વાઘપુર ખાતે પ્રિન્સિપાલ સેક્રેટરી શાહમીના હુસૈનની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો.
વાઘપુર ખાતે પ્રિન્સિપાલ સેક્રેટરી શાહમીના હુસૈનની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો.
Published on: 27th June, 2026

હિંમતનગરના પ્રાંતિજ તાલુકાના વાઘપુરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ગુરુવારે ઉજવાયો. ગુજરાત સરકારના પ્રિન્સિપાલ સેક્રેટરી ટુ ગવર્મેન્ટ, નર્મદા વોટર સપ્લાય એન્ડ કલ્પસર વિભાગના વડા શાહમીના હુસૈને કાર્યક્રમમાં ભાગ લીધો. તેમણે નવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવ્યો. શિક્ષણ બાળકના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે અને દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી પગભર બને તે મહોત્સવનો મુખ્ય હેતુ છે, તેમ તેમણે જણાવ્યું. વાલીઓ અને શિક્ષકોએ બાળકોના ઘડતરમાં સક્રિય યોગદાન આપવું જોઈએ.