વિરાટ કોહલી નું બેટ બનવામાં લાગે છે આટલા વર્ષ!
એક પ્રીમિયમ બેટ બનવાની સફર એક નાના છોડથી શરૂ થાય છે અને ખેલાડીના હાથ સુધી પહોંચવામાં 20 વર્ષ લે છે. કોહલી જે બેટથી રનનો વરસાદ કરે છે તેને સંપૂર્ણ રીતે તૈયાર થવામાં કેટલાય વર્ષોની સખત મહેનત અને પ્રક્રિયા લાગે છે. આ પ્રક્રિયામાં યોગ્ય હવામાન, ખાસ પ્રકારના વૃક્ષો અને કુશળ કારીગરોની વર્ષોની મહેનત શામેલ હોય છે. વિશ્વના મોટાભાગના પ્રીમિયમ ક્રિકેટ બેટ બનાવવા માટે ઇંગ્લેન્ડમાં ઉગતા ખાસ 'અંગ્રેજી વિલો' વૃક્ષોનો ઉપયોગ થાય છે. આ વૃક્ષોનું લાકડું વજનમાં ખૂબ જ હલકું અને અંદરથી અત્યંત મજબૂત હોય છે. ઇંગ્લેન્ડની ચોક્કસ માટીના કારણે જ ત્યાંના લાકડામાં એક ખાસ પ્રકારની પ્રીમિયમ ગુણવત્તા જોવા મળે છે.
વિરાટ કોહલી નું બેટ બનવામાં લાગે છે આટલા વર્ષ!
શમી અંગે પૂર્વ ક્રિકેટરનો પસંદગી સમિતિ પર પ્રહાર.
વસીમ જાફરે મોહમ્મદ શમીને ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર રાખવાના નિર્ણયની આકરી ટીકા કરી છે. તેમણે મુખ્ય પસંદગીકાર Ajit Agarkarની ફિટનેસ અંગેની દલીલને “બકવાસ” ગણાવી હતી. જાફરે સવાલ ઉઠાવ્યો કે જો આવા જ માપદંડ અપનાવવામાં આવે તો ભવિષ્યમાં જસપ્રીત બુમરાહ સાથે પણ આવું જ થશે? અગરકરે કહ્યું હતું કે શમી T20 માટે ફિટ છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટનો લાંબો ભાર સહન કરવા માટે હજુ સંપૂર્ણ તૈયાર નથી.
શમી અંગે પૂર્વ ક્રિકેટરનો પસંદગી સમિતિ પર પ્રહાર.
હાર્દિક પંડ્યા કોના પર ભડક્યો?
MIને KKR સામે રોમાંચક મેચમાં હારનો સામનો કરવો પડ્યો. પાવરપ્લે સુધી મુંબઈએ માત્ર 46 રનમાં 4 મહત્વની વિકેટ ગુમાવી હતી અને આખી મેચમાં મોટાભાગની ભાગીદારી 20 રનથી ઓછી રહી હતી. ફિલ્ડિંગમાં થયેલી ચૂક અંગે નારાજગી વ્યક્ત કરતા હાર્દિકે કહ્યું, "મને સમજાતું નથી કે ફિલ્ડિંગમાં ક્યાં ભૂલ થઈ રહી છે. આ આખી સીઝન દરમિયાન અમારું ફિલ્ડિંગ પ્રદર્શન ઘણું નબળું રહ્યું છે. અમે ઘણા કેચ છોડ્યા છે, જે અલબત્ત કોઈ જાણી જોઈને કરતું નથી. પરંતુ રમતની આ સ્થિતિમાં તમે સત્ય છુપાવી શકતા નથી."
હાર્દિક પંડ્યા કોના પર ભડક્યો?
PM મોદીએ UAE શાસકને આપી કેસર કેરી, કચ્છનું પેઇન્ટિંગ સહિત અનોખી ભેટ.
PM મોદીએ UAE ની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને ગુજરાતની કેસર કેરી, કચ્છનું રોગન પેઇન્ટિંગ, મેઘાલયના અનાનસ, મણિપુરના બ્લેક રાઇસ, મધ્ય પ્રદેશનું મહેશ્વરી સિલ્ક, તેલંગાણાનું ફિલિગ્રી બોક્સ, બિહારનું મિથિલા મખાના અને રાજસ્થાનની કોફ્તગરી કટાર જેવી ભારતીય સંસ્કૃતિ અને હસ્તકલાની અનોખી ભેટ આપી.
PM મોદીએ UAE શાસકને આપી કેસર કેરી, કચ્છનું પેઇન્ટિંગ સહિત અનોખી ભેટ.
ઇતિહાસમાં પહેલીવાર RBI સરકારને 3.5 લાખ કરોડ જમા કરાવશે.
Reserve Bank of India FY26 માં સરકારને 2.7 થી 3.5 લાખ કરોડ રૂપિયા સુધીનું અત્યાર સુધીનું સૌથી મોટું સરપ્લસ ડિવિડન્ડ ટ્રાન્સફર કરી શકે છે. આનાથી સરકારને વિકાસ કાર્યો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને રાજકોષીય ખાધને અંકુશમાં રાખવામાં મદદ મળશે. રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અને વિદેશી ચલણની સંપત્તિનું વધેલું મૂલ્ય RBI ની આટલી મોટી કમાણીનું મુખ્ય કારણ છે.
ઇતિહાસમાં પહેલીવાર RBI સરકારને 3.5 લાખ કરોડ જમા કરાવશે.
ઇબોલાના ખૌફને કારણે India-Africa Summit મોકૂફ.
આફ્રિકામાં ફેલાતા ઇબોલા વાઈરસના કારણે ચોથી 'India-Africa Forum Summit' છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી આ નિર્ણય લીધો છે. આ સમિટ 10 વર્ષ બાદ યોજાવાની હતી. દેશના એરપોર્ટ અને બંદરો પર ખાસ તપાસ શરૂ કરાઈ છે, ખાસ કરીને કોંગો, યુગાન્ડા અને સુદાન જેવા દેશોમાંથી આવતા મુસાફરો માટે. ભારત આફ્રિકાને મદદ માટે તૈયાર છે.
ઇબોલાના ખૌફને કારણે India-Africa Summit મોકૂફ.
રોહિત અને હાર્દિકની ICC વર્લ્ડ કપમાં રમવા પર પ્રશ્નાર્થ: BCCIની ચિંતા.
આગામી ICC વનડે વર્લ્ડ કપમાં રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈને BCCI ચિંતિત છે. રોહિતની તાજેતરની હેમસ્ટ્રિંગ ઈજા અને વધતી ઉંમર પર પસંદગીકારો સવાલ ઉઠાવી રહ્યા છે. હાર્દિકની 10 ઓવર બોલિંગ કરવાની ક્ષમતા પણ ચર્ચાનો વિષય છે. આ પરિસ્થિતિમાં, BCCI નવા ઓપનર તરીકે યશસ્વી જયસ્વાલને તૈયાર કરવાની યોજના ધરાવે છે.
રોહિત અને હાર્દિકની ICC વર્લ્ડ કપમાં રમવા પર પ્રશ્નાર્થ: BCCIની ચિંતા.
PM મોદીએ પાંચ દેશોના પ્રવાસ દરમિયાન વૈશ્વિક નેતાઓને ભારતની સંસ્કૃતિ અને કળાની અનોખી ભેટો આપી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઈ, ઇટાલી સહિત પાંચ દેશોના પ્રવાસ દરમિયાન વૈશ્વિક નેતાઓને ભારતની સંસ્કૃતિ અને કળાની અનોખી ભેટો આપી. ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને ‘મેલોડી ટોફી’, આસામનું મુગા સિલ્ક અને મણિપુરનું શિનરુઈ લિલી સિલ્ક સ્ટોલ ભેટ મળ્યા. ઇટાલીના રાષ્ટ્રપતિ સર્જિયો મેટારેલાને પિએટ્રા ડુરા કળાવાળું માર્બલ બોક્સ અપાયું. UAEના રાષ્ટ્રપતિને કેસર કેરી ભેટ આપી ભારતની કલા, વારસો અને ‘વોકલ ફોર લોકલ’ને વૈશ્વિક ઓળખ અપાઈ. આ ભેટો ભારતની કલા, સંસ્કૃતિ અને સ્વાદની ઓળખ કરાવે છે.
PM મોદીએ પાંચ દેશોના પ્રવાસ દરમિયાન વૈશ્વિક નેતાઓને ભારતની સંસ્કૃતિ અને કળાની અનોખી ભેટો આપી.
પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ પાકિસ્તાનમાં માર્યો ગયો.
2019 પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ, જૈશ-એ-મોહમ્મદ કમાન્ડર હમઝા બુરહાનની પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં તેની ઓફિસમાં અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારી હત્યા કરી દીધી. ISI દ્વારા સુરક્ષા મળવા છતાં, હુમલાખોરો ત્યાં પહોંચી ગયા અને ફાયરિંગ કર્યું, જેનાથી ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું. હમઝા, જે મૂળ જમ્મુ-કાશ્મીરનો હતો, ભારતથી ભાગીને પાકિસ્તાનમાં છુપાઈ ગયો હતો અને ત્યાં 'શિક્ષક' તરીકે ઓળખાતો હતો. પુલવામા હુમલા બાદ પણ તે PoKમાં આતંકીઓને ટ્રેનિંગ આપતો હતો અને ગેરકાયદેસર ઘૂસણખોરીનું સંચાલન કરતો હતો.
પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ પાકિસ્તાનમાં માર્યો ગયો.
ઉનાળામાં લૂ થી બચવા આ 8 વસ્તુઓનું સેવન કરો.
ઉનાળામાં તાપમાન વધવાને કારણે અને ગરમ પવનોને લીધે શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે. લૂ લાગવાને કારણે ચક્કર આવવા, માથાનો દુખાવો, ઉલ્ટી અને વધુ પડતી તરસ લાગવી જેવી સમસ્યાઓ થઈ શકે છે. આથી જ આ ઋતુમાં ખાનપાન પર ખાસ ધ્યાન આપવું અત્યંત મહત્ત્વનું છે. ઉનાળાની ગરમીમાં શરીરને લૂ થી બચાવવા માટે 8 સુપરફૂડ્સ: તરબૂચ, ખીરા, છાસ, નાળિયેર પાણી, ડુંગળી, આમ પન્ના, દહીં અને બીલી. આ વસ્તુઓ શરીરને ઠંડક, તાજગી અને Energy પૂરી પાડે છે.
ઉનાળામાં લૂ થી બચવા આ 8 વસ્તુઓનું સેવન કરો.
ઈંધણ આપવાની ના પાડનારા પેટ્રોલ પંપો પર સરકારનો કડક આદેશ!
સરકારના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈ અછત નથી. Indian Oil Corporation સહિતની સરકારી ઓઇલ કંપનીઓના પેટ્રોલ પંપ પર સતત પુરવઠો જળવાઈ રહે તે માટે કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. ઈંધણ આપવાનો ઇનકાર કરનાર પંપો સામે કાર્યવાહી પણ થઈ રહી છે. લણણીની સીઝન અને ખાનગી કંપનીઓના વધેલા ભાવને કારણે સરકારી પંપ પર માંગ વધી છે. ઉપરાંત રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત યથાવત રાખીને સપ્લાય ચેન જાળવવામાં આવી રહી છે.
ઈંધણ આપવાની ના પાડનારા પેટ્રોલ પંપો પર સરકારનો કડક આદેશ!
'કોકરોચ જનતા પાર્ટી'નું X એકાઉન્ટ ભારતમાં બૅન!
CJI ની ટિપ્પણી બાદ બનેલ 'કોકરોચ જનતા પાર્ટી'નું X એકાઉન્ટ ભારતમાં Ban કરાયું. આશ્ચર્યની વાત એ છે કે, ગુરુવારે જ આ પેજે ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા મામલે ભારતીય જનતા પાર્ટી (BJP) ને પાછળ છોડી દીધી હતી. ફાઉન્ડર અભિજિત દીપકે આને ડિજિટલ સેન્સરશિપ ગણાવી. CJI એ સ્પષ્ટતા કરી હતી કે તેમનો ઈશારો 'નકલી ડિગ્રી ધારકો' તરફ હતો.
'કોકરોચ જનતા પાર્ટી'નું X એકાઉન્ટ ભારતમાં બૅન!
RBI નો મોંઘવારી ઘટાડવાનો કડક અભિગમ: રેપો રેટ વધારાના સંકેત.
RBI રૂપિયાના ડોલર સામેના સતત ઘટાડાને લઈને ચિંતિત બન્યું છે. અહેવાલો મુજબ RBI હવે રૂપિયાને સ્થિર કરવા માટે વ્યાજદરોમાં વધારો સહિતના કડક પગલાં પર વિચાર કરી રહી છે. સંજય મલ્હોત્રા સહિતના ટોચના અધિકારીઓએ આ મુદ્દે મહત્વપૂર્ણ બેઠકો કરી છે. રૂપિયો ડોલર સામે આશરે 97ના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચ્યો છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને RBI જરૂર પડે તો 5 જૂનની MPC બેઠક પહેલાં પણ ઇમરજન્સી નિર્ણય લઈ શકે છે.
RBI નો મોંઘવારી ઘટાડવાનો કડક અભિગમ: રેપો રેટ વધારાના સંકેત.
ફેક 'નોટ સેલિબ્રેશન' કરી ભારતના સ્ટાર ક્રિકેટરે યુવા ખેલાડીઓની મજાક ઉડાવી?
IPL 2026માં Mumbai Indians અને Kolkata Knight Riders વચ્ચેની મેચ દરમિયાન દીપક ચાહરનું અનોખું ‘ફેક નોટ સેલિબ્રેશન’ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. ફિન એલનની વિકેટ બાદ દીપકે ખિસ્સામાંથી કલ્પિત ચિઠ્ઠી બતાવવાની સ્ટાઈલમાં સેલિબ્રેશન કર્યું, જેને યુવા ખેલાડીઓના લોકપ્રિય ‘નોટ સેલિબ્રેશન’ ટ્રેન્ડની મજાક તરીકે જોવામાં આવી રહ્યું છે. મેચમાં KKRએ મુંબઈને 4 વિકેટે હરાવી પ્લેઓફની આશા જીવંત રાખી હતી.
ફેક 'નોટ સેલિબ્રેશન' કરી ભારતના સ્ટાર ક્રિકેટરે યુવા ખેલાડીઓની મજાક ઉડાવી?
પ્રશાંત કિશોર હવે 'આશ્રમ'માંથી કરશે રાજકારણ, નવા ચૂંટણી અભિયાનની જાહેરાત.
ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરે 'જન સુરાજ પાર્ટી'ની સ્થાપના બાદ હવે પટણા બહારના એક 'આશ્રમ'માંથી રાજકીય કાર્ય કરવાનું નક્કી કર્યું છે. તેઓ આગામી વિધાનસભા ચૂંટણી સુધી ત્યાં રહેશે, જેથી તેમની પાર્ટી ચૂંટણીમાં પોતાનું સ્થાન બનાવી શકે. ભૂતપૂર્વ JD(U) ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે નીતિશ કુમાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે તેઓ પલાયન રોકવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે બિહારના મતદારોને જાતિ, ધર્મ કે પૈસાના બદલે પોતાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને વોટ આપવાની અપીલ કરી છે. પશ્ચિમ એશિયાના સંઘર્ષથી ઉદ્ભવતા આર્થિક પડકારો અને સરકારી ખર્ચ અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી છે.
પ્રશાંત કિશોર હવે 'આશ્રમ'માંથી કરશે રાજકારણ, નવા ચૂંટણી અભિયાનની જાહેરાત.
હાર્દિક પંડ્યા MI છોડી KKRમાં જોડાશે? દિગ્ગજે સૂચવ્યો આઈડિયા.
IPL 2026માં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના ખરાબ પ્રદર્શન બાદ હાર્દિક પંડ્યાના ભવિષ્ય અંગે અટકળો તેજ બની છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉએ હાર્દિક અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે મોટી ટ્રેડ ડીલનો વિચાર રજૂ કર્યો છે. 2024માં મુંબઈમાં પરત ફર્યા બાદ હાર્દિકની કેપ્ટનશીપ હેઠળ ટીમ સતત નિષ્ફળ રહી છે, જેના કારણે હવે તેમને કેપ્ટનશીપ અને ટીમમાંથી દૂર કરવાની માંગ ઉઠી રહી છે.
હાર્દિક પંડ્યા MI છોડી KKRમાં જોડાશે? દિગ્ગજે સૂચવ્યો આઈડિયા.
આમિરના IPLમાં પ્રવેશનો માર્ગ ખુલ્યો!
પાકિસ્તાની સ્ટાર બોલર મોહમ્મદ આમિર હવે IPLમાં રમી શકે છે. રાજકીય કારણોસર પ્રતિબંધ હોવા છતાં, બ્રિટિશ નાગરિકતા મળવાને કારણે તે IPL 2027 Auction માટે Eligible બન્યો છે. તેની પત્ની બ્રિટિશ હોવાથી તેણે UK પાસપોર્ટ મેળવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બે વાર નિવૃત્ત થયેલા આમિર પાસે T20 લીગનો અનુભવ છે. તેની Swing બોલિંગ અને Death Oversમાં રન રોકવાની ક્ષમતા ટીમો માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે છે.
આમિરના IPLમાં પ્રવેશનો માર્ગ ખુલ્યો!
'વન નેશન વન ઈલેક્શન'થી 7 લાખ કરોડની બચત, GDP 1.6% વધશે: JPC.
જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC)ના ચેરમેને 'વન નેશન - વન ઈલેક્શન' અંગે દાવો કર્યો છે કે દેશભરમાં એકસાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજવાથી આશરે ₹7 લાખ કરોડની બચત થઈ શકે છે. તેમના જણાવ્યા મુજબ આ રકમ વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને ગરીબ કલ્યાણ માટે વાપરી શકાય છે. ગુજરાત મુલાકાત દરમિયાન કમિટીએ રાજ્યના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને આ પ્રસ્તાવ અંગે વિવિધ વિભાગોના ઇનપુટ માટે ચીફ સેક્રેટરીને રિપોર્ટ આપવા જણાવ્યું હતું.
'વન નેશન વન ઈલેક્શન'થી 7 લાખ કરોડની બચત, GDP 1.6% વધશે: JPC.
અમરનાથ યાત્રા: 3.6 લાખથી વધુ નોંધણી, 57 દિવસની યાત્રા 3 જુલાઈથી શરૂ.
અમરનાથ યાત્રા માટે 3.6 લાખથી વધુ નોંધણી થઈ છે. યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 28 ઓગસ્ટ સુધી ચાલશે. રસ્તાઓ પર હજુ પણ 10-12 ફૂટ બરફ છે, પરંતુ BRO તેને 15 જૂન સુધી તૈયાર કરશે. આ વખતે ટેન્ટને બદલે પ્રી-ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચરમાં આવાસની સુવિધા મળશે.
અમરનાથ યાત્રા: 3.6 લાખથી વધુ નોંધણી, 57 દિવસની યાત્રા 3 જુલાઈથી શરૂ.
મદરેસામાં 'વંદે માતરમ' ગીત ફરજિયાત: બંગાળ સરકારનો નવો નિયમ.
પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યભરના તમામ મદરેસામાં 'વંદે માતરમ' ગાવાનું ફરજિયાત બનાવ્યું છે. આદેશ મુજબ, પ્રાર્થના દરમિયાન 'વંદે માતરમ' ગાવું પડશે, જે સરકારી અને માન્યતા પ્રાપ્ત તમામ મદરેસાઓને લાગુ પડશે. આ નિર્ણય રાષ્ટ્રગીત 'જન ગણ મન' ની જેમ જ 'વંદે માતરમ' ને સમાન દરજ્જો આપવાના પ્રયાસનો ભાગ છે.
મદરેસામાં 'વંદે માતરમ' ગીત ફરજિયાત: બંગાળ સરકારનો નવો નિયમ.
UPનું બાંદા દુનિયામાં ત્રીજું સૌથી ગરમ શહેર!
દેશભરમાં ભીષણ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. 25 મેથી શરૂ થતા નૌતપા પહેલા જ ઉત્તર પ્રદેશના બાંદામાં તાપમાન 48°C સુધી પહોંચ્યું, જે વિશ્વનું ત્રીજું સૌથી ગરમ શહેર બન્યું. ઉત્તર ભારતમાં પાકિસ્તાનના બલુચિસ્તાન અને થાર રણમાંથી આવતી ગરમ હવાઓના કારણે હીટવેવ વધી છે. અનેક રાજ્યોમાં 46°Cથી વધુ તાપમાન નોંધાયું છે. આરોગ્ય નિષ્ણાતોએ લોકોને વધુ પાણી પીવા અને બપોરે તડકાથી બચવાની સલાહ આપી છે. બીજી તરફ ચોમાસું હાલ આંદામાન-નિકોબાર પાસે અટક્યું છે, જ્યારે પૂર્વોત્તર અને દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
UPનું બાંદા દુનિયામાં ત્રીજું સૌથી ગરમ શહેર!
ફાલ્ટા બેઠક પર પુનઃ મતદાન શરૂ, 24 મેએ પરિણામ જાહેર.
પશ્ચિમ બંગાળના ફાલ્ટા વિધાનસભા મતવિસ્તારમાં લોખંડી સુરક્ષા વચ્ચે પુનઃ મતદાન શરૂ થયું છે. 2.36 લાખથી વધુ મતદારો 285 મતદાન મથકો પર મતદાન કરશે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ચૂંટણી ગેરરીતિઓની ફરિયાદો બાદ આ નિર્ણય લેવાયો છે. પરિણામ 24 મેના રોજ જાહેર થશે. CAPFની 35 કંપનીઓ તૈનાત કરાઈ છે.
ફાલ્ટા બેઠક પર પુનઃ મતદાન શરૂ, 24 મેએ પરિણામ જાહેર.
KKR vs MI: ચહર-રોબિનની ભૂલ, વરસાદ, રિવ્યુ અને શાનદાર કેચ.
IPL 2026ની 65મી મેચમાં KKRએ MIને 4 વિકેટે હરાવ્યું. તિલક વર્માએ 25 બોલમાં પહેલી બાઉન્ડ્રી ફટકારી, જ્યારે મનીષ પાંડે બુમરાહ સામે પહેલીવાર આઉટ થયો. વરસાદને કારણે રમત 1 કલાક અટકી. દીપક ચાહરે એલનને બોલ્ડ કરી ચિઠ્ઠી કાઢવાની એક્ટિંગ કરી. રઘુવંશી-વરુણ વચ્ચે કેચ છોડવા પર બબાલ થઈ, ગ્રીનને રિવ્યુથી વિકેટ મળી અને બોશે શાનદાર કેચ પકડ્યો.
KKR vs MI: ચહર-રોબિનની ભૂલ, વરસાદ, રિવ્યુ અને શાનદાર કેચ.
NEET પેપર ₹5 થી 50 લાખમાં વેચાયું.
NEET પેપર લીક કેસમાં CBI તપાસમાં ખુલાસો: ગેંગે 5 થી 50 લાખમાં પેપર વેચ્યા, બાકી રકમ માટે ખાલી ચેક, દસ્તાવેજો રાખ્યા. આરોપી કોચિંગ ડાયરેક્ટર 8 એકરમાં સ્કૂલ-કોલેજ ખોલવાની તૈયારીમાં હતો. પેપરની કિંમત પરિવારોની આર્થિક સ્થિતિ મુજબ નક્કી થતી. CBI દ્વારા ફંડિંગ સ્ત્રોત, જમીન ખરીદીની પણ તપાસ. 10ની ધરપકડ, 21 જૂને ફરી પરીક્ષા.
NEET પેપર ₹5 થી 50 લાખમાં વેચાયું.
તમિલનાડુમાં 59 વર્ષ બાદ કોંગ્રેસ સરકારનો હિસ્સો બનશે.
તમિલનાડુમાં કોંગ્રેસ 59 વર્ષ પછી સરકારનો હિસ્સો બનશે. એસ. રાજેશ કુમાર અને પી. વિશ્વનાથન આજે વિજયની કેબિનેટમાં સામેલ થશે. 1952 થી 1967 સુધી કોંગ્રેસની સરકાર હતી. VCK અને IUML ને પણ સ્થાન મળી શકે છે. કોંગ્રેસ લાંબા સમયથી સત્તામાં ભાગીદારીની માંગ કરી રહી હતી.
તમિલનાડુમાં 59 વર્ષ બાદ કોંગ્રેસ સરકારનો હિસ્સો બનશે.
PM મોદીની અધ્યક્ષતામાં મંત્રી પરિષદની બેઠક, મહત્વના નિર્ણયની શક્યતા.
PM મોદી આજે મંત્રી પરિષદની મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં સરકારની મુખ્ય યોજનાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પ્રગતિ, અને તાજેતરના નિર્ણયોની સમીક્ષા થશે. પશ્ચિમ એશિયાના સંકટની આર્થિક અસરો અને તેના નિવારણ માટે ઊર્જા, કૃષિ, ખાતર, ઉડ્ડયન, શિપિંગ, અને લોજિસ્ટિક્સ જેવા વિભાગોને દિશાનિર્દેશો આપી શકે છે. મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે આ બેઠક વહીવટી અને રાજકીય રીતે નિર્ણાયક બનશે.
PM મોદીની અધ્યક્ષતામાં મંત્રી પરિષદની બેઠક, મહત્વના નિર્ણયની શક્યતા.
PM મોદીની ઈમરજન્સી બેઠક, મંત્રીઓને દિલ્હીમાં હાજર રહેવા આદેશ.
G7 શિખર સંમેલનથી પરત ફર્યા બાદ PM Narendra Modi દિલ્હીમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ હાઈ-લેવલ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓને દિલ્હી ન છોડવા ફરમાન કરવામાં આવ્યું છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે સસ્પેન્સ સર્જાયું છે.
PM મોદીની ઈમરજન્સી બેઠક, મંત્રીઓને દિલ્હીમાં હાજર રહેવા આદેશ.
ભારતની ક્રૂડ તેલ વેપાર ખાધ નવા ઉચ્ચ સ્તરે પહોંચશે.
રેટિંગ એજન્સી ક્રિસિલની ચેતવણી મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૭માં ભારતની ક્રૂડ તેલ વેપાર ખાધ અભૂતપૂર્વ સ્તરે પહોંચશે. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો, રિફાઇન્ડ પ્રોડક્ટ નિકાસમાં સ્થિરતા અને પેટ્રોલિયમ પરની નિર્ભરતાના કારણે આ સ્થિતિ સર્જાશે. ભારતીય અર્થતંત્ર પર આ બાબત નોંધપાત્ર દબાણ લાવી શકે છે.
ભારતની ક્રૂડ તેલ વેપાર ખાધ નવા ઉચ્ચ સ્તરે પહોંચશે.
ફાલતામાં ફરીથી મતદાન: સુરક્ષા વધારાઈ, TMC ઉમેદવાર પાછા હટ્યા.
પશ્ચિમ બંગાળની ફાલતા વિધાનસભા બેઠક પર EVMમાં ગડબડીના આરોપો બાદ ફરીથી મતદાન થઈ રહ્યું છે. 285 બૂથ પર સવારે 7 થી સાંજે 6 સુધી મતદાન થશે. દરેક બૂથ પર બમણી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. TMC ઉમેદવાર જહાંગીર ખાને ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી હોવા છતાં EVM પર તેમનું નામ અને સિમ્બોલ રહેશે. પરિણામ 24 મેના રોજ જાહેર થશે.
ફાલતામાં ફરીથી મતદાન: સુરક્ષા વધારાઈ, TMC ઉમેદવાર પાછા હટ્યા.
નોર્વેની પત્રકારનો ખુલાસો: મોદીને શા માટે પૂછ્યા સવાલો
નરેન્દ્ર મોદીના નોર્વે પ્રવાસ દરમિયાન સ્થાનિક પત્રકાર Hella Langએ પ્રેસ બ્રિફિંગ બાદ તેમને સવાલ પૂછવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મોદી જવાબ આપ્યા વગર આગળ વધી ગયા હતા. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી હતી. બાદમાં હેલા લેંગે કહ્યું કે પત્રકાર તરીકે સવાલ પૂછવું તેમની ફરજ છે, ખાસ કરીને જ્યારે કોઈ શક્તિશાળી દેશનો વડા સંબંધ મજબૂત કરવા આવે. સોશિયલ મીડિયા પર તેમના આ પગલાની પ્રશંસા થઈ રહી છે અને અનેક લોકોએ તેમની હિંમતને બિરદાવી છે.