Menu
Operation Sindoor પછી ઈન્ટરનેટ વપરાશકર્તાઓ માટે શું કરવું અને શું ન કરવું?
Operation Sindoor પછી ઈન્ટરનેટ વપરાશકર્તાઓ માટે શું કરવું અને શું ન કરવું?
Published on: 09th May, 2025

MeitY દ્વારા Operation Sindoor બાદ ઈન્ડિયન ઇન્ટરનેટ વપરાશકર્તાઓને સાવચેત અને જવાબદાર રહેવાની સલાહ આપવામાં આવી છે. ખોટી અને ભ્રામક માહિતી ફેલાવવાને રોકવા માટે સરકારી હેલ્પલાઈન તથા સરકારી સ્રોતોથી જ માહિતી ચેક કરવા જણાવાયું છે. યુઝર્સને સેનાની ગતિવિધિઓ વિષે માહિતી ફોરવર્ડ ન કરવી, હિંસા અને તણાવ વધારતા પોસ્ટ ટાળવાની વિનંતી કરવામાં આવી છે. ખોટા સમાચાર માટે વોટ્સએપ 8799711259 અથવા socialmedia@pib.gov.in પર ફરિયાદ કરી શકે છે. સાથે જ, OTT અને મીડિયા સ્ટ્રીમિંગ સેવાઓને પાકિસ્તાનથી આવતી સામગ્રી બંધ કરવા મંત્રાલયનું નિર્દેશ છે. સાવધ રહો અને દેશની સુરક્ષા માટે યોગદાન આપો.