જયપુરમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ, 3 લોકોના મોત, 5 ગંભીર રીતે દાઝ્યા.
જયપુરમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ, 3 લોકોના મોત, 5 ગંભીર રીતે દાઝ્યા.
Published on: 09th June, 2026

રાજસ્થાનની રાજધાની જયપુરમાં ખો નાગોરિયાન વિસ્તારમાં એક ઘરની અંદર ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં 5 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક SMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગ લાગ્યા બાદ થયેલા ધડાકાને કારણે સમગ્ર મકાન આગની લપેટમાં આવી ગયું હતું. ફાયર બ્રિગેડની ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. સુરક્ષા નિયમોના ભંગ બદલ કલેક્ટર સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.