ગુજરાત સરકારે ખરીફ પાક માટે નર્મદા કેનાલમાં 11 જૂનથી વહેલું પાણી છોડવાનો લીધો નિર્ણય.
ગુજરાત સરકારે ખરીફ પાક માટે નર્મદા કેનાલમાં 11 જૂનથી વહેલું પાણી છોડવાનો લીધો નિર્ણય.
Published on: 09th June, 2026

ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે મુજબ 11 જૂન, 2026 થી નર્મદાની નહેરોમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે. ખરીફ પાકની તૈયારી કરી રહેલા ખેડૂતોને આ નિર્ણયથી મોટી રાહત મળશે. ધારાસભ્યો અને સાંસદોની રજૂઆતો બાદ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કરીને આ નિર્ણય લેવાયો છે. તંત્રને સમયસર પાણીના વિતરણ માટે સજ્જ રહેવા સૂચના અપાઈ છે.