફક્ત સંબંધિત રાજ્યો અને શહેરો પૂરતી મર્યાદિત રહેશે. RBI ના નિયમો મુજબ, દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે. તેથી, જુલાઈ મહિનામાં કોઈ પણ બેંકિંગ કાર્ય માટે રજાઓની યાદી ચકાસીને અગાઉથી આયોજન કરવું હિતાવહ છે.
જુલાઈમાં બેંકમાં 4 રવિવાર, 2 શનિવાર અને 6 વધારાની રજાઓ!
1 જુલાઈથી 5 મોટા ફેરફારો: ગેસ સિલિન્ડર, કાર, આધાર કાર્ડ અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
1 જુલાઈથી તમારા જીવનમાં 5 મોટા ફેરફારો થવાના છે, જે તમારા ખિસ્સા પર સીધી અસર કરશે. LPG સિલિન્ડરના ભાવની સમીક્ષા થશે, જેના પર સૌની નજર રહેશે. ATF (એર ટર્બાઇન ફ્યુઅલ)ના દરોમાં ફેરફારથી હવાઈ મુસાફરી મોંઘી કે સસ્તી થઈ શકે છે. HDFC રેગેલિયા ગોલ્ડ ક્રેડિટ કાર્ડના ઘરેલું એરપોર્ટ લાઉન્જ ઉપયોગના નિયમો કડક થશે. KIA અને Tata Motors પોતાની કારોની કિંમતોમાં 2% અને 1.5% સુધીનો વધારો કરશે. આધાર કાર્ડમાં ઈમેલ આઈડી અપડેટ કરવા જેવી સેવા હવે 6 મહિના માટે મફત મળશે.
1 જુલાઈથી 5 મોટા ફેરફારો: ગેસ સિલિન્ડર, કાર, આધાર કાર્ડ અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
ગોલ્ડ લોનની માંગમાં ૮૪%નો વધારો!
ભારતમાં ગોલ્ડ લોનનું બજાર ઝડપથી વિસ્તરી રહ્યું છે. સોનાના વધતા ભાવ, મોટી લોનની માંગ અને બેંકો તેમજ એનબીએફસીની વધતી ભાગીદારી તેના મુખ્ય કારણો છે. હવે ગોલ્ડ લોન માત્ર કટોકટી માટે નહીં, પરંતુ રોજિંદી નાણાકીય જરૂરિયાતો માટે પણ લેવામાં આવી રહી છે. નાણાકીય વર્ષ 2023 થી 2026 દરમિયાન સરેરાશ ગોલ્ડ લોન રૂ. 98 હજારથી વધીને રૂ. 1.96 લાખ થઈ છે. દક્ષિણ ભારત ઉપરાંત ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ ગોલ્ડ લોનની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે.
ગોલ્ડ લોનની માંગમાં ૮૪%નો વધારો!
રેશન સિસ્ટમમાં મોટા ફેરફાર: હવે પ્રતિ વ્યક્તિ 7 કિલો, પરિવાર દીઠ મહત્તમ 35 કિલો અનાજ
દેશની જાહેર વિતરણ પ્રણાલી અને રેશનિંગ વ્યવસ્થામાં 2026 થી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા (સંશોધન) વિધેયક-2026 નો મુસદ્દો જાહેર કર્યો છે, જેમાં અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ અનાજ વિતરણની પદ્ધતિ બદલવાનો પ્રસ્તાવ છે. નવા નિયમ મુજબ, હવે પ્રતિ વ્યક્તિ 7 કિલોગ્રામ અનાજ મળશે, પરંતુ પરિવાર દીઠ મહત્તમ 35 કિલોગ્રામની મર્યાદા રહેશે. આ પગલાથી ખાદ્ય સુરક્ષા વધુ મજબૂત અને ન્યાયસંગત બનશે, અને મોટા પરિવારોને ફાયદો થશે. સરકાર આ પ્રસ્તાવ પર 13 જુલાઈ 2026 સુધી જનતા પાસેથી સૂચનો મંગાવી રહી છે.
રેશન સિસ્ટમમાં મોટા ફેરફાર: હવે પ્રતિ વ્યક્તિ 7 કિલો, પરિવાર દીઠ મહત્તમ 35 કિલો અનાજ
પૈસા ટકાવવા અને સુખી પરિવાર માટે વાસ્તુના 4 સરળ ઉપાય
સખત મહેનત કરવા છતાં ઘરમાં પૈસા ન ટકવા પાછળ ઘરનો વાસ્તુ દોષ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર આસપાસની ઉર્જાને સકારાત્મક રીતે નિયંત્રિત કરવાનો માર્ગ છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ધનની આવક વધારવા માટે વાસ્તુશાસ્ત્રના 4 પ્રભાવશાળી બદલાવ તમારી કિસ્મત ચમકાવી શકે છે. જેમાં ઉત્તર દિશાને ધનનું પ્રવેશદ્વાર બનાવવી, તિજોરીને યોગ્ય દિશામાં રાખવી, પાણીના નિકાસ પર નિયંત્રણ રાખવું અને મુખ્ય દ્વારને પોઝિટિવ એનર્જીનું કેન્દ્ર બનાવવાનો સમાવેશ થાય છે.
પૈસા ટકાવવા અને સુખી પરિવાર માટે વાસ્તુના 4 સરળ ઉપાય
1 જુલાઈથી બદલાશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર થશે સીધી અસર
જુલાઈ 2026ની શરૂઆત સાથે, દેશમાં અનેક નાણાકીય નિયમોમાં ફેરફાર થશે, જે સામાન્ય માણસના બજેટ પર અસર કરશે. આધાર કાર્ડમાં ઈમેલ અપડેટ હવે UIDAI દ્વારા મફત કરાશે. LPG, ATF, CNG અને PNGના ભાવમાં ફેરફારની શક્યતા છે. HDFC બેન્કના Regalia Gold Credit Card પર એરપોર્ટ લાઉન્જ સુવિધા માટે ખર્ચ મર્યાદા વધારાઈ છે. ગુજરાતમાં જુલાઈમાં બેન્કો નિયમિત રજાઓ સિવાય બંધ રહેશે નહીં, તેથી નાણાકીય કાર્યોનું આયોજન કરવું જરૂરી છે.
1 જુલાઈથી બદલાશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર થશે સીધી અસર
મોંઘવારી વચ્ચે અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારાને અપાઈ મંજૂરી.
અમદાવાદમાં સીએનજી (CNG) ના ભાવ ₹૮૮ ને પાર પહોંચતા રિક્ષા ચાલકોની આજીવિકા બચાવવા માટે ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરી અને રિક્ષા એસોસિયેશન વચ્ચેની બેઠકમાં ભાડા વધારાને મંજૂરી અપાઈ છે. અંદાજે ત્રણ વર્ષ બાદ થયેલા આ વધારા મુજબ, રિક્ષાનું લઘુત્તમ ભાડું (મિનિમમ ચાર્જ) ₹૨૦ થી વધારીને ₹૨૫ કરવામાં આવ્યું છે, જ્યારે રનિંગ ભાડું પ્રતિ કિલોમીટર ₹૧૫ ના બદલે હવેથી ₹૨૦ રહેશે. જોકે, યુનિયનની મિનિમમ ભાડું ₹૫૦ કરવાની માંગ સરકારે સ્વીકારી નથી. મોંઘવારીના આ સમયમાં રિક્ષા ચાલકોને મોટી રાહત મળી છે, જ્યારે સામાન્ય જનતાના ખિસ્સા પર આર્થિક બોજ વધશે.
મોંઘવારી વચ્ચે અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારાને અપાઈ મંજૂરી.
વૈશ્વિક તણાવ ઘટ્યો, RBI રેપો રેટ યથાવત રાખશે?
રિપોર્ટ અનુસાર, વૈશ્વિક ભૌગોલિક રાજકીય તણાવ ઘટવાને કારણે RBI આગામી મોનેટરી પોલિસી બેઠકોમાં રેપો રેટ 5.25% પર યથાવત રાખે તેવી શક્યતા છે. આંતરિક ફુગાવાનું દબાણ નિયંત્રણમાં હોવાથી અને આર્થિક ડેટા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાતને કારણે, સેન્ટ્રલ બેંક તાત્કાલિક નિર્ણયો લેવાને બદલે રાહ જોવાની નીતિ અપનાવશે. RBI ચોમાસા, ખાદ્ય ફુગાવા અને ક્રૂડ ઓઈલની કિંમતો જેવા પરિબળો પર નજર રાખશે. FY27 માટે GDP ગ્રોથ રેટનો અંદાજ ઘટાડીને 6.6% અને ફુગાવાનો અંદાજ વધારીને 5.1% કરાયો છે.
વૈશ્વિક તણાવ ઘટ્યો, RBI રેપો રેટ યથાવત રાખશે?
રેલવેમાં ટિકિટ વિના પ્રવાસ કરનારાને દંડની રકમ બમણી કરી રૂ. 500 કરાઈ
ભારતીય રેલવેમાં હવે ટિકિટ વિના પ્રવાસ વધુ મોંઘો થઈ ગયો છે. રેલવે મંત્રાલયના નવા નિયમો હેઠળ હવે ટિકિટ વિના પ્રવાસ કરવા પર અથવા યાત્રાનો પ્રવાસ કરવા પર લઘુત્તમ વધારાના દંડન રકમ બમણ કરી દેવાઈ છે, જે હવે રૂ. ૨૫૦થી વધારીને રૂ. ૫૦૦ કરવામાં આવી છે. રેલવેમાં પ્રવાસીઓની સુવિધા અને રેલવે સેવાઓના સુરક્ષિત સંચાલનને સુનિશ્ચિત કરવાના આશયથી રેલવે કાયદા હેઠળ દંડ અને દંડ સંબંધિત સુધારેલી જોગવાઈઓ લાગુ કરી દેવાઈ છે. આ જોગવાઈ મુજબ અનિયમિત પ્રવાસ સંબંધિત કેસોમાં પણ હવે રૂ. ૨૫૦ના બદલે રૂ. ૫૦૦નો લઘુત્તમ વધારાનો દંડ વસૂલવામાં આવશે
રેલવેમાં ટિકિટ વિના પ્રવાસ કરનારાને દંડની રકમ બમણી કરી રૂ. 500 કરાઈ
મોંઘવારીનો માર, સાબુ, ડિટર્જન્ટ, બિસ્કિટના ભાવ વધવાની તૈયારી
ક્રૂડ ઓઇલ ફુગાવો, પેકેજિંગ મટિરિયલ્સ અને ઇંધણના ખર્ચમાં વધારા વચ્ચે, સાબુ, ડિટર્જન્ટ, બિસ્કિટ, પેકેજ્ડ ફૂડ અને પીણાંના ભાવ વધી શકે છે. દેશની મુખ્ય એફએમસીજી કંપનીઓ વધતા ખર્ચને કારણે નફાકારકતા પરના દબાણને ઘટાડવા માટે તબક્કાવાર ભાવ વધારવાની તૈયારી કરી રહી છે.એફએમસીજી કંપનીના સુત્રોએ તાજેતરમાં સંકેત આપ્યો હતો કે તેઓએ પહેલાથી જ ભાવમાં ત્રણથી પાંચ ટકાનો વધારો કર્યો છે અને જો ખર્ચનું દબાણ ચાલુ રહે તો તે વધુ વધી શકે છે. કંપનીઓનું કહેવું છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૂરાજકીય તણાવે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓને અસર કરી છે, જેના કારણે કાચા માલ, લોજિસ્ટિક્સ અને પેકેજિંગ ખર્ચમાં વધારો થયો છે.
મોંઘવારીનો માર, સાબુ, ડિટર્જન્ટ, બિસ્કિટના ભાવ વધવાની તૈયારી
કરોડો નોકરિયાતોને EPF વ્યાજ દર 8.25% મળ્યો, આ મહિને જમા થશે
નાણાકીય વર્ષ 2025-26 માટે EPF પર 8.25% વ્યાજદરને સરકારે સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ આદેશ બાદ, દેશના 7 કરોડથી વધુ સક્રિય સભ્યોના ખાતામાં ચાલુ મહિનામાં જ વ્યાજની રકમ જમા થવાની શક્યતા છે. EPFO દ્વારા નક્કી કરાયેલા વ્યાજદરને નાણાં મંત્રાલય અંતિમ મંજૂરી આપ્યા બાદ જ ગ્રાહકોના ખાતામાં ક્રેડિટ થાય છે. નાણાં મંત્રાલયે 'સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ' (CBT) ની ભલામણ સ્વીકારી છે.
કરોડો નોકરિયાતોને EPF વ્યાજ દર 8.25% મળ્યો, આ મહિને જમા થશે
ચાંદીમાં 6300 રૂપિયાથી વધુનો ઘટાડો, સોનામાં પણ 1829 રૂપિયા તૂટ્યા
કોમોડિટી માર્કેટમાં રોકાણકારો માટે ચિંતાનો દિવસ રહ્યો, જ્યાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો. બજાર ખુલતાની સાથે જ વેચવાલીનું દબાણ વધ્યું, જેના કારણે રોકાણકારોને મોટો ફટકો પડ્યો. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર છતાં ભાવ ઘટ્યા. ગઇકાલે અમેરિકન શેરમાર્કેટમાં કડાકો અને આવનારી ફેડ રેટની માહિતીને કારણે રોકાણકારો સાવચેત બન્યા. સોનામાં 1829 રૂપિયા અને ચાંદીમાં 6307 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. આ અચાનક ઘટાડાથી બજારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ચાંદીમાં 6300 રૂપિયાથી વધુનો ઘટાડો, સોનામાં પણ 1829 રૂપિયા તૂટ્યા
RBI એ FCNR(B), NRE થાપણો પર વ્યાજ દરોની ટોચ મર્યાદા હટાવી.
ભારતમાં વિદેશી રોકાણ પ્રવાહને વેગ આપવા માટે, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ FCNR(B) અને NRE થાપણો પર વ્યાજ દરોની ટોચ મર્યાદા હટાવી દીધી છે. આ પગલાંનો હેતુ બેંકોને નોન-રેસીડેન્ટ ઈન્ડિયન્સ (NRIs) પાસેથી વિદેશી કરન્સી જમા મેળવવામાં વધુ સુગમતા પૂરી પાડવાનો છે. ત્રણ અને પાંચ વર્ષની પાકતી મુદતવાળી નવી FCNR(B) થાપણો માટે, આ મર્યાદા ૧૭ જૂન, ૨૦૨૬ થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી ઉઠાવી લેવામાં આવી છે. આનાથી વિદેશી ભંડોળના પ્રવાહમાં વધારો થવાની અપેક્ષા છે.
RBI એ FCNR(B), NRE થાપણો પર વ્યાજ દરોની ટોચ મર્યાદા હટાવી.
અમદાવાદમાં ઘર ખરીદવું થશે મોંઘું: 1 જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં 5-10% નો વધારો
CREDAI Ahmedabad દ્વારા 400થી વધુ બિલ્ડરોની બેઠક બાદ પ્રોપર્ટીના ભાવ વધારવાનો નિર્ણય લેવાયો છે. 1 જુલાઈ 2026થી નવા પ્રોજેક્ટ્સમાં 10% અને ચાલુ પ્રોજેક્ટ્સમાં 5% સુધીનો ભાવ વધારો લાગુ પડશે. મધ્ય પૂર્વમાં યુદ્ધ, કન્સ્ટ્રક્શન રૉ મટીરિયલ્સના ભાવમાં 30-50% નો વધારો અને સપ્લાયમાં અનિયમિતતા મુખ્ય કારણ છે. પરપ્રાંતીય મજૂરોની અછતથી બાંધકામની ગતિ ધીમી પડી છે, જે RERA નિયમો હેઠળ દંડનું જોખમ ઊભું કરે છે. 30 જૂન સુધી ભાવો સ્થિર રહેશે, ત્યારબાદ વધારો અમલી બનશે.
અમદાવાદમાં ઘર ખરીદવું થશે મોંઘું: 1 જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં 5-10% નો વધારો
ભારતમાં E22 થી E30 ફ્યૂઅલ: જાણો ડ્યુટી ઘટાડાનો સામાન્ય ગ્રાહક પર અસર
ભારતમાં પ્રદૂષણ ઘટાડવા અને ક્રૂડ ઓઇલ આયાત પર નિર્ભરતા ઓછી કરવા સરકાર ઇથેનોલ બ્લેન્ડિંગ તરફ આગળ વધી રહી છે. કેન્દ્ર સરકારે E22 થી E30 પેટ્રોલ મિશ્રણો પર એક્સાઇઝ ડ્યુટીમાંથી મુક્તિ આપી છે, જે ગ્રીન ફ્યુઅલના વપરાશને વેગ આપશે. જોકે, આ ફેરફાર સામાન્ય વાહન ચાલકો માટે તાત્કાલિક આર્થિક લાભ નહીં આપે. હાલ મોટાભાગના પેટ્રોલ પંપ પર E20 ઇંધણ ઉપલબ્ધ છે, જ્યારે E22-E30 ફ્યૂઅલ ફ્લેક્સ-ફ્યૂઅલ વાહનો (FFVs) માટે જ હશે. ઉચ્ચ ઇથેનોલ મિશ્રણ જૂના વાહનોમાં એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે અને માઇલેજ ઘટાડી શકે છે, તેમજ વોરંટી રદ થવાનું જોખમ પણ ઊભું કરી શકે છે.
ભારતમાં E22 થી E30 ફ્યૂઅલ: જાણો ડ્યુટી ઘટાડાનો સામાન્ય ગ્રાહક પર અસર
RBIનો સપાટો: 6 મહિના માટે આ બેન્ક પર પ્રતિબંધો, જાણો ગ્રાહકોના પૈસાનું શું થશે?
ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ Mogaveera Cooperative Bankની કથળતી આર્થિક સ્થિતિને પગલે તેના પર છ મહિના માટે પ્રતિબંધો લગાવ્યા છે. ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને, ખાતાધારકો હવે પોતાના ખાતામાંથી મહત્તમ 1 લાખ રૂપિયા સુધીની જ રકમ ઉપાડી શકશે. બેંક હવે નવી લોન આપી શકશે નહીં, રોકાણ કરી શકશે નહીં કે નવી જવાબદારીઓ સ્વીકારી શકશે નહીં. આ પ્રતિબંધો 12 જૂનથી અમલમાં આવ્યા છે અને તેની નિયમિત સમીક્ષા કરવામાં આવશે. RBI બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે સંપર્કમાં છે.
RBIનો સપાટો: 6 મહિના માટે આ બેન્ક પર પ્રતિબંધો, જાણો ગ્રાહકોના પૈસાનું શું થશે?
મે માસમાં SIPમાં 54.16 લાખ નવા ખાતા: રોકાણ રૂા. 30,000 કરોડથી વધુ
સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (સિપ) ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ માટે સૌથી મજબૂત વૃદ્ધિ એન્જિન રહ્યું છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ચોખ્ખો પ્રવાહ મે મહિનામાં ૪૦% ઘટીને રૂા. ૨૨,૯૦૮ કરોડના એક વર્ષના નીચલા સ્તરે પહોંચ્યો. જોકે, સિપ દ્વારા નિયમિત રોકાણોની ગતિ મજબૂત રહી છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી) દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, સિપ રોકાણો સતત ત્રીજા મહિને રૂ. ૩૦,૦૦૦ કરોડથી ઉપર રહ્યા છે.
મે માસમાં SIPમાં 54.16 લાખ નવા ખાતા: રોકાણ રૂા. 30,000 કરોડથી વધુ
ફુગાવો વધીને 3.94 ટકા મોંઘવારીના મહાચક્રમાં પીસાતી પ્રજા
ખાડી યુદ્ધ અને અલ નીનો આગામી સમયમાં અર્થતંત્ર પર વધુ વિપરીત અસર પાડશે- પેટ્રોલ-ડીઝલ અને એલપીજીના ભાવવધારાના કારણે અનાજ, ફળો, ખાદ્યતેલ, શાકભાજીથી માંડીને શેમ્પુ સુધીની ચીજો પણ મોંઘી થઈ- રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ માટે ફુગાવાનો અંદાજ 4.6 ટકાથી વધારીને 5.1 ટકા કર્યોનવી દિલ્હી : દેશમાં કાળઝાળ ગરમીની સાથે-સાથે હવે મોંઘવારી પણ માઝા મૂકી રહી છે.
ફુગાવો વધીને 3.94 ટકા મોંઘવારીના મહાચક્રમાં પીસાતી પ્રજા
મે મહિનામાં રિટેલ મોંઘવારી દર 3.93% થયો, કઈ વસ્તુઓના ભાવ વધ્યા?
દેશમાં મે મહિનામાં રિટેલ મોંઘવારી દર વધીને 3.93% પર પહોંચ્યો છે, જે એપ્રિલમાં 3.48% હતો. પેટ્રોલ-ડીઝલ અને ખાદ્ય પદાર્થોના ભાવ વધારાને કારણે આ વૃદ્ધિ જોવા મળી છે. ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક (CPI) આધારિત ખાદ્ય મોંઘવારી 4.78% રહી. આ ભાવ વધારાની અસર ગરીબ અને મધ્યમ વર્ગ પર વધુ પડી રહી છે. કિંમતી ધાતુના આભૂષણ, ટામેટા, આદુ જેવી વસ્તુઓના ભાવ વધ્યા છે, જ્યારે બટાકા, વટાણા, કાર અને જીપના ભાવ સ્થિર રહ્યા છે. RBIએ મોંઘવારી દર 5.1% રહેવાનો અંદાજ મુક્યો હતો.
મે મહિનામાં રિટેલ મોંઘવારી દર 3.93% થયો, કઈ વસ્તુઓના ભાવ વધ્યા?
EPFO PF ઉપાડ નિયમોમાં ફેરફાર: ખાતાધારકોને મળશે મોટી રાહત
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ PF ક્લેમ અને ઉપાડની પ્રક્રિયાને સરળ બનાવવા મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. હવે, વિશેષ પરિસ્થિતિઓમાં પાત્ર સભ્યો 100% PF રકમ ઉપાડવા માટે કારણ જણાવ્યા વગર અરજી કરી શકશે. અગાઉ, લાંબા સમયની બેરોજગારી, મહામારી જેવી પરિસ્થિતિઓમાં કારણ અને દસ્તાવેજો ફરજિયાત હતા. નવા નિયમથી ક્લેમ પ્રક્રિયા ઝડપી બનશે અને નામંજૂરીના કેસ ઘટશે. જોકે, સામાન્ય પરિસ્થિતિઓમાં 75% સુધીની જ ઉપાડ શક્ય રહેશે.
EPFO PF ઉપાડ નિયમોમાં ફેરફાર: ખાતાધારકોને મળશે મોટી રાહત
શૈક્ષણિક સામાનની કિંમતોમાં 25% સુધીનો વધારો, વાલીઓની ચિંતા વધી
નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલા જ બાળકો માટે જરૂરી સ્ટેશનરી જેવી કે નોટબુક, ચોપડા, લંચ બોક્સ, કંપાસ બોક્સ, વોટર બોટલ, પેન અને પેન્સિલના ભાવમાં 10% થી 25% સુધીનો નોંધપાત્ર વધારો થયો છે. આ ભાવવધારાને કારણે વાલીઓને સરેરાશ 50 થી 200 રૂપિયા વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે, જે સામાન્ય પરિવારો માટે શિક્ષણનો ભાર વધારી રહ્યો છે. પ્લાસ્ટિક અને કાગળના વધેલા ભાવ, તેમજ વૈશ્વિક પરિબળો અને ચીનથી આવતા કાચા માલના ભાવમાં થયેલો વધારો આ મોંઘવારી પાછળ મુખ્ય કારણો છે.
શૈક્ષણિક સામાનની કિંમતોમાં 25% સુધીનો વધારો, વાલીઓની ચિંતા વધી
યુવાનો શેરબજારના નશામાં: શોર્ટકટથી પૈસા કમાવવાની લાલચમાં જોખમી રોકાણ
ડ્રગ્સ અને દારૂની જેમ યુવાનોમાં શેરબજારનો નશો વધી રહ્યો છે. શોર્ટ કટથી રાતોરાત લખપતિ બનવાની લાલચમાં, શેરબજારની જાણકારી વગર રોકાણ કરતા યુવાનોની સંખ્યા વધી રહી છે. 2019માં 30થી ઓછી ઉંમરના 23% રોકાણકારો હતા, જે 2024-25માં 40% થયા છે. F&Oમાં 90-93% રોકાણકારો પૈસા ગુમાવે છે, તેમ છતાં યુવાનો તેમાં રોકાણ કરી રહ્યા છે. IPO અને પેની સ્ટોક્સમાં પણ જોખમી રોકાણ વધી રહ્યું છે. નોકરીની અનિશ્ચિતતા અને બેરોજગારી પણ આનું કારણ છે. લોન લઈને રોકાણ કરતા 50% યુવાનો દેવાના ચક્રવ્યૂહમાં ફસાય છે.
યુવાનો શેરબજારના નશામાં: શોર્ટકટથી પૈસા કમાવવાની લાલચમાં જોખમી રોકાણ
ઘરેલું સિલિન્ડરમાં 29 રૂપિયાનો વધારો, ત્રણ મહિનામાં 89 રૂપિયા મોંઘો, વિપક્ષનો 'વસૂલી સરકાર' પર પ્રહાર
પશ્ચિમ એશિયામાં ઈરાન-અમેરિકા તણાવને કારણે ભારતમાં LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો થયો છે. આજે, 7 જૂન, 2026 ના રોજ, ઘરેલું સિલિન્ડર 29 રૂપિયા મોંઘું થયું છે, જેની સીધી અસર સામાન્ય જનતા પર પડી રહી છે. 28 ફેબ્રુઆરી, 2026 થી શરૂ થયેલા યુદ્ધ પછી આ બીજી વખત ભાવવધારો છે; માર્ચમાં 60 રૂપિયાનો વધારો થયો હતો. વિપક્ષ, જેમાં કૉંગ્રેસ, TMC, અને SP નો સમાવેશ થાય છે, સરકાર પર 'વસૂલી સરકાર' હોવાનો આરોપ લગાવી રહ્યું છે. કૉંગ્રેસે ત્રણ મહિનામાં કુલ 89 રૂપિયાના વધારા પર સવાલો ઉઠાવ્યા છે.