Menu
કાલોલ નગરમાં શ્રી વલ્લભ દ્વારનું વૈષ્ણવાચાર્યના હસ્તે અનાવરણ
કાલોલ નગરમાં શ્રી વલ્લભ દ્વારનું વૈષ્ણવાચાર્યના હસ્તે અનાવરણ
Published on: 12th May, 2025

કાલોલ શહેરના નવાપુરા વિસ્તારમાં શ્રી વલ્લભ દ્વારનું નવનિર્માણ સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા કરાયું હતું. ગોવર્ધનનાથજી હવેલીના ગાદીપતિ પૂ. અભિષેકલાલજી મહારાજના આશીર્વાદથી અને તેમના હસ્તે જગતગુરુ શ્રી મદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીને સમર્પિત શ્રી વલ્લભ દ્વારનું અનાવરણ ધામધૂમથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વૈષ્ણવ સમાજ સહિત નગરના અધિકારીઓ અને લોકો હાજર રહ્યા. વૈષ્ણવાચાર્ય મહારાજે જણાવ્યું કે આ દ્વાર કાલોલમાં સ્થાપિત થવું વૈષ્ણવ સંપ્રદાય માટે અનોખી ખુશખબરી છે, અને આ રાજસ્થાની મેવાડી ડિઝાઇન દ્વારા તૈયાર થયેલું છે.