દિલ્હીથી મોટા સમાચાર: બાંગ્લાદેશ મોકલેલા ઘૂસણખોરોને ભારત સરકાર પરત બોલાવશે.
દિલ્હીથી મોટા સમાચાર: બાંગ્લાદેશ મોકલેલા ઘૂસણખોરોને ભારત સરકાર પરત બોલાવશે.
Published on: 24th May, 2026

દેશભરમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે ચાલી રહેલા આંદોલન વચ્ચે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે જે લોકોને ભારતીય નાગરિકતા શંકાસ્પદ હોવાના કારણે બાંગ્લાદેશ મોકલી દેવાયા હતા, તેમને હવે ભારત પરત લાવવામાં આવશે. તેમની નાગરિકતાની ફરીથી તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ જ આગળની કાર્યવાહી થશે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ માહિતી બેંચને આપી હતી. અગાઉ કલકત્તા હાઇકોર્ટે કેટલાક બાંગાળી ભાષી લોકોને પાછા લાવવાનો આદેશ આપ્યો હતો, જેની સામે અપીલ કરાઈ હતી.