બેંગકોક પબમાં ભીષણ આગ: 27 લોકો મૃત્યુ પામ્યા
બેંગકોક પબમાં ભીષણ આગ: 27 લોકો મૃત્યુ પામ્યા
Published on: 13th July, 2026

થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં એક પબમાં લાગેલી આગે ભયાવહ સ્વરૂપ ધારણ કરતાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે અને 63 લોકો ઘાયલ થયા છે. ગવર્નરના જણાવ્યા અનુસાર, 22 ઘાયલોની સ્થિતિ ગંભીર છે. મધ્યરાત્રિની આસપાસ શહેરના ઉત્તર ભાગમાં આવેલા એક મનોરંજન સ્થળે આગ લાગી હતી, જે ઝડપથી સમગ્ર ઇમારતમાં ફેલાઈ ગઈ હતી. વડાપ્રધાન અનુતિન ચર્નવિરાકુલે મૃત્યુઆંકની પુષ્ટી કરી અને કહ્યું કે આગ લાગવાના કારણની તપાસ ચાલી રહી છે. પ્રત્યક્ષદર્શીઓના મતે, લોકો આગથી બચવા શૌચાલયમાં છુપાઈ ગયા હતા, જ્યાંથી ઘણા મૃતદેહો મળી આવ્યા છે.