ગોધરામાં વારંવાર વીજ પુરવઠો ખોટકાવાના વિરોધમાં રેલી યોજાઈ.
ગોધરામાં વારંવાર વીજ પુરવઠો ખોટકાવાના વિરોધમાં રેલી યોજાઈ.
Published on: 09th June, 2026

ગોધરા શહેરમાં વારંવાર ખોરવાતા વીજ પુરવઠા, લો વોલ્ટેજ અને પ્રિ-મોન્સૂન કામગીરીની નિષ્ફળતા સામે ગાયત્રી નગર સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા પ્લે કાર્ડ સાથે બાઈક રેલી યોજવામાં આવી હતી. આ રેલી બામરોલી રોડથી નીકળી એમજીવીસીએલ કચેરીએ પહોંચી હતી, જ્યાં અધિક્ષક ઈજનેર સી.પી. બારીયાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. નાગરિકોએ આક્ષેપ કર્યો કે વીજ કંપનીના ફરિયાદ નંબરો સતત વ્યસ્ત રહે છે અને અધિકારીઓ ફોન ઉપાડતા નથી. અગ્રણી એન.ડી. ઉપાધ્યાય અને વિનાયક શુકલે ચીમકી આપી છે કે જો સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે, તો આગામી દિવસોમાં કચેરી સમક્ષ આમરણાંત ઉપવાસ અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.