અમદાવાદ પ્લેન ક્રેશ: હવે ફલાઇટની આ સૌથી સુરક્ષીત સીટ થશે મોંઘી ?
Published on: 15th June, 2025
જ્યારથી અમદાવાદમાં પ્લેન ક્રેશ થયુ છે સૌ કોઇ એવુ વિચારી રહ્યુ છે કે હવાઇ મુસાફરી કરવી કેટલી સુરક્ષીત. અમદાવાદમાં અકસ્માતમાં એક માત્ર મુસાફરનો જીવ બચ્યો હતો આ ચમત્કાર થયો કારણ કે તે પ્લેનની સૌથી સુરક્ષીત ગણાતી સીટ પર બેઠો હતો. હવે સ્વાભાવીક છે આ ઘટના પછી સૌ કોઇ સુરક્ષાને વધારે મહત્ત્વ આપશે.એરલાઇન્સ હવે આ સલામત સીટને મોંઘા વિકલ્પ તરીકે વેચવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં, અમદાવાદ એર ઇન્ડિયા ક્રેશ સંબંધિત એક રિપોર્ટ અને તેને લગતી સોશિયલ મીડિયા પોસ્ટ્એ આ મુદ્દાને ચર્ચામાં લાવ્યો છે. ઘણી પોસ્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અમદાવાદ એર ઇન્ડિયા વિમાન ક્રેશ પછી આ સીટ ની કિંમત વધુ વધશે અને તે સૌથી મોંઘી સીટ બની જશે ? ચાલો જાણીએ શું છે સત્ય ?
આ સીટ પર બેઠેલા 2 મુસાફરો અકસ્માતમાં બચી ગયા
હકીકતમાં, અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં, સીટ નંબર 11A પર બેઠેલા એક મુસાફરનો બચાવ થયો, જોકે વિમાનને ભારે નુકસાન થયું હતું. આ સીટ પાંખની નજીક ઓવરવિંગ સીટ હતી, જેને સામાન્ય રીતે ઉડ્ડયન ઉદ્યોગમાં 'માળખાકીય રીતે મજબૂત' માનવામાં આવે છે.
આટલું જ નહીં, 11 ડિસેમ્બર, 1998 ના રોજ, 20 વર્ષીય થાઈ અભિનેતા અને ગાયક રુઆંગસાક લોયચુસાકે દક્ષિણ થાઈલેન્ડમાં લેન્ડિંગ કરતી વખતે થાઈ એરવેઝની ફ્લાઇટ TG261 ક્રેશ થઈ ગઈ ત્યારે મૃત્યુને હરાવી દીધું હતું. આ અકસ્માતમાં, વિમાનમાં સવાર 146 માંથી 101 લોકોએ જીવ ગુમાવ્યો. રુઆંગસાક એ જ વિમાનની સીટ નંબર 11A પર બેઠો હતો, અને આજે, 47 વર્ષના થયા પછી, તે કહે છે કે તેણે એક રહસ્યમય સંયોગ જોયો છે.
આ સીટોની કિંમત હવે કેમ વધી શકે છે ?
જ્યારે ફ્લાઇટમાં લેગ સ્પેસ અથવા વિન્ડો સીટ માટે પહેલાથી જ વધારાનો ચાર્જ લેવામાં આવે છે, ત્યારે હવે એવિએશન કંપનીઓ **સેફ્ટી વેલ્યુ** ને એક નવો ચાર્જિંગ પોઈન્ટ પણ બનાવી શકે છે. જે મુસાફરો ઇરાદા પૂર્વક સલામત માનવામાં આવતી સીટો પસંદ કરવા માંગે છે તેમની પાસેથી વધારાની ફી વસૂલવી એ એરલાઇન્સ માટે આવકનો નવો સ્ત્રોત બની શકે છે.
એરલાઇન કંપનીઓ શું કરશે ?
કેટલાક બજેટ અને પ્રીમિયમ કેરિયર્સે આ સીટોને 'સેફ્ટી પ્રીમિયમ સીટ' ની શ્રેણીમાં મૂકવાનું વિચારવાનું શરૂ કર્યું છે. હવે ટિકિટ બુકિંગ દરમિયાન, ફક્ત વિન્ડો, પાંખ અથવા વધારાની લેગ રૂમ જ નહીં, પરંતુ ઉચ્ચ સલામતી ઝોન પણ એક વિકલ્પ હોઈ શકે છે.