Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
  • fire-image Trending
  • દિન વિશેષ
  • News Sources
Trending icon ઈરાન-ઇઝરાયલ યુદ્ધ icon Career icon Education icon જાણવા જેવું icon મારું ગુજરાત icon IPL 2026 icon દેશ icon Crime icon દુનિયા icon રાજકારણ icon રમત-જગત icon હવામાન icon કૃષિ icon વેપાર icon સ્ટોક માર્કેટ icon પર્સનલ ફાઇનાન્સ icon Science & Technology icon મનોરંજન icon બોલીવુડ icon સ્વાસ્થ્ય icon ધર્મ
આવતા રવિવારે યોજાનાર PSI ની લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ થવાનું થઈ શરૂ
આવતા રવિવારે યોજાનાર PSI ની લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ થવાનું થઈ શરૂ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI કેડર (જાહેરાત ક્રમાંક: GPRB/202526/1) ની આગામી રવિવારે (19 એપ્રિલ, 2026) યોજાનાર લેખિત પરીક્ષા માટેના કોલ લેટર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. પરીક્ષા આપનાર ઉમેદવારો OJAS વેબસાઇટ પર જઈને પોતાની વિગતો ભરી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે. પરીક્ષા કેન્દ્ર અને સમયની વિગતવાર માહિતી કોલ લેટરમાં ઉપલબ્ધ રહેશે, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.

Published on: 13th April, 2026
આવતા રવિવારે યોજાનાર PSI ની લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ થવાનું થઈ શરૂ
Published on: 13th April, 2026
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI કેડર (જાહેરાત ક્રમાંક: GPRB/202526/1) ની આગામી રવિવારે (19 એપ્રિલ, 2026) યોજાનાર લેખિત પરીક્ષા માટેના કોલ લેટર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. પરીક્ષા આપનાર ઉમેદવારો OJAS વેબસાઇટ પર જઈને પોતાની વિગતો ભરી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે. પરીક્ષા કેન્દ્ર અને સમયની વિગતવાર માહિતી કોલ લેટરમાં ઉપલબ્ધ રહેશે, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
પુંડુચેરી: ચાર જિલ્લાઓમાં વિસ્તરેલો અનોખો કેન્દ્રશાસિત પ્રદેશ.
પુંડુચેરી: ચાર જિલ્લાઓમાં વિસ્તરેલો અનોખો કેન્દ્રશાસિત પ્રદેશ.

પુંડુચેરી ભારતનો એક અત્યંત વિશિષ્ટ કેન્દ્રશાસિત પ્રદેશ છે, જે કોઈ એક સળંગ જમીન પર નહીં પરંતુ ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારા પર વિખરાયેલા ચાર અલગ-અલગ જિલ્લાઓનો બનેલો છે. ભારતનો અનોખો કેન્દ્રશાસિત પ્રદેશ પુંડુચેરી પૂર્વ અને પશ્ચિમ કિનારા પર વિખરાયેલા ચાર જિલ્લાઓ-પુંડુચેરી, કરાઈકલ (તમિલનાડુ), યનમ (આંધ્રપ્રદેશ) અને માહે (કેરળ)નો બનેલો છે. આ વિસ્તારો ભૌગોલિક રીતે એકબીજાથી સેંકડો કિલોમીટર દૂર હોવા છતાં અને જમીન માર્ગે જોડાયેલા ન હોવા છતાં, વહીવટી રીતે એક જ એકમ ગણાય છે. આ અનોખી ગોઠવણી તેને ભારતના નકશા પર ભૌગોલિક દ્રષ્ટિએ વિશિષ્ટ બનાવે છે.

Published on: 09th April, 2026
પુંડુચેરી: ચાર જિલ્લાઓમાં વિસ્તરેલો અનોખો કેન્દ્રશાસિત પ્રદેશ.
Published on: 09th April, 2026
પુંડુચેરી ભારતનો એક અત્યંત વિશિષ્ટ કેન્દ્રશાસિત પ્રદેશ છે, જે કોઈ એક સળંગ જમીન પર નહીં પરંતુ ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારા પર વિખરાયેલા ચાર અલગ-અલગ જિલ્લાઓનો બનેલો છે. ભારતનો અનોખો કેન્દ્રશાસિત પ્રદેશ પુંડુચેરી પૂર્વ અને પશ્ચિમ કિનારા પર વિખરાયેલા ચાર જિલ્લાઓ-પુંડુચેરી, કરાઈકલ (તમિલનાડુ), યનમ (આંધ્રપ્રદેશ) અને માહે (કેરળ)નો બનેલો છે. આ વિસ્તારો ભૌગોલિક રીતે એકબીજાથી સેંકડો કિલોમીટર દૂર હોવા છતાં અને જમીન માર્ગે જોડાયેલા ન હોવા છતાં, વહીવટી રીતે એક જ એકમ ગણાય છે. આ અનોખી ગોઠવણી તેને ભારતના નકશા પર ભૌગોલિક દ્રષ્ટિએ વિશિષ્ટ બનાવે છે.
ભારતીય રોકાણકારો US શેરબજારમાં રોકાણ કેવી રીતે કરી શકે?
ભારતીય રોકાણકારો US શેરબજારમાં રોકાણ કેવી રીતે કરી શકે?

ભારતીયો INDmoney, Vested, Groww અથવા HDFC Securities જેવા પ્લેટફોર્મ દ્વારા સીધું યુએસ સ્ટોક્સમાં રોકાણ કરી શકે છે. બ્રોકરેજ ઓછું હોય છે. જોકે, રોકાણ પર ડિવિડન્ડ અને કેપિટલ ગેઇન ટેક્સ લાગુ થાય છે. નવા નિયમો મુજબ LRS (Liberalised Remittance Scheme) હેઠળ ₹7 લાખથી વધુના રેમિટન્સ પર 20% TCS (Tax Collected at Source) લાગુ પડે છે. આ ઉપરાંત, વિદેશી એસેટ્સ પર LTCG (Long-Term Capital Gains) ટેક્સ હવે ઘટાડીને 12.5% કરવામાં આવ્યો છે, જે રોકાણકારો માટે ફાયદાકારક છે.

Published on: 04th April, 2026
ભારતીય રોકાણકારો US શેરબજારમાં રોકાણ કેવી રીતે કરી શકે?
Published on: 04th April, 2026
ભારતીયો INDmoney, Vested, Groww અથવા HDFC Securities જેવા પ્લેટફોર્મ દ્વારા સીધું યુએસ સ્ટોક્સમાં રોકાણ કરી શકે છે. બ્રોકરેજ ઓછું હોય છે. જોકે, રોકાણ પર ડિવિડન્ડ અને કેપિટલ ગેઇન ટેક્સ લાગુ થાય છે. નવા નિયમો મુજબ LRS (Liberalised Remittance Scheme) હેઠળ ₹7 લાખથી વધુના રેમિટન્સ પર 20% TCS (Tax Collected at Source) લાગુ પડે છે. આ ઉપરાંત, વિદેશી એસેટ્સ પર LTCG (Long-Term Capital Gains) ટેક્સ હવે ઘટાડીને 12.5% કરવામાં આવ્યો છે, જે રોકાણકારો માટે ફાયદાકારક છે.
ICGS શૌર્ય પોરબંદર ખાતે તૈનાત.
ICGS શૌર્ય પોરબંદર ખાતે તૈનાત.

ભારતીય કોસ્ટ ગાર્ડનું અત્યાધુનિક જહાજ 'ICGS શૌર્ય' ૨ એપ્રિલ, ૨૦૨૬થી કાયમી ધોરણે પોરબંદર ખાતે તૈનાત કરવામાં આવ્યું છે. અગાઉ ચેન્નાઈમાં કાર્યરત આ 'સમર્થ ક્લાસ' ઓફશોર પેટ્રોલ વેસલ (OPV) સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત છે. ૧૦૫ મીટર લાંબું અને ૨૩૦૦ ટન વજન ધરાવતું આ જહાજ ૨૩ નોટિકલ માઈલની ઝડપે સતત ૨૦ દિવસ સુધી દરિયામાં રહી શકે છે. તેની તૈનાતીથી અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદની સુરક્ષા અને ગુજરાતના માછીમારોની સલામતી વધુ મજબૂત બનશે.

Published on: 03rd April, 2026
ICGS શૌર્ય પોરબંદર ખાતે તૈનાત.
Published on: 03rd April, 2026
ભારતીય કોસ્ટ ગાર્ડનું અત્યાધુનિક જહાજ 'ICGS શૌર્ય' ૨ એપ્રિલ, ૨૦૨૬થી કાયમી ધોરણે પોરબંદર ખાતે તૈનાત કરવામાં આવ્યું છે. અગાઉ ચેન્નાઈમાં કાર્યરત આ 'સમર્થ ક્લાસ' ઓફશોર પેટ્રોલ વેસલ (OPV) સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત છે. ૧૦૫ મીટર લાંબું અને ૨૩૦૦ ટન વજન ધરાવતું આ જહાજ ૨૩ નોટિકલ માઈલની ઝડપે સતત ૨૦ દિવસ સુધી દરિયામાં રહી શકે છે. તેની તૈનાતીથી અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદની સુરક્ષા અને ગુજરાતના માછીમારોની સલામતી વધુ મજબૂત બનશે.
ઈરાને અમેરિકાને ચેતવણી આપી છે કે જો તે જમીન પર હુમલો કરવાની ભૂલ કરશે તો તેને ભારે નુકસાન સહન કરવું પડશે.
ઈરાને અમેરિકાને ચેતવણી આપી છે કે જો તે જમીન પર હુમલો કરવાની ભૂલ કરશે તો તેને ભારે નુકસાન સહન કરવું પડશે.

ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ કહ્યું કે, જો જરૂર પડે તો દેશ છ મહિના સુધી યુદ્ધ ચાલુ રાખી શકે છે. અરાઘચીએ જણાવ્યું હતું કે ઈરાન કોઈપણ ભૂમિ હુમલા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અમે તેમની રાહ જોઈ રહ્યા છીએ, તેમણે કહ્યું. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે ઈરાન પોતે ભૂમિ યુદ્ધ ઇચ્છતું નથી, પરંતુ જો કોઈ યુદ્ધ થાય તો તેનો જવાબ આપવા સક્ષમ છે.

Published on: 01st April, 2026
ઈરાને અમેરિકાને ચેતવણી આપી છે કે જો તે જમીન પર હુમલો કરવાની ભૂલ કરશે તો તેને ભારે નુકસાન સહન કરવું પડશે.
Published on: 01st April, 2026
ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ કહ્યું કે, જો જરૂર પડે તો દેશ છ મહિના સુધી યુદ્ધ ચાલુ રાખી શકે છે. અરાઘચીએ જણાવ્યું હતું કે ઈરાન કોઈપણ ભૂમિ હુમલા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અમે તેમની રાહ જોઈ રહ્યા છીએ, તેમણે કહ્યું. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે ઈરાન પોતે ભૂમિ યુદ્ધ ઇચ્છતું નથી, પરંતુ જો કોઈ યુદ્ધ થાય તો તેનો જવાબ આપવા સક્ષમ છે.
અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ભારતીય સેનાને ‘પ્રહાર’ લાઇટ મશીન ગન (LMG)નો પ્રથમ જથ્થો મોકલ્યો.
અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ભારતીય સેનાને ‘પ્રહાર’ લાઇટ મશીન ગન (LMG)નો પ્રથમ જથ્થો મોકલ્યો.

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ભારતીય સેનાને 2,000 ‘પ્રહાર’ લાઇટ મશીન ગન (LMG)નો પ્રથમ જથ્થો સુપરત કર્યો. સરકાર આ હથિયારોનો ઉપયોગ LAC અને LoC પર સુરક્ષા અને મારક ક્ષમતા વધારવા માટે કરશે. ‘પ્રહાર’ LMGની મારક ક્ષમતા 1,000 મીટર સુધીની છે, જેનાથી દુશ્મનોને દૂરથી નિશાન બનાવી શકાય છે. મશીન ગન 8 કિલોગ્રામની છે, જેની લંબાઈ 1100 mm છે. એક મિનિટમાં 700 રાઉન્ડ ફાયરિંગ થશે.

Published on: 29th March, 2026
અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ભારતીય સેનાને ‘પ્રહાર’ લાઇટ મશીન ગન (LMG)નો પ્રથમ જથ્થો મોકલ્યો.
Published on: 29th March, 2026
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ભારતીય સેનાને 2,000 ‘પ્રહાર’ લાઇટ મશીન ગન (LMG)નો પ્રથમ જથ્થો સુપરત કર્યો. સરકાર આ હથિયારોનો ઉપયોગ LAC અને LoC પર સુરક્ષા અને મારક ક્ષમતા વધારવા માટે કરશે. ‘પ્રહાર’ LMGની મારક ક્ષમતા 1,000 મીટર સુધીની છે, જેનાથી દુશ્મનોને દૂરથી નિશાન બનાવી શકાય છે. મશીન ગન 8 કિલોગ્રામની છે, જેની લંબાઈ 1100 mm છે. એક મિનિટમાં 700 રાઉન્ડ ફાયરિંગ થશે.
ગુજરાત પોલીસ PSI લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની મહત્વપૂર્ણ જાહેરાત.
ગુજરાત પોલીસ PSI લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની મહત્વપૂર્ણ જાહેરાત.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI કેડર (GPRB/202526/1) ની પેપર-1 અને પેપર-2 ની લેખિત પરીક્ષા 19 એપ્રિલ 2026, રવિવારના રોજ યોજાશે. આ પરીક્ષા માટેના કોલ લેટર 13 એપ્રિલના રોજ બપોરે 2:00 વાગ્યાથી ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારોએ સમયમર્યાદામાં પોતાનો કોલ લેટર મેળવી લેવા અને તેમાં આપેલી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવા જણાવવામાં આવ્યું છે.

Published on: 29th March, 2026
ગુજરાત પોલીસ PSI લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની મહત્વપૂર્ણ જાહેરાત.
Published on: 29th March, 2026
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI કેડર (GPRB/202526/1) ની પેપર-1 અને પેપર-2 ની લેખિત પરીક્ષા 19 એપ્રિલ 2026, રવિવારના રોજ યોજાશે. આ પરીક્ષા માટેના કોલ લેટર 13 એપ્રિલના રોજ બપોરે 2:00 વાગ્યાથી ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારોએ સમયમર્યાદામાં પોતાનો કોલ લેટર મેળવી લેવા અને તેમાં આપેલી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવા જણાવવામાં આવ્યું છે.
ઈરાનના રાષ્ટ્રપતિએ કરી PM નરેન્દ્ર મોદી સાથે વાત.
ઈરાનના રાષ્ટ્રપતિએ કરી PM નરેન્દ્ર મોદી સાથે વાત.

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝાકિયાને PM નરેન્દ્ર મોદી સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, બ્રિક્સ દેશોએ ઈરાન પરના હુમલા રોકવામાં ભૂમિકા ભજવવી જોઈએ. તેમણે કહ્યું કે, બ્રિક્સ દેશોએ કોઈપણ દબાણ વિના, પોતાની મેળે કામ કરવું જોઈએ અને આ બાબતે આગળ આવવું જોઈએ. બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, સાઉથ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, સાઉદી અરેબિયા, UAE, ઈરાન.

Published on: 22nd March, 2026
ઈરાનના રાષ્ટ્રપતિએ કરી PM નરેન્દ્ર મોદી સાથે વાત.
Published on: 22nd March, 2026
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝાકિયાને PM નરેન્દ્ર મોદી સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, બ્રિક્સ દેશોએ ઈરાન પરના હુમલા રોકવામાં ભૂમિકા ભજવવી જોઈએ. તેમણે કહ્યું કે, બ્રિક્સ દેશોએ કોઈપણ દબાણ વિના, પોતાની મેળે કામ કરવું જોઈએ અને આ બાબતે આગળ આવવું જોઈએ. બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, સાઉથ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, સાઉદી અરેબિયા, UAE, ઈરાન.
IRGC ના મુખ્ય પ્રવક્તા અલી મોહમ્મદ નૈનીનું નિધન.
IRGC ના મુખ્ય પ્રવક્તા અલી મોહમ્મદ નૈનીનું નિધન.

ઇરાનની શક્તિશાળી સૈન્ય સંસ્થા IRGC ના મુખ્ય પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદ નૈની ના નિધનના સમાચાર સામે આવ્યા છે, જેમાં જણાવાયું છે કે તેઓ તાજેતરના હુમલા દરમિયાન મોતને ભેટ્યા હતા. નૈની IRGC માટે અત્યંત મહત્વપૂર્ણ ચહેરો ગણાતા હતા, કારણ કે તેમની મંજૂરી વિના કોઈપણ સત્તાવાર નિવેદન અથવા પ્રચાર બહાર પડતું નહોતું. તેઓ ખાસ કરીને મનોવૈજ્ઞાનિક યુદ્ધ અને જનસંપર્ક વિભાગના વડા તરીકે જાણીતા હતા, જેના કારણે સંસ્થાની વ્યૂહરચના અને સંદેશાવ્યવહાર પર તેમનો મજબૂત પ્રભાવ રહ્યો હતો. તેમના અચાનક અવસાનથી IRGC ની આંતરિક કામગીરી અને પ્રચાર વ્યવસ્થા પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Published on: 20th March, 2026
IRGC ના મુખ્ય પ્રવક્તા અલી મોહમ્મદ નૈનીનું નિધન.
Published on: 20th March, 2026
ઇરાનની શક્તિશાળી સૈન્ય સંસ્થા IRGC ના મુખ્ય પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદ નૈની ના નિધનના સમાચાર સામે આવ્યા છે, જેમાં જણાવાયું છે કે તેઓ તાજેતરના હુમલા દરમિયાન મોતને ભેટ્યા હતા. નૈની IRGC માટે અત્યંત મહત્વપૂર્ણ ચહેરો ગણાતા હતા, કારણ કે તેમની મંજૂરી વિના કોઈપણ સત્તાવાર નિવેદન અથવા પ્રચાર બહાર પડતું નહોતું. તેઓ ખાસ કરીને મનોવૈજ્ઞાનિક યુદ્ધ અને જનસંપર્ક વિભાગના વડા તરીકે જાણીતા હતા, જેના કારણે સંસ્થાની વ્યૂહરચના અને સંદેશાવ્યવહાર પર તેમનો મજબૂત પ્રભાવ રહ્યો હતો. તેમના અચાનક અવસાનથી IRGC ની આંતરિક કામગીરી અને પ્રચાર વ્યવસ્થા પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
 ઈરાને મધ્ય પૂર્વના 4 દેશો પર હુમલો કર્યો.
ઈરાને મધ્ય પૂર્વના 4 દેશો પર હુમલો કર્યો.

સાઉદી અરેબિયાના યામ્બુમાં સમરેફ ઓઇલ રિફાઇનરીમાં ડ્રોન હુમલો થયો, જેના કારણે ઉર્જા માળખાને નુકસાન થયું.કતારમાં રાસ લાફાન ગેસ પ્લાન્ટ પર હુમલો, આગ અને નુકસાન થયું. કુવૈતમાં મીના અલ-અહમદી અને મીના અબ્દુલ્લા રિફાઇનરીઓને નિશાન બનાવવામાં આવી હતી. UAEમાં વિવિધ ઉર્જા સ્થાપનો અને માળખાગત સુવિધાઓ પર હુમલો કરવામાં આવ્યો.

Published on: 19th March, 2026
ઈરાને મધ્ય પૂર્વના 4 દેશો પર હુમલો કર્યો.
Published on: 19th March, 2026
સાઉદી અરેબિયાના યામ્બુમાં સમરેફ ઓઇલ રિફાઇનરીમાં ડ્રોન હુમલો થયો, જેના કારણે ઉર્જા માળખાને નુકસાન થયું.કતારમાં રાસ લાફાન ગેસ પ્લાન્ટ પર હુમલો, આગ અને નુકસાન થયું. કુવૈતમાં મીના અલ-અહમદી અને મીના અબ્દુલ્લા રિફાઇનરીઓને નિશાન બનાવવામાં આવી હતી. UAEમાં વિવિધ ઉર્જા સ્થાપનો અને માળખાગત સુવિધાઓ પર હુમલો કરવામાં આવ્યો.

Download Our App

Get better experience on our mobile app 🚀

Download from Play Store