યાત્રાધામ પાવાગઢમાં પ્રાથમિક આરોગ્ય સુવિધાનો અભાવ.
યાત્રાધામ પાવાગઢમાં પ્રાથમિક આરોગ્ય સુવિધાનો અભાવ.
Published on: 20th May, 2026

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં આરોગ્ય સુવિધાના અભાવે ભક્તો અને સ્થાનિકોને પ્રાથમિક સારવાર માટે હાલોલ જવું પડે છે. તળેટી ખાતેનું જર્જરિત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર આંગણવાડીમાં કાર્યરત છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ડુંગર પર પ્રાથમિક સુવિધા અપાય છે, પરંતુ મોટાભાગના દિવસોમાં યાત્રાળુઓ રામ ભરોસે રહે છે. વિકાસ કાર્યોમાં આરોગ્ય સુવિધાઓ ઉમેરવાની લોક માંગ છે.