ચોટીલા હત્યા કેસના કાચા કામના કેદીનું સુરેન્દ્રનગર સબ જેલમાં કુદરતી મોત
ચોટીલા હત્યા કેસના કાચા કામના કેદીનું સુરેન્દ્રનગર સબ જેલમાં કુદરતી મોત
Published on: 02nd September, 2026

સુરેન્દ્રનગર સબ જેલમાં ચોટીલા હત્યા કેસના આરોપી સુરેશ ભાવાભાઈ સાકરીયાનું કુદરતી મોત થયું છે. છેલ્લા 20 દિવસથી બીમાર રહેતા સુરેશ સાકરીયાને સારવાર માટે ગાંધી હોસ્પીટલ લઈ જવાયો હતો, જ્યાં તેનું અવસાન થયું. આ કેદી વર્ષ 2015માં પીપરાળી ગામે થયેલા દુષ્કર્મ અને ત્યારબાદ થયેલી હત્યાના ગુનામાં જેલવાસ ભોગવી રહ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ અને Dy. Collector ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મૃતદેહને PM માટે રાજકોટ મોકલાયો છે.