ભાવનગરમાં ગોઝારી ઘટના: તળાજાના દરિયામાં ત્રણ બાળકો ડૂબ્યા.
ભાવનગરમાં ગોઝારી ઘટના: તળાજાના દરિયામાં ત્રણ બાળકો ડૂબ્યા.
Published on: 24th May, 2026

ભાવનગર જિલ્લાના તળાજાના સરતાનપર બંદર નજીક દરિયામાં નાહવા ગયેલા એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકો દરિયાના તેજ પ્રવાહમાં ગરકાવ થઈ ગયા. આ કરુણ અકસ્માતમાં બે બાળકોના મોત થયા છે, જ્યારે એક બાળકીનો આબાદ બચાવ થયો છે. સ્થાનિક લોકો અને તરવૈયાઓએ ભારે જહેમત બાદ એક બાળકીને જીવતી બહાર કાઢી. જોકે, અન્ય બે બાળકો દરિયાના કરંટમાં તણાઈને ઊંડા પાણીમાં લાપતા થઈ ગયા હતા. ફાયર ફાઇટરો અને તરવૈયાઓએ કલાકો સુધી સર્ચ ઓપરેશન ચલાવી મૃતદેહો બહાર કાઢ્યા.