પંચમહાલ જિલ્લામાં રેલવે સુવિધાઓના વિકાસ માટે સાંસદે કરી મહત્વની રજૂઆત
પંચમહાલ જિલ્લામાં રેલવે સુવિધાઓના વિકાસ માટે સાંસદે કરી મહત્વની રજૂઆત
Published on: 13th August, 2026

પંચમહાલ (ગોધરા)ના સાંસદ રાજપાલસિંહ જાદવે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી. તેમણે પોતાના મત વિસ્તારમાં રેલવે સુવિધાઓના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ મહત્વપૂર્ણ રજૂઆતો કરી. આ રજૂઆતોમાં કાંસુડી રેલવે સ્ટેશનનો વિકાસ, ગોધરા-લુણાવાડા-મોડાસા નવી રેલવે લાઇનના સર્વેની કામગીરી ઝડપી પૂર્ણ કરવી, દાહોદ-ગોધરા-ડાકોર-નડિયાદ-અમદાવાદ-ગાંધીનગર રૂટ પર નવી દૈનિક પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવી, તેમજ કેટલીક એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજ અને ફિરોઝપુર જનતા એક્સપ્રેસને પુનઃ શરૂ કરવાની માંગણી શામેલ હતી.