વડોદરાના 759થી વધુ BAPS બાળકોનું ચાણસદમાં ગૌરવપૂર્ણ સન્માન
BAPS સંસ્થા દ્વારા પ.પૂ. મહંત સ્વામી મહારાજ રચિત ગ્રંથ સત્સંગ દીક્ષાના 315 સંસ્કૃત શ્લોકોનો એકસાથે મુખપાઠ કરીને અનોખો વિશ્વવિક્રમ સર્જાયો, જેની નોંધ ગિનિસ બુક ઓફ્ વર્લ્ડ રેકોર્ડમાં લેવાઈ છે. આ વિશ્વવિક્રમમાં વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 759થી વધુ બાળ-બાલિકાઓએ પણ ભાગ લીધો. ચાણસદ ખાતે યોજાયેલા વિશેષ સન્માન સમારોહમાં આ તમામ બાળ-બાલિકાઓને ગિનિસ બુક ઓફ્ વર્લ્ડ રેકોર્ડના પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કરાયા. આ સિદ્ધિ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારનું જીવંત ઉદાહરણ છે.
વડોદરાના 759થી વધુ BAPS બાળકોનું ચાણસદમાં ગૌરવપૂર્ણ સન્માન
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં દાહોદના બામ્બુ ક્રાફ્ટે રોકડો કમાવ્યો
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2026માં દાહોદ જિલ્લાના પરંપરાગત બામ્બુ ક્રાફ્ટે મુલાકાતીઓનું વિશેષ ધ્યાન આકર્ષ્યું છે. જ્યોત સખી મંડળ દ્વારા તૈયાર કરાયેલા વાંસમાંથી બનેલા હસ્તકલાના ઉત્પાદનોને ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. સમિટ દરમિયાન માત્ર બે દિવસમાં રૂ. 50 હજારનું વેચાણ થયું અને રૂ. 30 હજારના નવા ઓર્ડર પણ મળ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટોલની મુલાકાત લઈ કારીગરોના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં દાહોદના બામ્બુ ક્રાફ્ટે રોકડો કમાવ્યો
ચિન્મય સાધના આશ્રમ ખાતે વિશ્રામ ભજન સંધ્યા યોજાઈ
પ. પૂ. ગુરુજી સ્વામી તેજોમયાનંદજીના જન્મદિવસ નિમિત્તે શહેરના ચિન્મય સાધના આશ્રમ ખાતે શ્રી ગુરુ ચરણોમાં વિશ્રામ ભજન સંધ્યા યોજાઈ હતી. ભજન મંડળીએ ભાવપૂર્ણ ભક્તિ ગીતોથી સમગ્ર વાતાવરણમાં શાંતિ, ભક્તિ અને કૃતજ્ઞતાનો માહોલ સર્જાયો હતો. સ્વામી દેવેશાનંદજી આશીર્વચન આપ્યા હતા. તેમણે સૌને સામૂહિક ભજન અને સત્સંગ દ્વારા પોતાની આધ્યાત્મિક સાધનાને વધુ ઊંડી કરવા પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમનું સમાપન દિવ્ય મહાઆરતી સાથે થયું હતું.
ચિન્મય સાધના આશ્રમ ખાતે વિશ્રામ ભજન સંધ્યા યોજાઈ
વડોદરામાં શ્રી કલ્યાણ કો. ઓ. ક્રેડીટ સો. લિ.ની 52મી વાર્ષિક સામાન્ય સભા સફળતાપૂર્વક યોજાઈ
શ્રી કલ્યાણ કો. ઓ. ક્રેડીટ સો. લી.ની 52મી વાર્ષિક સામાન્ય સભા નિઝામપુરા ખાતે રજનીભાઈ એમ. જોષીની અધ્યક્ષસ્થાને યોજાઈ. પ્રમુખ વાસુદેવ નરોત્તમદાસ પટેલે સ્વાગત પ્રવચન કર્યું. મંડળીના ડાયરેક્ટરોએ રજુ કરેલા તમામ એજન્ડા સર્વાનુમતે મંજૂર થયા. મંત્રી યોગેશભાઈ રાવજીભાઈ પટેલે આભારવિધિ કરી સભાસદોને પ્રોત્સાહન આપ્યું. ચાલુ વર્ષે 12 ટકા ડિવિડન્ડ અને નિયમિત સભાસદોને રૂ. એક હજારની ગિફ્ટ આપવાનું નક્કી થયું. મિટિંગ રાષ્ટ્રગીત સાથે સંપન્ન થઈ.
વડોદરામાં શ્રી કલ્યાણ કો. ઓ. ક્રેડીટ સો. લિ.ની 52મી વાર્ષિક સામાન્ય સભા સફળતાપૂર્વક યોજાઈ
દાહોદના સંજેલી APMC ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરાઈ
સંજેલી APMC ખાતે આજ રોજ ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની બિનહરીફ્ વરણી કરવામાં આવી હતી, જેમાં ભાજપ તરફી પેનલમાંથી બે નામ આવતા સર્વાનુમતે નક્કી કરાયા હતાં, જેમાં વામાં આવી હતી. ચેરમેન તરીકે ખેડૂત પેનલમાંથી સુરેન્દ્રસિંહ સોલંકી અને વાઇસ ચેરમેન તરીકે વેપારી વિભાગમાંથી પંકજકુમાર કોઠારીના નામો રજૂ કરાયા હતા અને તેઓની સર્વાનુમતે બિનહરીફ્ વરણી કરાઈ હતી. આ પ્રસંગે પ્રભારી ભરતભાઈ શ્રીમાળી હાજર રહ્યા હતા.
દાહોદના સંજેલી APMC ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરાઈ
લુણાવાડા ITI વિદ્યાર્થીઓને બસમાંથી ઉતાર્યા, વાઇબ્રન્ટ ગુજરાત પ્રવાસ રદ થતાં હાઇવે પર ચક્કાજામ
લુણાવાડા ખાતે સરકારી ITI માં આચાર્યની બેદરકારીને કારણે વાઇબ્રન્ટ ગુજરાતના શૈક્ષણિક પ્રવાસ માટે આવેલા વિદ્યાર્થીઓને બસમાંથી ઉતારી દેવાયા હતા. આશરે 230 વિદ્યાર્થીઓમાંથી માત્ર 50 ને જ વડોદરા મોકલાયા, જ્યારે બાકીનાને પ્રવાસમાં જવાની ના પાડી દેવાતાં રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ લુણાવાડા-સોનેલા હાઇવે પર ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. આ ઘટનામાં ITI લુણાવાડા વિદ્યાર્થી યુનિયને જવાબદાર આચાર્ય સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
લુણાવાડા ITI વિદ્યાર્થીઓને બસમાંથી ઉતાર્યા, વાઇબ્રન્ટ ગુજરાત પ્રવાસ રદ થતાં હાઇવે પર ચક્કાજામ
મેનેજરોએ સર્જનાત્મક વિનાશ અને ગતિશીલ ક્ષમતાઓ દ્વારા ભવિષ્યની તૈયારીની સમીક્ષા કરવી જોઈએ
ઝડપથી બદલાતી દુનિયામાં, વ્યવસાયોએ સર્જનાત્મક વિનાશ અને ગતિશીલ ક્ષમતાઓને અપનાવીને ટકી રહેવું જોઈએ. સર્જનાત્મક વિનાશ, જોસેફ શુમ્પીટર દ્વારા રજૂ કરાયેલ, સ્પર્ધકો કરતા પહેલા જૂના ઉત્પાદનો અને વ્યવસાય મોડેલોને નવીન સાથે બદલવાનો ઉલ્લેખ કરે છે. ગતિશીલ ક્ષમતાઓ, ડેવિડ ટીસ દ્વારા વિકસિત, ઝડપથી બદલાતા વાતાવરણમાં તેની મુખ્ય ક્ષમતાઓને એકીકૃત કરવા, બનાવવા અને ફરીથી ગોઠવવાની કંપનીની ક્ષમતા છે. રિલાયન્સ, ટાઇટન અને બજાજ ઓટો જેવા ઉદાહરણો દર્શાવે છે કે કેવી રીતે કંપનીઓ પરિવર્તનને સ્વીકારીને અને નવીનતા લાવીને સફળ રહી શકે છે. મેનેજરોએ નિયમિતપણે ભવિષ્યના ઉત્પાદનો, ગ્રાહક અપેક્ષાઓ અને તકનીકી ફેરફારો વિશે પ્રશ્નો પૂછીને "ભવિષ્યની તૈયારી સમીક્ષા" કરવી જોઈએ.
મેનેજરોએ સર્જનાત્મક વિનાશ અને ગતિશીલ ક્ષમતાઓ દ્વારા ભવિષ્યની તૈયારીની સમીક્ષા કરવી જોઈએ
ફુજીફિલ્મ અને ગુજરાત સરકાર વચ્ચે ધોલેરામાં સેમિકન્ડક્ટર મટિરિયલ પ્લાન્ટ માટે MoUs
જાપાનીઝ કંપની ફુજીફિલ્મે ગુજરાત સરકાર સાથે ધોલેરામાં સેમિકન્ડક્ટર મટિરિયલ્સ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપિત કરવાની શક્યતા શોધવા માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ પહેલ ભારતના વિકસતા સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે ધોલેરાને ભારતના પ્રથમ “સેમિકોન સિટી” તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. ફુજીફિલ્મ વૈશ્વિક સ્તરે સ્થાપિત ટેકનોલોજીઓને ભારતીય બજારમાં લાવશે, જે વૈશ્વિક પુરવઠા ક્ષમતા અને સ્થાનિક માંગ વચ્ચેનું અંતર ઘટાડશે. આ પ્રોજેક્ટ "મેક ઇન ઇન્ડિયા" પહેલ સાથે સુસંગત છે અને ભારતના ટેકનોલોજીકલ સ્વનિર્ભરતાને મજબૂત બનાવશે.
ફુજીફિલ્મ અને ગુજરાત સરકાર વચ્ચે ધોલેરામાં સેમિકન્ડક્ટર મટિરિયલ પ્લાન્ટ માટે MoUs
ધોળકા સ્વામિનારાયણ મંદિરમાં પૂનમે ઘારીનો અન્નકૂટ ધરાવાયો
સ્વામિનારાયણ મંદિર ધોળકા(મુખ્ય)માં પવિત્ર જેઠ સુદ પૂનમના દિવસે 200 વર્ષ ત્યોહાર અનુલક્ષી મોરલી મનોહર દેવ ત્થા સ્થાપિત દેવોને 251 કિલો ઘારીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંદિરના મહંતસ્વામી સત્યસંકલ્પદાસજીના સંકલ્પથી જરૂરિયાતમંદ 200 બાળકોને સ્કૂલ બેગનુ વિતરણ કરાયું હતું.
ધોળકા સ્વામિનારાયણ મંદિરમાં પૂનમે ઘારીનો અન્નકૂટ ધરાવાયો
આચાર-વિચારની શુદ્ધતા: સફળ બિઝનેસ માટે નિર્ભય નેતૃત્વની ચાવી
સફળ બિઝનેસ લીડર બનવા માટે, આચાર-વિચારની શુદ્ધતા અત્યંત મહત્વપૂર્ણ છે. આધુનિક કોર્પોરેટ જગતમાં, લીડર્સ ઘણીવાર ભય, તણાવ અને અસુરક્ષા અનુભવે છે. મહાભારતના શાંતિપર્વ મુજબ, જે લીડર કોઈનું અહિત નથી કરતો, તેને દુષ્ટોનો ભય સતાવતો નથી. શુદ્ધ આચરણ અને પારદર્શિતા લીડરને નિર્ભય બનાવે છે, જે ટીમને પણ પ્રેરણા આપે છે. 'Win-Win' સિચ્યુએશન અને આંતરિક સકારાત્મક કલ્ચર એ નિર્ભય નેતૃત્વના મુખ્ય પાસાં છે.
આચાર-વિચારની શુદ્ધતા: સફળ બિઝનેસ માટે નિર્ભય નેતૃત્વની ચાવી
અશાંતિ: યુદ્ધ અને વેપારનું વિકરાળ ગઠબંધન
આધુનિક વિશ્વમાં સરહદો માત્ર ભૌગોલિક રેખાઓ નથી, પરંતુ અબજો ડોલરના નફા પર ચાલતી ફેક્ટરીઓના દરવાજા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડ્વાઇટ આઇઝનહોવરે દાયકાઓ પહેલાં ચેતવણી આપી હતી કે `ડર' પર આધારિત લશ્કરી ઉદ્યોગ ક્યારેય શાંતિ ઈચ્છતો નથી. આ ચેતવણી આજે `કોન્ફ્લિક્ટ ઇકોનોમી' (સંઘર્ષના અર્થશાસ્ત્ર) બની ગઈ છે, જ્યાં યુદ્ધ માત્ર ઘટના નથી, પરંતુ એક કાયમી `આબોહવા' છે. આવા સંઘર્ષો ધીમે ધીમે એક સંપૂર્ણ `અર્થવ્યવસ્થા'માં ફેરવાય છે, જેમાં કોન્ટ્રાક્ટરો, કન્સલ્ટન્ટ્સ અને સપ્લાય ચેઇનનો સમાવેશ થાય છે. આ વિકરાળ ગઠબંધન શાંતિને માત્ર એક ભાવના માને છે, જ્યારે અશાંતિ પાસે નક્કર, અબજો ડોલરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે.
અશાંતિ: યુદ્ધ અને વેપારનું વિકરાળ ગઠબંધન
વટસાવિત્રીની ઉજવણી, પતિના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની પ્રાર્થના
તાપી જિલ્લાના વ્યારા, ડોલવણ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકામાં સોમવારે સૌભાગ્યવતી મહિલાઓએ વટ સાવિત્રીના પાવન પર્વની ઉજવણી કરી હતી. વ્યારા નર્મદેશ્વર મહાદેવ મંદિર તેમજ જુદાજુદા વિસ્તારોમાં સૌભાગ્યવતી મહિલાઓ દ્ધારા વડની પૂજા-અર્ચના કરી પતિના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી. છેવાડાના તાલુકાઓ નિઝર, ઉચ્છલ અને કુકરમુંડા તાલુકાઓના ગામોમાં વટસાવિત્રી પૂનમ નિમિત્તે મહિલાઓએ વ્રત રાખી પતિદેવોના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી.
વટસાવિત્રીની ઉજવણી, પતિના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની પ્રાર્થના
મહિલાઓએ ઉત્સાહભેર ઉજવ્યું વટ સાવિત્રી વ્રત
ગઈ કાલે(૨૯ જૂને) સમગ્ર રાજ્યમાં અખંડ સૌભાગ્યની કામના સાથે વટ સાવિત્રી વ્રતની પરંપરાગત અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પરિણીત મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુ અને સુખ-સમૃદ્ધિ માટે આખો દિવસ ઉપવાસ રાખ્યો હતો. સવારથી જ વડ પૂજન માટે વહેલી સવારથી જ મંદિરો અને સોસાયટીઓમાં મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી.
મહિલાઓએ ઉત્સાહભેર ઉજવ્યું વટ સાવિત્રી વ્રત
ભારતમાં મોડી રાત્રે ફૂડ ડિલિવરીમાં 12-15%નો નોંધપાત્ર ઉછાળો
ભારતીય જીવનશૈલીમાં પરિવર્તનને કારણે, ખાસ કરીને યુવા પેઢીમાં, રાત્રિના સમયે ફૂડ ડિલિવરી ઓર્ડર્સમાં 12 થી 15 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. ડિજિટલ યુગ, ઓનલાઈન વર્કિંગ અને મનોરંજનના નવા માધ્યમોને કારણે લોકો મોડી રાત સુધી સક્રિય રહે છે. ફૂડ ડિલિવરી એપ્સના ડેટા મુજબ, 'નાઈટ ઓલ્સ'ની સંખ્યા વધી છે, જેના કારણે રેસ્ટોરાં પણ હવે પોતાની કામગીરી મધરાત સુધી લંબાવી રહ્યા છે. પિઝા, બર્ગર, કોલ્ડ ડ્રિંક્સ અને ડિઝર્ટ્સ સૌથી વધુ પસંદ કરાય છે.
ભારતમાં મોડી રાત્રે ફૂડ ડિલિવરીમાં 12-15%નો નોંધપાત્ર ઉછાળો
નૅક પેકેજિંગનો IPO 1 જુલાઈથી ખુલશે
નૅક પેકેજિંગ લિમિટેડ, પેકેજિંગ સોલ્યુશન્સ ક્ષેત્રની અગ્રણી કંપની, 1 જુલાઈ, 2026 થી ₹161 થી ₹170 ના પ્રાઇઝ બેન્ડ સાથે પોતાનો IPO લઈને આવી રહી છે. આ ઓફર 3 જુલાઈ, 2026 સુધી ખુલ્લી રહેશે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે 30 જૂન, 2026 ના રોજ બિડિંગ થશે. લાયક કર્મચારીઓને શેર દીઠ ₹16 નું ડિસ્કાઉન્ટ મળશે. કંપની ₹3,800 મિલિયન સુધીના નવા શેર અને પ્રમોટર્સ દ્વારા 35,00,000 શેર ઓફર કરશે. ફ્લેક્સિબલ બલ્ક PLWPP બેગ્સ ક્ષેત્રે કંપનીનો બજાર હિસ્સો 10.1% છે.
નૅક પેકેજિંગનો IPO 1 જુલાઈથી ખુલશે
RBI અમદાવાદ દ્વારા જૂનાગઢમાં MSME અવેરનેસ કાર્યક્રમ
આજે MSME દિવસ ના અવસર પર RBI અમદાવાદ દ્વારા જુનાગઢના MSME માટે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ જેમાં RBIના AGM તથા અિધકારીઓ ઉપરાંત,SIDBI,SBI,BOB વગેરે બેન્કોના ઉચ્ચ અધિકારીઓ અને ચેમ્બર ઓફ્ કોમર્સના હોદેદારો અને મોટી સંખ્યામાં MSME વેપાર ઉદ્યોગના લોકો ઉપસ્થિત રહ્યા હતા.RBI દ્વારા ગાઈડલાઈન તથા વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. બેન્કો દ્વારા લોનની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.
RBI અમદાવાદ દ્વારા જૂનાગઢમાં MSME અવેરનેસ કાર્યક્રમ
વડોદરાના વાઘોડિયા નગરમાં કોમી એકતા સાથે તાજિયાનું વિસર્જન
વડોદરાના વાઘોડિયા નગર સહિત તાલુકામાં વિવિધ કલાત્મક તાજિયાના જુલૂસ નીકળ્યાં હતા. આ જુલૂસોમા આગળ અંગ કસરત અને કવાલીઓની ટુકડીઓ સાથે ઢોલ નગારા સાથે યા હુસેન યા હુસેનના ગગનભેદી સૂત્રોથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. આ વિસર્જનયાત્રા શાંતિથી કોમી એખલાસના વાતાવરણમાં સંપન્ન થઈ હતી.
વડોદરાના વાઘોડિયા નગરમાં કોમી એકતા સાથે તાજિયાનું વિસર્જન
નોકરિયાતવર્ગને મળશે પ્રગતિની તકો, આ રાશિઓ માટે દિવસ રહેશે શુભ.
આજ રોજ વિશાખા નક્ષત્રમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે નવી પ્રતિભા કેળવી યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. કન્યા રાશિ માટે રચનાત્મક પ્રવૃત્તિ અને સાહસથી સિદ્ધિ મળશે. કુંભ રાશિના નોકરિયાતવર્ગને પ્રગતિની તકો મળશે. મીન રાશિના જાતકોને નવી તકો આવશે પરંતુ મહેનત કરવી પડશે. અન્ય રાશિઓ માટે પણ દિવસ શુભ રહેશે, અંગત જીવન અને પરિવાર સાથે આનંદ મળશે.
નોકરિયાતવર્ગને મળશે પ્રગતિની તકો, આ રાશિઓ માટે દિવસ રહેશે શુભ.
બાયડ ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી જયંતીની ઉજવણી
બાયડ ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી જયંતી અને ગંગા દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગાયત્રી મહામંત્રના જાપ, ધ્યાન અને પંચ કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું. જ્યારે રાત્રિના સમયે દીપ યજ્ઞ સાથે સવા કરોડ ગાયત્રી ચાલીસા અનુષ્ઠાનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
બાયડ ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી જયંતીની ઉજવણી
મહોરમ નિમિત્તે હિંમતનગરમાં જૂલૂસ નિકળ્યું, સખ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
મુસ્લીમ સમાજના તહેવાર તરીકે ઓળખાતા મહોરમ નિમિત્તે શુક્રવારે હિંમતનગર સહિત ઈડર અને અન્ય સ્થળે જુલુસ અંતર્ગત તાજીયા કાઢવામાં આવ્યા હતા જે મુજબ હિંમતનગરના છાપરીયા, હાજીપુરા સહિત અન્ય મુસ્લીમ વિસ્તારોમાં નિકળેલુ જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. દરમિયાન જિલ્લા કલેકટર અને પોલીસવડાએ રૂબરૂ મુલાકાત લીધી હતી.
મહોરમ નિમિત્તે હિંમતનગરમાં જૂલૂસ નિકળ્યું, સખ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ગોધરામાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની ભવ્ય ઉજવણી
ગોધરા શહેરમાં મુસ્લિમ બિરાદારો દ્વારા મોહરમ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. 'નો જવાન હુસેની કમિટી' અને એકતા હુસેની કમિટી દ્વારા કલાત્મક રીતે શણગારવામાં આવેલા તાજીયાનું જુલુસ પોલીસ બંદોબસ્ત વચ્ચે મોડી સાંજે નીકળ્યું. 'યા હુસેન'ના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું. છકડાવાડ, ખાડી ફળિયા, સૈયદવાડા જેવા વિસ્તારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. શાંતિપૂર્ણ ઉજવણી બાદ રાત્રે તાજીયાને રામસાગર તળાવમાં ઠંડા કરવામાં આવ્યા.
ગોધરામાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની ભવ્ય ઉજવણી
પંચમહાલના શહેરા નગર-તાલુકામાં શાંતિ અને ભક્તિપૂર્ણ મોહરમ પર્વની ઉજવણી
શહેરા નગર અને તાલુકા પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની અદમ્ય આસ્થા અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી. નગરમાં પરંપરાગત રીતે નીકળેલા ભવ્ય જુલુસમાં 'યા હુસેન... યા હુસેન...' ના ગગનભેદી નારા ગુંજી ઉઠ્યા હતા. આ વર્ષે ૧૦ થી વધુ કલાત્મક તાજિયાઓ તૈયાર કરાયા હતા. હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કોમી એકતાના માહોલમાં તાજિયાઓની સ્થાપના થઈ. વિશેષ નમાઝ બાદ તાજિયાઓનું ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું.
પંચમહાલના શહેરા નગર-તાલુકામાં શાંતિ અને ભક્તિપૂર્ણ મોહરમ પર્વની ઉજવણી
ધંધુકા સહિત અમદાવાદ જિલ્લામાં પરંપરાગત રીતે મહોરમ પર્વની ભવ્ય ઉજવણી
અમદાવાદ જિલ્લામાં ધંધુકા, ધોળકા, સાણંદ સહિતના તમામ તાલુકાઓમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમ પર્વ શ્રદ્ધાપૂર્વક ઉજવાયો. કર્બલાના શહીદોના બલિદાનને યાદ કરી મજલિસો, માતમી જુલૂસ અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા. 'યા હુસૈન'ના નારા સાથે શાંતિપૂર્ણ માતમ મનાવી શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ. ધંધુકા અને આસપાસના ગામોમાં નીકળેલા તાજિયા અને ઝરી આકર્ષણનું કેન્દ્ર બન્યા. સમગ્ર જિલ્લામાં કોમી એકતા અને ભાઈચારાનું વાતાવરણ જોવા મળ્યું. પોલીસ બંદોબસ્ત હેઠળ શાંતિપૂર્ણ સંપન્ન.
ધંધુકા સહિત અમદાવાદ જિલ્લામાં પરંપરાગત રીતે મહોરમ પર્વની ભવ્ય ઉજવણી
સુરેન્દ્રનગરમાં 'યા..હુસેન' ના નારા સાથે મહોરમ પર્વની ધાર્મિક ઉજવણી
સુરેન્દ્રનગર જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ પવિત્ર મહોરમ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી. શહેરના રાજમાર્ગો પર તાજીયાના જુલૂસ નીકળ્યા હતા, જેમાં હજારો મુસ્લિમ આગેવાનો અને યુવાનો 'યા..હુસેન' ના નારા લગાવતા જોડાયા હતા. કરબલાના મેદાનમાં થયેલી હજરત ઇમામ હુસેનની શહાદતની યાદમાં આ પર્વ ઉજવાય છે. સમગ્ર ઝાલાવાડમાં લગભગ 50થી વધુ સ્થળોએ નાના-મોટા તાજીયા જુલૂસનું આયોજન કરાયું હતું. મુસ્લિમ મહિલાઓએ મરશીયા પણ ગાયા હતા.
સુરેન્દ્રનગરમાં 'યા..હુસેન' ના નારા સાથે મહોરમ પર્વની ધાર્મિક ઉજવણી
કબીરના ઉપદેશો: માનવીય મૂલ્યો અને સામાજિક સમરૂપતાનો માર્ગ
આધુનિક સ્પર્ધાત્મક સમાજમાં માનવીય સંબંધો તંગ બની રહ્યા છે, જેના કારણે હતાશા અને સામાજિક સમસ્યાઓ વધી રહી છે. મધ્યયુગીન સંત કબીર તેમના ઉપદેશો દ્વારા પાયાના માનવીય મૂલ્યો, જેમ કે દયા, ગરીબી, સમતા અને પરસ્પર પ્રેમ પર ભાર મૂકે છે. તેઓ નિરાકાર ઈશ્વરમાં માનતા અને સત્યને જ ઈશ્વર ગણાવતા. કબીર સંપ્રદાય, જાતિ, અને ધર્મના બાહ્ય આડંબરોનો વિરોધ કરી, માનવ પ્રેમ અને સહજીવનને સાચો ધર્મ ગણાવે છે. તેમનો સંદેશ છે કે સાચો ધર્મ કર્મકાંડોમાં નહીં, પરંતુ માનવતામાં રહેલો છે.
કબીરના ઉપદેશો: માનવીય મૂલ્યો અને સામાજિક સમરૂપતાનો માર્ગ
હિંમતનગરમાં ટેકાના ભાવે મકાઈ-બાજરી ખરીદીમાં ખેડૂતોને પડતી મુશ્કેલી
હિંમતનગર નજીક ટેકાના ભાવે મકાઈ અને બાજરીની ખરીદી કેન્દ્ર પર ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખરીદી પ્રક્રિયામાં વિલંબ, એકસાથે માત્ર ત્રણ ટ્રેક્ટર લેવાતાં લાંબી કતાર, અને ગોડાઉનમાં અનાજ ખાલી કર્યા બાદ બેગમાં ભરવાની ધીમી ગતિને કારણે ખેડૂતોને કલાકો સુધી રાહ જોવી પડે છે. ખરીદ કેન્દ્ર પર બેસવાની, છાંયડાની કે પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂત આલમમાં રોષ વ્યાપ્યો છે.
હિંમતનગરમાં ટેકાના ભાવે મકાઈ-બાજરી ખરીદીમાં ખેડૂતોને પડતી મુશ્કેલી
હિંમતનગરના હડિયોલમાં માતાજીનો પાટોત્સવ ઉજવાયો
હિંમતનગર તાલુકાના હડિયોલ ગામે તાજેતરમાં મહાકાળી મંદિરનો આઠમો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. પાટોત્સવ નિમિત્તે રાખવામાં આવેલ હવનમાં મોહનભાઈ વણકર, હિતેશભાઈ વણકરે ધર્મલાભ લીધો હતો. પાટોત્સવની પૂર્ણાહૂતિ નિમિત્તે સમાજના બંકિમભાઈ વણકરે ભોજનના દાતા તરીકે યોગદાન આપ્યું હતું. સાથો સાથ વણકર સમાજની 80થી વધુ દિકરીઓને શશિભાઈ ચૌહાણ પરિવાર દ્વારા સ્મૃતિભેટ આપવામાં આવી હતી. પાટોત્સવને સફળ બનાવવા મહાકાળી યુવક મંડળના યુવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
હિંમતનગરના હડિયોલમાં માતાજીનો પાટોત્સવ ઉજવાયો
ઇન્ડોનેશિયાનું પ્રમ્બાનન મંદિર: નવમી સદીની ભારતીય સંસ્કૃતિનું ભવ્ય પ્રતીક
ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર આવેલું પ્રમ્બાનન મંદિર, જે નવમી સદીમાં નિર્માણ પામ્યું હતું, તે ભારતીય વૈદિક સંસ્કૃતિના વૈશ્વિક પ્રભાવનું ઉત્તમ ઉદાહરણ છે. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર થયેલ આ પથ્થરનું ભવ્ય મંદિર, ત્રિમૂર્તિ - બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને સમર્પિત છે. તેની અદ્ભુત સ્થાપત્ય શૈલી, રામાયણ અને ભાગવત પુરાણની કોતરણીઓ પ્રાચીન કારીગરોની કળા અને કૌશલ્ય દર્શાવે છે. ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટોથી ક્ષતિગ્રસ્ત થયા બાદ, આ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે.
ઇન્ડોનેશિયાનું પ્રમ્બાનન મંદિર: નવમી સદીની ભારતીય સંસ્કૃતિનું ભવ્ય પ્રતીક
હાલોલ સ્થિત શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિરનો 12મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
પંચમહાલના હાલોલ નગરમાં કંજરી રોડ પર આવેલા શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિરનો 12મો પાટોત્સવ તા. 16 થી 18 જૂન દરમિયાન ત્રણ દિવસ ધામધૂમથી ઉજવાયો. આ ઉત્સવ શ્રી રામજી મંદિરના મહંત શ્રી પ.પૂ.રામશનરદાસજી મહારાજની પ્રેરણાથી યોજાયો હતો. જેમાં સુંદરકાંડના પાઠ, લોકડાયરો, શ્રી ગણેશ યજ્ઞ અને સહસ્ત્ર મોદક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ દંપતીઓએ યજ્ઞ કુંડમાં આહુતિ આપી હતી.
હાલોલ સ્થિત શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિરનો 12મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
દાહોદના ભોલે ભંડારા પરિવાર દ્વારા અમરનાથ સેવાના 25 વર્ષ પૂર્ણ
દાહોદના ભોલે ભંડારા પરિવાર દ્વારા પવિત્ર અમરનાથ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓની નિઃસ્વાર્થ સેવાના 25 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે, સંસ્થા દ્વારા એકત્ર કરાયેલી ખાદ્ય સામગ્રી અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ ભરેલી ટ્રકને જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે ભંડારા માટે રવાના કરવામાં આવી. છેલ્લા અઢી દાયકાથી આ પરિવાર દર વર્ષે અમરનાથ યાત્રીઓ માટે વિશાળ ભંડારાનું આયોજન કરે છે. આ સેવા પ્રવૃત્તિમાં દાહોદના શિવભક્તોના સહકારથી હજારો યાત્રીઓની સેવા કરવાનું સદભાગ્ય સાંપડ્યું છે.