શું શિવજીના કોઈ માતા છે?
શું શિવજીના કોઈ માતા છે?
Published on: 20th February, 2026

ભગવાન શિવ 'અજન્મા' છે પણ શું તેમના માતા-પિતા છે? મહાદેવ કૈલાશ છોડી સ્મશાનમાં કેમ રહે છે? શિવપુરાણ મુજબ તેઓ સ્વયંભૂ છે, પણ દેવી ભાગવત અનુસાર આદિશક્તિ પ્રગટ થયા હતા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પોતાની ઉત્પત્તિથી અજાણ હતા, ત્યારે દેવી ભગવતીએ જ તેમને જન્મ આપ્યો હતો. શિવ અને શક્તિ એક જ છે. સ્મશાન એ જીવનનું અંતિમ સત્ય છે, જ્યાં અહંકાર બળી જાય છે. સતીની ભસ્મને શિવજીએ ધારણ કરી અને ભૂત-પ્રેતોને આશરો આપ્યો. શિવ વૈરાગ્ય અને સંસારનું સંતુલન શીખવે છે.