મનરેગા યોજનામાં નર્મદા-છોટાઉદેપુરમાંથી 22 ભ્રષ્ટાચારની ફરિયાદ
મનરેગા યોજનામાં નર્મદા-છોટાઉદેપુરમાંથી 22 ભ્રષ્ટાચારની ફરિયાદ
Published on: 20th February, 2026

રાજ્યમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના કેસો સામે આવતા સરકાર કડક બની છે. નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં કુલ 22 ભ્રષ્ટાચારની ફરિયાદો મળી છે, જેમાં યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે. મંત્રી કુવરજી બાવળિયાએ વિધાનસભામાં જણાવ્યું કે ગેરરીતિ કરનાર કોઈને પણ છોડવામાં આવશે નહીં અને અધિકારીઓને કાયદાકીય રીતે જેલભેગા કરવા સરકાર મક્કમ છે.