બ્રિક્સના મંચ પરથી પુતિને મહિન્દ્રાનો કેમ કર્યો ઉલ્લેખ?
બ્રિક્સના મંચ પરથી પુતિને મહિન્દ્રાનો કેમ કર્યો ઉલ્લેખ?
Published on: 12th September, 2026

BRICS Summit 2026 દરમિયાન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતીય ઉદ્યોગ જગતની પ્રશંસામાં મહિન્દ્રા ગ્રુપનો ઉલ્લેખ કર્યો. તેમણે મહિન્દ્રાને BRICS દેશોની વધતી વ્યાપારી તાકાત અને સફળતાના પ્રતિક તરીકે ગણાવ્યું. પુતિને BRICS દેશો વચ્ચે રોકાણ વધારવા માટે એક નવા રોકાણ પ્લેટફોર્મનો પણ પ્રસ્તાવ મૂક્યો, જેનો ઉદ્દેશ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહન આપવાનો છે. આનાથી સભ્ય દેશો વચ્ચે આર્થિક સહયોગ વધુ મજબૂત બનશે.