Menu
Indian Railway: ઉનાળામાં મુસાફરો માટે પીવાના પાણીની તકલીફને દૂર કરવા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય
Indian Railway: ઉનાળામાં મુસાફરો માટે પીવાના પાણીની તકલીફને દૂર કરવા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય
Published on: 13th May, 2025

ઉત્તર પૂર્વીય રેલ્વે વહીવટીતંત્ર ઉનાળામાં મુસાફરોની સુવિધા માટે તમામ સ્ટેશનો અને રેલ્વે કોલોનીઓમાં શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરી રહ્યું છે. ખાસ કરીને 238 વોટર કુલર અને 55 વોટર વેન્ડિંગ મશીનો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેથી મોંઘુ પાણી ખરીદવાની જરૂર ન રહે. રેલ્વે સ્ટેશનો પર પૂરતા નળ તથા હેન્ડપંપ પણ લગાવવામાં આવ્યા છે. ઉપરાંત, ભારત સ્કાઉટ્સ અને ગાઇડ્સની સહાયથી મફત પાણી વિતરણ શિબિરોનું આયોજન કરાય રહ્યું છે, જે મુસાફરોને ઠંડુ અને શુદ્ધ પાણી પૂરું પાડવાનું હેતુ ધરાવે છે.