ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાને 3 રાફેલ તોડી પાડ્યાનો દાવો ખોટો, દસોલ્ટના CEOએ ખોલી પોલ
Published on: 15th June, 2025
પહલગામ હુમલાનો બદલો લેતાં ભારતે પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાંઓને નષ્ટ કરતાં ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. આ ઓપરેશન સિંદૂરમાં પોતાની હારને જીતમાં બદલવા માટે પાકિસ્તાન વિવિધ દાવા કરી રહ્યું હતું. જેમાં તેનો ભારતના ત્રણ રાફેલ સહિત પાંચ ફાઈટર પ્લેન તોડી પાડ્યા હોવાનો દાવો પોકળ સાબિત થયો છે. રાફેલ બનાવનારી કંપનીએ જ પાકિસ્તાનના આ દાવાને પાયા વિહોણો ગણાવ્યો છે.ફ્રાન્સની વિમાન નિર્માતા કંપની દસોલ્ટ એવિએશનના સીઈઓ એરિક ટ્રાપિએ પાકિસ્તાન દ્વારા ત્રણ ભારતીય રાફેલ જેટ તોડી પાડ્યા હોવાનો દાવો ફગાવ્યો છે.