મહીસાગર: આચાર્યએ નવું પુસ્તક તૈયાર કર્યું.
મહીસાગર: આચાર્યએ નવું પુસ્તક તૈયાર કર્યું.
Published on: 09th June, 2026

મહીસાગર જિલ્લાના ઉંદરા ગામના વતની અને છાપરી પ્રાથમિક શાળાના આચાર્ય રૂચિર દયાશંકર ઉપાધ્યાયે સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે. ૩૮ વર્ષની નાની ઉંમરે વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ અનેક પુસ્તકોનું સર્જન કરનાર રૂચિરભાઈએ હવે અંગ્રેજી ભાષામાં 'The Dark Knight' શીર્ષક હેઠળ ૧૨૬ પાનાંનું નવું પુસ્તક તૈયાર કર્યું છે, જે ટૂંક સમયમાં પ્રકાશિત થશે. તેમની આ સાહિત્યિક સફળતાથી સમગ્ર વરધરી ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ અને પંથકમાં ગૌરવની લાગણી વ્યાપી છે.