LIVE: અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 25થી વધુ મૃતદેહો મળ્યાના અહેવાલ
Published on: 12th June, 2025
અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેક ઓફ કરતી વખતે એર ઈન્ડિયાનું અમદાવાદ થી લંડન જતું પ્લેન ક્રેશ થયાની ઘટના સામે આવી છે. વિમાન બપોરે 1.38 વાગ્યે ટેક ઓફ થયું હતું અને માત્ર બે મિનિટમાં 1.40 વાગ્યે દુર્ઘટના બની. આ ઘટના મેઘાણીનગરમાં ઘોડા કેમ્પ નજીક આઈજીબી કમ્પાઉન્ડમાં બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના લોકોમા ભય ફેલાઈ ગયો હતો.