ઊંડી તપાસ કરવાની માગણી તેજ: જૈન મુનિઓ સાથેના અકસ્માતથી સમાજમાં આક્રોશ.
ઊંડી તપાસ કરવાની માગણી તેજ: જૈન મુનિઓ સાથેના અકસ્માતથી સમાજમાં આક્રોશ.
Published on: 09th June, 2026

મુંબઈ-અમદાવાદ હાઈવે પર નાકોડાધામ નજીક પતરાપુલ પાસે ગુજરાતથી મુંબઈ તરફ વિહાર કરી રહેલા જૈન સાધુઓ અને તેમના સેવકોને એક અજાણ્યા ટ્રકે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં નેમીસુરી સમુદાયના ૮૨ વર્ષીય વરિષ્ઠ જૈન મુનિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય સિંહસેન સુરીશ્વરજી મ.સા. ગંભીર રીતે ઘાયલ થતાં તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યાં હાલ તેમની તબિયત સ્થિર છે. આ અકસ્માતને પગલે જૈન સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે; પત્રકાર સંઘના પ્રમુખ ભુપેન્દ્ર શાહ અને એડવોકેટ પ્રફુલ્લ શાહે આ મામલે કાવતરાના એન્ગલથી ઊંડી તપાસની માગ કરી કડક કાર્યવાહી ન થવા પર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.