Menu
પાકિસ્તાનમાં ઈમરાન ખાન 11 જૂને જેલમાંથી બહાર આવવાની શક્યતા
પાકિસ્તાનમાં ઈમરાન ખાન 11 જૂને જેલમાંથી બહાર આવવાની શક્યતા
Published on: 08th June, 2025

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન હાલ અલ કદીર ટ્રસ્ટ કેસમાં જેલમાં છે. 190 મિલિયન પાઉન્ડના કેસમાં ઈસ્લામાબાદની ઉચી અદાલતમાં 11 જૂને જામીનની સુનાવણી છે, જેથી તેમને જેલમાંથી છૂટકારો મળી શકે છે. ઈમરાન ઓગસ્ટ 2023થી અદિયાલા જેલમાં છે. તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના પ્રમુખ ગૌહર અલી ખાનના જણાવ્યા પ્રમાણે 11 જૂનો દિવસ મહત્વપૂર્ણ રહેશે અને જૂનથી આંદોલન શરૂ થશે. PTI વિપક્ષી દળો સાથે મળીને દેશના અટૂટ અસ્તિત્વ અને સુરક્ષાને બચાવવા માટે આંદોલન કરશે.