Menu
વલસાડમાં કમોસમી વરસાદથી કેરીના પાકને 7000 હેક્ટરમાં નુકસાન, સર્વે શરૂ
વલસાડમાં કમોસમી વરસાદથી કેરીના પાકને 7000 હેક્ટરમાં નુકસાન, સર્વે શરૂ
Published on: 12th May, 2025

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ અને તોફાનથી ખેતી અને બાગાયત પાકને મોટી નુકસાની. ખાસ કરીને કેરીના પાકને 7000થી વધુ હેક્ટરમાં નુકસાન થયું છે. આબાવાડી વિસ્તારમાં 20 ગામના ખેડૂતોને અસર થઈ છે, જેમાં વલસાડના ધરમપુર અને કપરાડા વિસ્તારોમાં વધુ નોંધાઈ હતી. વલસાડ જિલ્લાના બાગાયત અને ખેતી વિભાગો દ્વારા 80% સર્વે પૂર્ણ થઇ રહ્યો છે. સરકારી સમર્થન માટે રિપોર્ટ મોકલાઇ રહ્યો છે અને વળતર અંગે કાર્યવાહી હાથ ધરી રહ્યા છે. ગીર સોમનાથમાં પણ ભારે વરસાદથી પાકોને અસર થઈ રહી છે, જેને લીધે ઉનાળુ પાકોને નુકસાન થઈ રહયું છે.