મોરબીમાં ઓવરટેક પર ઝઘડા પછી સોની યુવાનની હત્યા થઈ
મોરબીમાં ઓવરટેક પર ઝઘડા પછી સોની યુવાનની હત્યા થઈ
Published on: 20th February, 2026

મોરબીમાં ઓવરટેક કરવા બાબતે થયેલા ઝઘડામાં એક સોની યુવાનની છરી મારીને હત્યા કરવામાં આવી. મૃતક જતીનભાઈ આડેસરા રાજકોટથી મોરબી પરત ફરી રહ્યા હતા ત્યારે શનાળા રોડ પર એક્સેસ સ્કૂટર પર આવેલા બે શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતા આરોપીઓએ જતીનભાઈને છાતી, પડખા અને બેઠકના ભાગે છરીના ઘા મારી દીધા હતા, ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું મોત થયું. પોલીસે બે શખ્સો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી છે. આ હત્યાના વિરોધમાં મોરબીનું સોની બજાર બંધ રાખવામાં આવ્યું છે.