અમદાવાદ: ફતેહવાડીમાં બે જૂથ વચ્ચે અથડામણ, પથ્થરમારો અને હુમલો
અમદાવાદ: ફતેહવાડીમાં બે જૂથ વચ્ચે અથડામણ, પથ્થરમારો અને હુમલો
Published on: 14th November, 2025

અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાં નૂર મોહમ્મદ પાર્ક પાસે બે જૂથો વચ્ચે અથડામણ થઈ. કોઈ બાબતે ઝઘડો થતા પથ્થરમારો થયો અને લાકડીઓ તથા પાઈપથી હુમલો કરાયો. એક પરિવારે ફાયરિંગનો આક્ષેપ કર્યો છે, જેની પોલીસ તપાસ કરી રહી છે. વેજલપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિને કાબૂમાં લીધી અને CCTV ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.