ભરૂચ: અધિક માસ નિમિત્તે જંબુસરમાં આયોજિત શ્રી વિષ્ણુયાગ સંપન્ન.
ભરૂચ: અધિક માસ નિમિત્તે જંબુસરમાં આયોજિત શ્રી વિષ્ણુયાગ સંપન્ન.
Published on: 09th June, 2026

ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે પવિત્ર અધિક માસ નિમિત્તે શ્રી કાછિયા પટેલ સમાજની ત્રણ પંચ વાડીમાં આયોજિત બે દિવસીય શ્રી વિષ્ણુયાગ મહોત્સવ વૈદિક પરંપરા અને ધાર્મિક ઉત્સાહ સાથે સંપન્ન થયો છે. આ મહોત્સવ દરમિયાન વિશ્વ કલ્યાણ અને સુખ-શાંતિની પ્રાર્થના સાથે ‘નમો ભગવતે વાસુદેવાય’ મહામંત્રની સવા લાખ આહુતિઓ આપવામાં આવી હતી. યજ્ઞના પ્રસંગે અધ્યક્ષ એચ. કે. પટેલ, ઠાકોરભાઈ અમનપુરવાલા, તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી, સંજયસિંહ યાદવ, ડૉ. દીપકભાઈ રાઠોડ અને પ્રતાપભાઈ સોની સહિતના અનેક રાજકીય-સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.