IND vs ENG વચ્ચેની ટી-20 મેચના સમયમાં કરાયો ફેરફાર.
IND vs ENG વચ્ચેની ટી-20 મેચના સમયમાં કરાયો ફેરફાર.
Published on: 09th June, 2026

 ભારતીય ક્રિકેટ ટીમના આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) એ પાંચ મેચની T20 શ્રેણીની ત્રણ ડે-નાઇટ મેચોના સમયમાં મોટો ફેરફાર કર્યો છે. બ્રોડકાસ્ટર્સ સાથેની ચર્ચા બાદ આ મેચો હવે ભારતીય સમય અનુસાર રાત્રે ૧૧ વાગ્યાના બદલે એક કલાક વહેલી એટલે કે રાત્રે ૧૦ વાગ્યે શરૂ થશે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ભારતમાં વધુને વધુ ટીવી વ્યૂઅરશીપ મેળવીને કમાણી વધારવાનું છે. શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ ૧ જૂલાઈથી શરૂ થનારી આ શ્રેણી ભારત માટે આયરલેન્ડ પ્રવાસ બાદ શરૂ થશે.