સુરેન્દ્રનગરના માલવણ કંપનીમાં શ્રામિકના મૃતદેહ સ્વીકાર્યા બાદ ભારે ચર્ચા
સુરેન્દ્રનગરના માલવણ કંપનીમાં શ્રામિકના મૃતદેહ સ્વીકાર્યા બાદ ભારે ચર્ચા
Published on: 01st July, 2026

પાટડી નજીક ડી.આઇ.એફ.ડી. પવનચકી કંપનીમાં સલામતીના અભાવે બે શ્રામિકોના મોત બાદ પણ ફેકટરી ઇન્સપેક્ટર દ્વારા પગલાં લેવાયા નથી. ચોથા દિવસે પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવતા કંપનીએ મામલો રફેદફે કર્યો હોવાનું જણાઈ રહ્યું છે. પાંચ દિવસ પહેલા ઓરિસ્સાના મનોજકુમાર શાહુનું સલામતી સાધનો અને કંપનીની બેદરકારીને કારણે મોત થયું હતું. વિરમગામના મોટા નેતાની મધ્યસ્થી બાદ પરિવારને નોકરી સહિતની લાલચ આપી મૃતદેહ સ્વીકારાવ્યાની ચર્ચા છે. ફેક્ટરી ઇન્સ્પેક્ટરની કાર્યવાહી પર સૌની નજર છે.