અંકલેશ્વરએ ગુજરાત દેશ માટે વિકાસનું રોલ મોડલ છે - ભોજપુરી સુપરસ્ટાર મનોજ તિવારી
અંકલેશ્વરએ ગુજરાત દેશ માટે વિકાસનું રોલ મોડલ છે - ભોજપુરી સુપરસ્ટાર મનોજ તિવારી
Published on: 13th August, 2026

અંકલેશ્વરમાં રાજકીય અને સામાજિક અગ્રણી અનુરાગ પાંડેના પુત્ર સેવાંગના પ્રથમ જન્મદિવસની ઉજવણી ભવ્ય રીતે થઈ. આ પ્રસંગે ભોજપુરી સુપરસ્ટાર મનોજ તિવારી અને હાસ્ય કલાકાર સુનિલ પાલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મનોજ તિવારીએ ગુજરાતની ભૂમિના વખાણ કરતાં જણાવ્યું કે, ગુજરાત મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા મહાન વિભૂતિઓની પવિત્ર ભૂમિ છે. અહીંના લોકોના પ્રેમ અને સહકારથી ગુજરાત સમગ્ર દેશ માટે વિકાસનું રોલ મોડલ બન્યું છે.