Menu
Sarangpur શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને 600 કિલો કેરીનો અન્નકૂટ દર્શાવાયો
Sarangpur શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને 600 કિલો કેરીનો અન્નકૂટ દર્શાવાયો
Published on: 12th May, 2025

સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે 12-05-2025 સોમવારના દિવસે પૂનમ નિમિત્તે વિશેષ શ્રદ્ધાસહીત 600 કિલો કેરીનો અન્નકૂટ ધરાવાયો હતો. દાદાને વૃંદાવનમાં 15 દિવસ મહેનતે બનાવેલા પ્યોર સિલ્કના જરદોશીના વર્કવાળા વાનર થીમવાળા વાઘા પહેરાવાયા હતા. જુદાજુદા શણગાર અને અરતી કરી ભક્તોએ દર્શન લઈને ધન્યતાનો અનુભવ કર્યો. હનુમાનજીને 1 કિલો પ્યોર સોનામાંથી બનાવેલ રજવાડી મુગટ અને કુંડળો પણ પહેરાવવામાં આવ્યા હતા, જેની કારીગરીમાં 350 કેરેટ લેબ્રોન ડાયમંડનો ઉપયોગ થયો હતો. લાઇવ વિડિયો પણ રજૂ કરવામાં આવી છે.