મધ્યયુગીન ઉલુગ બેગ ઓબ્ઝર્વેટરી
મધ્યયુગીન ઉલુગ બેગ ઓબ્ઝર્વેટરી
Published on: 16th September, 2026

મધ્ય એશિયાના ઉઝબેકિસ્તાનમાં આવેલી ઉલુગ બેગ ઓબ્ઝર્વેટરી મધ્યયુગની એક અદભૂત ખગોળશાસ્ત્રીય વેધશાળા હતી. શાસક મહંમદ તારા, જે ઉલુગ બેગ તરીકે પણ ઓળખાતા હતા, તેમણે 1420માં આ વેધશાળાનું નિર્માણ કરાવ્યું. દૂરબીન વિના, તેમણે ગ્રહોની ગતિ અને તારાઓના સ્થાન અંગે અસાધારણ ચોકસાઈથી ગણતરીઓ કરી, જે આધુનિક માપદંડોની ખૂબ નજીક હતી. તેમના મહાન ગ્રંથ 'ઝીજ-એ સુલતાની' માં 1,018 તારાઓની માહિતી નોંધવામાં આવી હતી. દુર્ભાગ્યે, ધાર્મિક કટ્ટરતાને કારણે 1449માં તેમની હત્યા કરવામાં આવી અને વેધશાળાનો નાશ થયો.