ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફરી ટ્રેડ એગ્રીમેન્ટ થયાં.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફરી ટ્રેડ એગ્રીમેન્ટ થયાં.
Published on: 29th April, 2026

ભારત અને અમેરિકા વચ્ચે ડેરી અને કૃષિ ક્ષેત્રે ટેરિફ મુદ્દે મડાગાંઠ સર્જાતા ભારતે વેપાર કૂટનીતિ અપનાવી છે. અમેરિકાને બાજુએ રાખી ભારતે ન્યૂઝીલેન્ડ સહિત અન્ય દેશો સાથે કરાર કર્યા છે. ન્યૂઝીલેન્ડ સાથેના નવા મુક્ત વેપાર કરારથી વસ્ત્રો અને ઓટોમોબાઈલ્સ જેવી ચીજો પર શૂન્ય ડ્યુટી લાગશે, જેનાથી વેપાર ૫ અબજ ડોલરે પહોંચવાની ધારણા છે. આ કરારમાં ભારતે પોતાના ખેડૂતોના હિતમાં કૃષિ અને ડેરી ક્ષેત્રને રક્ષણ આપ્યું છે, જ્યારે ૨૦ અબજ ડોલરનું રોકાણ અને વિદ્યાર્થીઓ માટે વિઝાની વિશેષ છૂટછાટો મેળવીને મોટી સફળતા હાંસલ કરી છે.