Menu
હિંમતનગરમાં પ્રથમ જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ શરૂ: 27 જૂને જગન્નાથ ધામથી યાત્રા શરૂ થશે
હિંમતનગરમાં પ્રથમ જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ શરૂ: 27 જૂને જગન્નાથ ધામથી યાત્રા શરૂ થશે
Published on: 05th June, 2025

હિંમતનગરમાં ભગવાન જગન્નાથની પ્રથમ રથયાત્રાનું આયોજન 27 જૂન 2025ના અષાઢી બીજના દિવસે થાય છે. જગન્નાથ ધામ હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા ગોકુલનગર રેલવે ફાટક પાસેથી સવારે 9 વાગ્યે યાત્રા પ્રારંભ થશે. રથમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ બિરાજમાન રહેશે. યાત્રાનો માર્ગ રિલાયન્સ મોલ, બેરણા રોડ, શ્રીનગર સોસાયટી, મંગલમ સ્ટ્રીટ, મહાવીરનગર, અને ગાયત્રી મંદિર રોડ મારફતે સન્માન પાર્ક, સુથાર સમાજવાડી સ્થાને બપોરે 12:30 વાગ્યે સમાપ્ત થાય છે. મહાપ્રસાદ અને 56 ભોગનું આયોજન પણ હશે. રથનું નિર્માણ ચાલુ છે.