પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા ગેસ પાઈપલાઈનમાં ભીષણ વિસ્ફોટ થતા આઠ લોકોના મોત થયા.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા ગેસ પાઈપલાઈનમાં ભીષણ વિસ્ફોટ થતા આઠ લોકોના મોત થયા.
Published on: 17th April, 2026

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના હરિપુર જિલ્લામાં ગેસ પાઈપલાઈનમાં ભયાનક વિસ્ફોટ થયો, જેમાં આઠ લોકો મૃત્યુ પામ્યા. 'ગ્રાન્ડ ટ્રંક રોડ' નજીક એક કારખાના પાસે બનેલી ઘટનામાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી, નજીકના મકાનને નુકસાન થયું. રેસ્ક્યુ 1122 એ આઠ લોકોના મોતની પુષ્ટિ કરી, જ્યારે અન્ય ગંભીર રીતે દાઝી ગયા. દમ ઘૂંટાવાથી મોટાભાગના લોકોના મોત થયાનું અનુમાન છે.