પાનમ નદી પરનો ચાર વર્ષથી બંધ બ્રિજ આખરે ખૂલ્લો મૂકાયો.
પાનમ નદી પરનો ચાર વર્ષથી બંધ બ્રિજ આખરે ખૂલ્લો મૂકાયો.
Published on: 09th June, 2026

અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઈવે પર મોરવા હડફ તાલુકાના સંતરોડ ગામ નજીક પાનમ નદી પરનો જૂનો બ્રિજ છેલ્લા ચાર વર્ષથી બંધ હતો, જેનું સમારકામ પૂર્ણ થતાં ૮ જૂનના રોજ તેને વાહનોની અવરજવર માટે પુનઃ ખુલ્લો મુકાયો છે. લોડ બેરિંગ ક્ષતિના કારણે આ બ્રિજ બંધ કરી ટ્રાફિકને એક જ લેન પર ડાયવર્ટ કરાતા વારંવાર ટ્રાફિક જામ અને અકસ્માતો થતા હતા. સ્થાનિકોની રજૂઆત બાદ રાજ્યસભાના સાંસદ ડો. જશવંતસિંહ પરમારે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે બેઠક યોજી સમયમર્યાદામાં કામ પૂર્ણ કરાવ્યું હતું. બ્રિજ શરૂ કરાતા હવે મધ્યપ્રદેશ અને ગુજરાત વચ્ચે દોડતા વાહનોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે.